IPLમાં કેકેઆર માટે રમી ચૂકેલા શ્રીલંકાના પૂર્વ સ્પિન બોલર સચિત્ર સેનાનાયક મેચ ફિક્સિંગ કરતા પકડાઈ ગયા હતા. તેમને હમ્બનટોટાની અદાલતે લેકા પ્રિમિયર લીગ દરમિયાન તેમના સાથી કેલાડીને મેચ ફિક્સિંગ માટે લલચાવવાના આરોપમાં દોષી જાહોર કર્યા હતા. હવે એક સવાલ એવો છે કે ભારતમાં આ અંગે શું નિયમો છે? જો કોઈ મેચ ફિક્સિંગ કરતું પકડાઈ ગયું તો ભારતમાં તેને કેટલા વર્ષની જેલ થઈ શકે છે? ભારતીય ક્રિકેટ બોર્ડે તેને લઈને નિયમો બનાવ્યા છે. આવો, જાણીયે
ભુતકાળમાં ઘણા ખેલાડીઓ પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા છે, આમાંથી કેટલાયને બેન પણ કરી દેવાયા હતા. પરંતુ તમને જણાવી દીએ કે ભારતમાં તેને લઈને કોઈ વિશિષ્ટ કાયદાઓ નથી. પરંતુ BCCI મેચ ફિક્સિંગને લઈને હંમેશા સખ્ત રહ્યું છે. બોર્ડે આ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે.
ભારતમાં શું છે કાયદો?
મેચ ફિક્સિંગને લઈને ભારતમાં કોઈ નિયમ નથી. મોટા ભાગે આ પ્રકારના કેસમાં કલમ 420 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. જો કે આ કાયદા અંતર્ગત આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી થઈ શકતી નથી. ભારતમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગને ગેરકાયદેસર માનવામાં આવે છે. સટ્ટાબાજી માટે પણ કોઈ ખાસ કાયદો ભારતમાં નથી. ગણા દેશોમાં તે લિગલ છે તો ઘણા દેશોમાં તેના પર બેન લગાવવામાં આવ્યો છે.
BCCIનું કડક વલણ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ મેચ ફિક્સિંગને લઈને હંમેશા એલર્ટ રહે છે. આ રીતના કેસોમાં બોર્ડ સખત કાર્યવાહી પણ કરે છે. મેચ ફિક્સિંગને રોકવા માટે બીસીસીઆીએ કોડ ઓફ કન્ડક્ટ અને એન્ટી કરપ્શન યુનાઈટ પણ બનાવી છે. મેચ ફિક્સિંગના આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમના પર આજીવન બેન પણ લાગી શકે છે.