ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ આજે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચ વચ્ચે ક્રિકેટ રસિકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતાં ગુજરાતના ઘણા મોટા બુકીઓને જલસા પડી ગયા છે. ગુજરાતના 2 ડઝનથી વધુ બુકીઓ દુબઈ જઈને બેઠા છે તો તેમના હાથ નીચે આશરે 150 બુકીઓ અન્ય જગ્યાઓ પરથી નેટવર્ક ચલાવી રહ્યા છે.
સટ્ટાબજારમાં ભારતની જીતનો ભાવ 44 પૈસા
સુત્રો જણાવી રહ્યા છે કે આ સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરિફાઈ વધી ગઈ છે, બુકીઓને અનેક પ્રકારના લાભ પણ આપવામાં આવી રહી છે, ખાવા-પીવાનું અને એર ટિકિટ, હોટલ રૂમ મફતમાં આપવામાં આવી રહ્યું છે. હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચમાં ભારતની જીતનો ભાવ 44 પૈસા છે અને ન્યુઝીલેન્ડની જીતનો સવા બે રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. જો કે તમામ માહિતી સુત્રો જણાવી રહ્યા છે, સંદેશ ન્યુઝ તેની કોઈ પુષ્ટી કરતું નથી.
ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો
ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા છે. કિવી ટીમ માટે માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી છે. તેને 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ડેરિલ મિચેલે 101 બોલમાં 63 રન બનાવ્યા છે. તેને 3 ચોગ્ગા ફટકાર્યા છે. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી છે. જ્યારે વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 45 રન આપ્યા અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપ્યા છે. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 30 રન અને મોહમ્મદ શમીએ 9 ઓવરમાં 74 રન આપ્યા છે.


