- ભારતની કોવેક્સિન સામે સવાલ ઉઠયા, કોવેક્સિનને ભારત બાયોટેકે બનાવી છે
- વૈજ્ઞાનિકોએ રસી પર અભ્યાસ જાન્યુઆરી 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે કર્યો
- કોવેક્સિન અંગે નવા અભ્યાસમાં એક તૃતીયાંશ લોકોને એક વર્ષ પછી સાઈડ ઈફેક્ટ આવ્યાનો દાવો
એક નવો સ્ટડી બનારસ હિંદુ યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ મળીને કર્યું છે. રિસર્ચ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિકોએ આ સ્ટડી જાન્યુઆરી 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે કર્યું છે. આમાં કુલ 1,024 લોકોને સામેલ કરાયા હતા. જેમાં 635 કિશોર અને 291 વ્યસ્ક સામેલ હતા. આ લોકોએ રસીના એક વર્ષ બાદ ફોન પર ઈન્ટરવ્યૂ લીધા હતા.
સ્ટડીમાં શું જાણવા મળ્યું ?
અભ્યાસમાં જાણવા મળ્યું જે લોકોએ કોવેક્સિનના ડોઝ લીધા તેઓને આશરે એક તૃતિયાંશ લોકોને ગંભીર સાઈડ ઈફેક્ટ વિકસીત થયું. બીજી જરૂરી વાત આશરે 50 ટકા લોકોને ચેપની ફરિયાદ હતી. મોટાભાગના મુદ્દે શ્વસનને લગતો ચેપ હતો. જે 635 કિશોરને અભ્યાસમાં સામેલ કરાયા તેમાં 10.5 ટકા લોકોને સ્કિન ડિસઓર્ડર થયો. નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર
આ અભ્યાસમાં સામેલ 635 કિશોરોમાંથી 10.5 ટકાને ત્વચા સંબંધી વિકૃતિઓ હતી. 4.7% કિશોરોમાં નર્વસ સિસ્ટમની વિકૃતિઓ જોવા મળી હતી અને 10.2% કિશોરોમાં સામાન્ય વિકૃતિઓ જોવા મળી હતી. હવે, અભ્યાસનો ભાગ હતા તેવા 291 પુખ્ત વયના લોકોમાં, કિશોરો માટે સમાન સમસ્યાઓ જોવા મળી હતી.
પુખ્ત વયના લોકોમાં સામાન્ય વિકૃતિઓની ટકાવારી 8.9% હતી. 5.8% લોકોમાં સ્નાયુઓ અને હાડકાં સંબંધિત વિકૃતિઓ જોવા મળી હતી અને 5.5% પુખ્ત વયના લોકોમાં નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત વિકૃતિઓ જોવા મળી હતી. સ્ત્રીઓ પર Covaxin ની ગંભીર આડઅસર થઈ છે. અભ્યાસમાં ભાગ લેનાર 4.6% મહિલાઓમાં પીરિયડ સંબંધિત અસામાન્યતા જોવા મળી હતી. આંખની સમસ્યાઓ 2.7% અને હાઈપોથાઈરોડિઝમ 0.6% સ્ત્રીઓમાં જોવા મળી હતી. 0.3% માં સ્ટ્રોક અને 0.1% સહભાગીઓમાં ગુઇલેન-બેરી સિન્ડ્રોમ. ટૂંકા સ્વરૂપ GBS, તે પણ ઓળખવામાં આવ્યું હતું. જીબીએસ એ એવો દુર્લભ રોગ છે જે લકવાની જેમ શરીરના મોટા ભાગોને ધીમે ધીમે સુન્ન કરી નાખે છે.
કોવેક્સિનને કારણે કેટલા મૃત્યુ થયા છે?
અભ્યાસમાં ભાગ લેનારા લોકોમાંથી, સંશોધકોએ શોધી કાઢ્યું કે ચાર પુખ્ત વયના લોકો પણ મૃત્યુ પામ્યા હતા. જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. ચારેયને ડાયાબિટીસ હતો, જેમાંથી ત્રણ પુખ્ત વયના લોકોને પણ હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હતી. ચારમાંથી બે મૃત્યુ સ્ટ્રોકના કારણે થયા હતા.
એક મૃત્યુ પોસ્ટ-કોવિડ ગેંડોસેરેબ્રલ મ્યુકોર્માયકોસિસને કારણે થયું હતું. રાઇનોસેરેબ્રલ મ્યુકોર્માયકોસિસને ઝાયગોમીકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક દુર્લભ અને જીવલેણ રોગ છે જે મુખ્યત્વે નાક, પેરાનાસલ સાઇનસ અને મગજને અસર કરે છે. ચોથું મૃત્યુ એક મહિલાનું હતું જે રસીકરણ પછી ઘણી વખત બેહોશ થઈ ગઈ હતી. જોકે તેના બેહોશ થવાનું કારણ જાણી શકાયું નથી. અભ્યાસમાં જણાવાયું છે કે બે ડોઝ લેનારા પુખ્ત વયના લોકોની સરખામણીમાં કોવેક્સિનના ત્રણ ડોઝ લેનારા પુખ્તોમાં AESIનું જોખમ ચાર ગણું વધારે હતું.
બાયોટેક કંપનીએ શું સ્પષ્ટતા કરી
ભારત બાયોટેક કંપનીએ આ સંશોધન સામે આવ્યા પછી કહ્યું તેને કોવિડ-19 રસી, કોવેક્સિનના ઘણા અભ્યાસ દરમિયાન સુરક્ષાને લીધે સારા પરિણામ જોવા મળ્યા છે. આ ઘણા મોટા જર્નલમાં પ્રકાશિત પણ થઈ ચુકી છે. કંપનીએ પોતાના નિવેદમાં કહ્યું કે સુરક્ષાને લીધે આ પ્રકારનો અભ્યાસનો અસર, જાણકારી પૂર્ણ બનાવવા કોઈપણ પૂર્વગ્રહથી બચવા કેટલાક ડેટાની જરૂર હોય છે. કંપનીએ કહ્યું કે સંશોધનમાં એવું જોવા મળે છે. કે, અભ્યાસમાં ભાગ લેતા પહેલા લોકોને એઈએસએલ પ્રોફાઈલ શું હતી આ પ્રકારના ડેટા બીએયુનું સંશોધનમાં સામેલ નથી.
સંશોધનથી કેટલું ડરવાની જરૂર?
ચેપી રોગ નિષ્ણાત તબીબના જણાવ્યા પ્રમાણે ભારતમાં જેટલી પણ રસી થઈ છે, તેમાં 90 ટકા લોકોએ કોવિશિલ્ડ લીધી છે અને આશરે 9.5 ટકા લોકોએ કોવેક્સિન લગાવી છે અને બીદા જેટલા વધ્યા તેઓએ બીજી કંપનીની રસી લીધી છે. તેઓ કહે છે કે આ અભ્યાસની સૌથી સારી વાત એ રહી કે આ બીએચયુએ કહ્યું કે પરંતુ આની સૌથી મોટી ખામી છે કે આમાં વસ્તીની સરખામણી નથી થઈ. જો આ સંશોધનમાં 1000 લોકોનો અભ્યાસ કરાયો હોત તો જેઓએ રસી લીધી છે તો એવા 1000 લોકોને સામેલ કરવો જોઈએ હતો. જેમને નહોતી રસી લીધી. અભ્યાસમાં નોન વેક્સિનેટેડ સબ્જેક્ટની સુરક્ષા પ્રોફાઈલની સરખામણી અને બીજી રસી લેનાર લોકોની સુરક્ષા પ્રોફાઈલની સરખામણી કરવી જોઈએ.
છેલ્લે ચેપી રોગ નિષ્ણાત તબીના જણાવ્યા પ્રમાણે એવું માનવું છે છે રિસર્ચ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ છે. જે એક જર્મન બ્રિટિશન કંપની છે. એસ્ટ્રેજેનેકા કોવિશિલ્ડ રસીને જર્મન કંપનીએ બનાવી હતી. જ્યારે કોવિશિલ્ડની બદનારી થઈ તો તેને ફાસ્ટ્રેક કરવાના પ્રયાસમાં આને પબ્લિશ કરાયો જેથી લોકો સુધી એ વાત પહોંચાડી શકાય કે કોવેક્સિન સેફ નથી.
કોવિશિલ્ડનો આખરે વિવાદ શું છે?
બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ કોર્ટમાં સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ-19 રસીથી ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. થોડા દિવસ પહેલા રસી પરત પણ ખેંચી લીધી હતી. આ રસીને આપણે ભારતમાં કોવિશિલ્ડના નામથી જાણીએ છીએ. એસ્ટ્રાજેનેકાએ આ રસીને યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડની સાથે મળીને તૈયાર કરી હતી અને આને સિરમ ઈન્સ્ટીટયૂટ સાથે ભાગીદારી કરી ભારત મોકલી. રસી લીધા બાદ મોત. લોહીનો ગઠ્ઠો અને બીજી સમસ્યાઓને લીધે એસ્ટ્રેજેનેકાને કાયદેસર કાર્યવાહીનો સામનો કરી રહી છે. ધણા પરિવારોએ આરોપ લગાવ્યો કે રસીને લીધે ગંભીર સાઈડ ઈફેક્ટ થયા છે.


