By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    43 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: તમારું ભાગ્ય ઘડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

તમારું ભાગ્ય ઘડો

Last updated: 2025/03/27 at 8:25 AM
3 months ago
Share
તમારું ભાગ્ય ઘડો
SHARE

અત્યારે આ ગ્રહ પર સૌથી મોટી સમસ્યા આ છે: જો તમારા જીવનમાં નાની વસ્તુઓ ખોટી રીતે થાય, તો તમે વિચારો છો કે તમારા દુ:ખ માટે કોઈ બીજું જવાબદાર છે. જો તમારા જીવનમાં મોટી વસ્તુઓ ખોટી રીતે થાય, તો તમે વિચારો છો કે ભગવાન જવાબદાર છે. તમે પોતે કોઈ પણ વસ્તુ માટે જવાબદાર હોવ એવું લાગતું નથી.

સમસ્યા એ છે કે તમે એક ગોળ ગ્રહ પર છો અને તે ફરી રહ્યો છે. બ્રહ્માંડમાં ક્યાંય એવું લખ્યું નથી કે `આ ઉપરની દિશા છે.’ જો તમને ખબર જ ન હોય કે કઈ દિશા ઉપરની છે, તો તમે અનિવાર્યપણે ખોટી દિશામાં ઉપર જોઈ રહ્યા છો. કેવી રીતે `ઉપર’ કોઈક વસ્તુ તમે શું છો તેના માટે જવાબદાર છે? હવે સમય આવી ગયો છે કે આપણે આ જવાબદારી લઈએ – પછી આપણે આપણાથી થાય તેટલું શ્રેષ્ઠ કરી શકીએ છીએ.

આ સંસ્કૃતિમાં હંમેશાં તમને કહેવામાં આવ્યું છે, `તમારું જીવન તમારું કર્મ છે.’ કર્મને સામાન્ય રીતે સજા કે ઇનામ તરીકે દર્શાવવામાં આવે છે, પણ તે એવું નથી. કર્મનો અર્થ કાર્ય છે. તમે તમારા જીવનની દરેક ક્ષણે, જાગૃત અવસ્થામાં અને ઊંઘમાં પણ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને ઊર્જાના સ્તરે કાર્યો કરી રહ્યા છો. આ અવિરત ક્રિયા એક ચોક્કસ પ્રકારની સ્મૃતિના રૂપમાં એકઠી થાય છે. તે બધી જ જાગરૂક સ્મૃતિ નથી, પંચાણુ ટકાથી વધુ અજાગરૂક સ્મૃતિ છે. આ એવું છે જાણે તમે એક અજાગરૂક સોફ્ટવેર બનાવી રહ્યા છો. જેમ જેમ આ વધે છે, આ સ્મૃતિ તમારી વૃત્તિઓ, તમે કેવી રીતે વર્તન કરો છો અને તમે કેવી રીતે પસંદગીઓ કરો છો તે નક્કી કરવા લાગશે. કેમ કે આ આપણી અંદરથી થઈ રહ્યું છે અને મોટાભાગના લોકો આ કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે જાગરૂક નથી, એટલે તમને એવું લાગે છે કે બીજી કોઈ શક્તિ ક્યાંકથી તમને અસર કરી રહી છે.

જ્યારે તમે કહો છો કે મારું જીવન મારું કર્મ છે, તમે જે કહી રહ્યા છો તે એ છે કે મારું જીવન મારું બનાવેલું છે. આ જીવવાની સૌથી ગતિશીલ રીત છે. આ એકમાત્ર સંસ્કૃતિ છે જ્યાં સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું છે કે તમારું જીવન ક્યાંક બીજી કોઈ શક્તિ દ્વારા બનાવવામાં આવતું નથી, તમારું જીવન દરેક ક્ષણે તમારા દ્વારા ઘડવામાં આવે છે, તે તમારું બનાવેલું છે. બસ વાત એ છે કે તમે તેને અજાગરૂક રીતે બનાવી રહ્યા છો. તમે જે અજાગરૂક રીતે કરી રહ્યા છો, જો તમે તે જ વસ્તુ જાગરૂક રીતે કરો, તો તમે તમારા પોતાના ભાગ્યના નિર્માતા બની જશો.

જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ છે કે તમે તમારા કર્મને તમારા હાથમાં લઈ રહ્યા છો. તમે ભૂતકાળના કર્મને બદલી શકતા નથી. તે ચાલતું રહે છે, પણ આજનું કર્મ સો ટકા તમારા હાથમાં છે. જો તમે આજના કર્મને સંપૂર્ણપણે તમારા હાથમાં લો, તો તમારા અનુભવના સંદર્ભમાં તમારી અંદર શું થાય છે તે તરત જ નક્કી કરી શકાય છે. તમારી આસપાસ શું થાય છે તે ચોક્કસ સમયગાળામાં નક્કી કરી શકાશે.

આ સંદર્ભમાં આપણે કર્મ વિશે વાત કરી રહ્યા છીએ. દરેક માણસે આજના કર્મને પોતાના હાથમાં લેવા જોઈએ, ગઈ કાલના કર્મ વિશે રડવું નહીં, કેમ કે તે બદલી ન શકાય, પણ જો તમે આજના કર્મને પોતાના હાથમાં લો છો, તો ગઈ કાલના કર્મનો તમે અત્યારે કેવા છો તેના પર કોઈ પ્રભાવ નથી અને અસ્તિત્વનો આ ગતિશીલ માર્ગ – એ જોવું કે મારું જીવન મારું બનાવેલું છે, તેમાં માણસને એક સીમિત વસ્તુમાંથી અસીમિત સંભાવનામાં રૂપાંતરિત કરવાનો સાર રહેલો છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
સ્પોર્ટ્સ

Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ

By 6 days ago
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?