By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    23 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    24 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભ્રષ્ટાચારના આરોપોની બૂઠી ધાર, ઓનલાઈન લૂંટારા બેફામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ભ્રષ્ટાચારના આરોપોની બૂઠી ધાર, ઓનલાઈન લૂંટારા બેફામ

agragujaratnews
Last updated: 2023/11/06 at 2:21 PM
2 years ago
Share
ભ્રષ્ટાચારના આરોપોની બૂઠી ધાર, ઓનલાઈન લૂંટારા બેફામ
SHARE

ઈડી આડેધડ કામગીરી કરીને ભ્રષ્ટાચારના આરોપોને રાજકીય રંગ આપી રહી છે અને આરોપોને બૂઠા બનાવી રહી છે, જ્યારે મહાદેવ એપને હવે છેક બંધ કરાઈ તેનો અર્થ કે ઓનલાઇન લૂંટ બેફામ ચાલે છે

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને પ્રચાર જામ્યો છે ત્યારે ઈડીની કામગીરીના સમાચાર સતત આવ્યા કરે છે. ઈડી કાર્યવાહી કરે ત્યારે તેને ગંભીરતાથી લેવાતી હતી, પરંતુ હવે એવું થયું છે કે ઈડીનો ઉપયોગ વિપક્ષ સાથે થાય છે. એવી વાતો સતત ચાલી તેના કારણે ભ્રષ્ટાચારના આરોપોની ધાર જ બૂઠી થઈ ગઈ છે. છત્તીસગઢમાં ફરી એક વાર કોંગ્રેસની સરકાર બની રહી છે તેવું બધા જ સર્વે કહી રહ્યા છે ત્યારે મતદાનના થોડા દિવસ પહેલા જ અચાનક આરોપો લાગે કે મહાદેવ એપ તરફથી કરોડો રૂપિયા મુખ્ય પ્રધાન બઘેલને મળ્યા છે. ત્યારે તે આરોપોની ધાર પ્રજાને બૂઠી લાગી રહી છે. 500 કરોડ રૂપિયા લીધાનો આરોપ મૂકી દેવાયો, ત્યારે મતદારોમાં રિએક્શન એવું જ આવ્યું કે અચ્છા, ઈડીએ વધારે એક વિપક્ષના નેતા સામે આરોપો મૂકી દીધા છે. ચાલો હવે કોની ધરપકડ થશે તેની યાદીમાં બઘેલનું નામ પણ ઉમેરો. કેજરીવાલ પછી બઘેલની પણ ધરપકડ થશે એમ લોકો સ્વંય ધારી લે છે.

આના કારણો છે. આ કેસ પૂરતું કારણ એ કે મહાદેવ એપ તો બિન્ધાસ્ત દેશના કરોડો લોકોને અબજોનો ચૂનો લગાવી રહી હતી. મહાદેવ એપની ગેરરીતિ સામે ઓલરેડી ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં તે એપની છેતરપિંડી ચાલુ જ હતી. ઈડીની આ કાર્યવાહી પછી સરકાર ઊંઘમાંથી જાગી અને 22 એપને બંધ કરવાની જાહેરાત કરી. એક તરફ એપ કરોડોની લાંચ આપે છે તેવો આરોપ, પણ એપ તો બિન્ધાસ્ત ચાલતી હોય ત્યારે બેવડું ધોરણ કેવું બેડોળ છે તે પણ દેખાઈ આવ્યું હતું. બીજું કારણ એ કે ઈડી તરફથી ઢગલા મોઢે કેસ થઈ રહ્યા છે, પણ કેસ પછી ઝડપથી ચાલતા નથી. તેમાંય જે વિપક્ષી નેતાઓ સામે ઈડીની ફાઈલ બની હોય તે ભાજપમાં જોડાઈ જાય ત્યારે તપાસમાં પણ તારીખ પે તારીખ પડવા લાગી છે. એક દિવસ જાહેરમાં કહેવામાં આવે કે એનસીપી 70,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારી નેચરલી કરપ્ટ પાર્ટી છે. એક સપ્તાહમાં જ આખેઆખી આ ભ્રષ્ટાચારી પાર્ટી ભાજપની સાથે બેસી જાય છે. તેના નેતા અજિત પવાર સીધા જ ડેપ્યુટી સીએમ બની જાય છે અને ઈડીની ફાઇલવાળા કેટલાક નેતાઓ પ્રધાનો પણ બની જાય છે. તેના કારણે ભ્રષ્ટાચારના આરોપો માત્ર રાજકીય જ ગણાવા લાગ્યા છે તે ચિંતાનું કારણ છે.

એક જમાનામાં સીબીઆઈની રેડ પડે ત્યારે થતું હતું કે આ વખતે હવે નેતાશ્રીએ બચવું મુશ્કેલ બનશે. લોકોને લાગતું કે ચાલો, કહેવા ખાતર પણ કોઈકની સામે કાર્યવાહી થાય છે. હવે એવું થાય છે કે કોઈને કશું થવાનું નથી એવી હતાશા પ્રજામાં પેસી જાય છે. ભૂતકાળમાં પણ ભારતના રાજકારણના ભ્રષ્ટાચાર મુદ્દો બનતો નહોતો. ભ્રષ્ટાચાર છતાં પ્રધાન વારંવાર ચૂંટાતા હતા અને ફરી પ્રધાન બનતા હતા. આખી સરકાર ભ્રષ્ટાચારના આરોપો છતાં ફરી જીતીને આવતી હતી. ભ્રષ્ટાચારની સાથે મોંઘવારી કે બેકારી જેવા કે એકાદ લોકલાગણીનો મુદ્દો જોડાય ત્યારે પરિવર્તન આવતું હતું. તે વખતે ચર્ચા માટે એવું કહેવાતું કે ભ્રષ્ટાચારને કારણે સરકાર જતી રહી, પણ સાચી વાત એ છે કે એવું થતું નહોતું.

તે પછી રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર સામે અને કૌભાંડ પ્રતિ કૂણી લાગણી સામે એક આંદોલન થયું. લોકોને લાગ્યું કે સિસ્ટમમાં કરપ્શન ઘૂસી ગયું છે તેને કાઢવા માટે કશુંક તો થવું જોઈએ. લોકશાહી હવે પ્રૌઢ થઈ છે ત્યારે ભ્રષ્ટાચાર સામે ગંભીરતા આવશે, તેની સામે કેસ થશે અને નેતાઓને પણ જેલમાં જવું પડશે. ચારા કૌભાંડમાં દાયકા પછી ગેરરીતિ સાબિત થઈ, પણ એવા કિસ્સા અપવાદ બની રહ્યા છે. નવેસરથી એક સ્થિતિ એવી ઊભી થઈ કે ભ્રષ્ટાચાર રાબેતા મુજબ ચાલતો રહ્યો અને ભાગ્યે જ કોઈની સામે નમૂનારૂપ કાર્યવાહી થઈ. પછી તો એક પેટર્ન દેખાવા લાગી, જે હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. વિપક્ષની સામે, પોતાના હરિફોની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી દો, ઈડી, સીબીઆઈ દ્વારા આરોપો મૂકી દો અને પછી રાજકીય પ્રચારમાં તેને ચગાવો. કેસ કેસની જગ્યાએ અને ફાયદો લેવાની કોશિશ ચૂંટણીના મેદાનમાં. નાગરિકોને સમજાવા લાગ્યું કે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા. ભ્રષ્ટાચાર સામે આક્ષેપો અને આરોપો તો બહુ લાગે છે, પણ કામગીરી ત્યાંની ત્યાં છે. ફાઈલો તૈયાર થાય, દરોડા પડે, જબરો પ્રચાર થાય, ભ્રષ્ટાચારી નેતાની રાજકીય કારકીર્દિ રોળાઈ જાય, પણ પછી કશુ ના થાય. બીજા નેતાઓને ડર લાગે, અધિકારીઓ ગેરરીતિથી ડરવા લાગે તેવી સજા તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેમ થતી નથી – એવા સવાલો સ્વંયભૂ જનતા પૂછવા લાગી છે.

મહાદેવ એપ અબજો રૂપિયાનું કરી ગઈ છે તેના અહેવાલો આવવા લાગ્યા હતા, પણ ચોંકાવનારી વાત છે કે હવે છેક ઈડીએ ભલામણ કરી ત્યારે તેને બ્લોક કરવાની કામગીરી થઈ છે. કુલ 22 ગેરકાયદે એપને બંધ કરવા માટે હવે છેક આદેશ થયો છે. ઓનલાઇન લોન આપીને અબજોની છેતરપિંડી કરનારી ચીની એપ્સ ચાલતી જ રહી છે. અનેક લોકોએ આત્મહત્યા કરવી પડે તે હદે ઉઘરાણી માટે ત્રાસ આપતો હતો. પઠાણી ઉઘરાણી શબ્દ તો તેની આગળ પાણી ભરે એટલી ગંદી રીતે લોકોને હેરાન કરાતા હતા. છતાં લોન આપનારી એપ બિન્ધાસ્ત છેતરપિંડી કરી રહી છે. ઓનલાઇન સ્કીલ ગેમ્સના નામે આખું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ઓનલાઇન ગેમ્સમાં રોજેરોજ લોકો અબજો રૂપિયા ગુમાવી રહ્યા છે. આખું જુગારખાનું ધમધમે છે અને કશું થતું નથી. સટ્ટાબાજી માટેની એપ્સ ધમધમે છે અને કશું થતું નથી.
આ તો કોંગ્રેસના એક સીએમ સામે મહાદેવ એપ્સના નામે આરોપો મૂકવાનું થયું એટલે પછી એપ્સ બંધ કરાવવા માટેની કાર્યવાહી થઈ.

 

અન્યથા કરોડો રૂપિયાની કટકી આપનારી ઓનલાઇન સટ્ટા બેટિંગની એપ્સને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કામગીરી તો કરવા દેવી પડેને… હેં ભાઈ… આવું પ્રજા કટાક્ષમાં બોલી રહી છે. મહાદેવ બૂકની ઓફિસોમાં છત્તીસગઢમાં દરોડા પડ્યા પછી હવે છેક તેને બ્લોક કરવાની કામગીરી થઈ છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની પોલીસ ઉંઘતી હતી અને મહાદેવ બૂકની બેફામ ઓનલાઇન છેતરપિંડી ચાલતી હતી. ઈડીએ આવીને દરોડા પાડવા પડે તેના બદલે પોલીસે દરોડા પાડવાની જરૂર હતી. પોલીસ પાસે પણ એવા કાયદા છે જ કે પોતાની રીતે કાર્યવાહી કરી શકે. એ વાત સાચી કે એપ્સને બ્લોક કરવાની કામગીરી કેન્દ્ર સરકારે કરવાની હોય. પરંતુ છત્તીસગઢની પોલીસે મહાદેવ સામે મજબૂત કેસ કરીને કેન્દ્ર સરકાર સામે મૂકવાની જરૂર હતી કે જુઓ આ બેટિંગ રેકેટે… આ એપ્સ બંધ કરો.
પણ કોઈ કશું કરતું નથી. રાજકીય પક્ષો સૌથી વધુ વાત ભ્રષ્ટાચાર નાબૂદીની કરે છે અને 75 વર્ષમાં જનતા જોઈ રહી છે કે ભ્રષ્ટાચારની ગતિ અને પ્રગતિ જીડીપીની ઝડપે જ વધી રહી છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 20 hours ago
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?