આગામી જાન્યુઆરી 2026માં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી 20 અને ત્રણ વનડે શ્રેણી રમશે. આ વ્હાઈટ બોલની સીરીઝમાં બંને ટીમોના ખેલાડીઓને સારૂ પર્ફોમન્સ આપતાં જોઈ શકાશે. આ સીરીઝ માટે BCCIએ આઠ વેન્યુને શોર્ટ લિસ્ટ કર્યા છે. આ લિસ્ટમાં મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને બેંગ્લુરૂ સ્ટેડિયમનું નામ નથી. આ લિસ્ટમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમને સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જયપુર, મોહાલી, ઈન્દોર, રાજકોટ, ગુવાહાટી, હૈદરાબાદ, નાગપુર અને ત્રિવેન્દ્રમનો સમાવેશખ કરાયો છે. આ સ્ટેડિયમમાં અગાઉ પણ ઈન્ટરનેશનલ મેચો રમાઈ ચૂકી છે.
ICC ટી20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાશે
આ વ્હાઈટ બોલ સીરીઝમાં પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાશે અને ત્યાર બાદ પાંચ ટી 20 મેચ રમાશે. આ સીરીઝ ICC ટી 20 વર્લ્ડ કપ 2026 પહેલા રમાશે. જેમાં બંને ટીમોને ખૂબજ મદદ મળશે. કારણ કે ICC ટી20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની પ્રેક્ટિસ પણ આ ટુર્નામેન્ટ પહેલા થઈ જશે. ટીમ ઈન્ડિયાને આ વર્ષના ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરિઝ પણ રમવાની છે. જ્યારે સાઉથ આફ્રિકા સામે પણ તમામ ફોર્મેટમાં સીરીઝ રમવાની છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ
વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સીરીઝ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. જે કોલકાતા અને ગુવાહાટીમાં રમાશે. આ વચ્ચે ત્રણ વન ડે મેચ પણ રમાશે. જે રાંચી, રાયપુર અને વિજાગમાં હોસ્ટ કરાશે. ચાર ટી 20 મેચ કટક, ન્યૂ ચંડીગઢ, ધર્મશાળા અને લખનઉમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં રમાશે.
ICC ઈવેન્ટ પૂરી થયા બાદ IPL 2026ની શરૂઆત થશે
હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝની વાત કરવામાં આવે તો તે જાન્યુઆરી 2026માં રમાશે. ત્યાર બાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે. ICC ઈવેન્ટ પૂરી થયા બાદ IPL 2026ની શરૂઆત થશે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં ભારતીય ટીમના અનુભવી બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર પર્ફોર્મન્સ આપતા દેખાશે.