- તરસાલી હાઈવે પર સર્વોતમ હોટલમાં બની ઘટના
- ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લીધો
- મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માગી
વડોદરાની હોટલના સુપમાં મરેલી ગરોળી નીકળી છે. જેમાં તરસાલી હાઈવે પર સર્વોતમ હોટલમાં આ ઘટના બની છે. તેમાં ગ્રાહકને ખબર પડતા હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો. જેમાં મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માગી હતી. ત્યારે ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં ગ્રાહકના પરિવારના લોકો મરેલી ગરોળી વાળુ અળધુ સુપ પી ગયા હતા.
ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો
તરસાલી હાઈવે સ્થિત સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલ સુપમાંથી મરેલી ગરોળી નિકળી હતી. ગ્રાહકના પરિવારના લોકો મરેલી ગરોળી વાળુ અળધુ સુપ પી જતા હોબાળો મચ્યો હતો. તેમજ ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો. મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માગી હતી. જેમાં ગ્રાહકે કહ્યું કે અમારા પરીવારના સદસ્યોએ કશું થયું તો જવાબદાર કોણ હશે. ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો છે. જેમાં વારંવાર ખાદ્ય પદાર્થમાં જીવ જંતુ નિકળે છે.
લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી
અમદાવાદમાં શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો. જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું.


