બેઠકમાં રાજય સરકાર ગરીબ,છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે માહિતી રજૂ કરવામાં આવી.
આવનાર 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિઘાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે.ટુંક સમયમાં લોકસભા વિસ્તારોની ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહજી પાર્ટીને ચૂંટણીમાં કેવી રીતે સારુ પ્રર્દર્શન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું તેમજ પ્રદેશ સગંઠન મહામંત્રી રત્નાકરજીએ પણ સંગઠનલક્ષી માહિતી આપી આવનાર કાર્યક્રમોની માહિતીનું માર્ગદર્શન આપ્યું હતું. આવનારા સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકો નું આયોજન કરવામાં આવશે તેમજ આજરોજ રજૂ કરેલ પ્રસ્તાવને આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યાર બાદ 5 કે 6 જાન્યુઆરી સુઘીમાં મંડળ કક્ષાએ અનુમોદન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની તૈયારીને ધ્યાને રાખી આવતીકાલે વિવિધ મોરચાની સંયુકત બેઠક કાર્યાલય ખાતે યોજાશે અને ત્યાર પછી જિલ્લા માં અને મંડળ કક્ષાએ પણ મોરચાની બેઠકોનું આયોજન કરવામાં આવશે. લોકસભા પ્રચાર પ્રસારની ટીમ તૈયાર કરવામાં આવશે જે કેન્દ્રની સુચના પ્રમાણે રાજયમાં પણ પ્રચાર પ્રસારનું કામ કરશે.આવનાર 15 તારીખ થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિઘાનસભા ના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે. આવનાર સમયમાં અનુસુચિત જાતિના સત્રસંવાદ, અનુસૂચિત જનજાતિના જનસંપર્ક સંમેલન, ઘર ઘર સંપર્ક અને ઓબીસી સમાજના સંમેલન,કિશાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટેના પ્રયત્નો મંડળ સ્તર સુધી કરશે. લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.