By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત
    ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત
    1 week ago
    જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે
    જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે
    1 week ago
    ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો
    ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો
    1 week ago
    હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર
    હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર
    1 week ago
    દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી
    દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો

AgraGujarat Rajkot
Last updated: 2025/08/14 at 2:02 AM
1 week ago
Share
કૃષ્ણભક્તિમાં નખશિખ તરબોળ થયેલા વ્હાલા કૃષ્ણભક્તો
SHARE

યોગેશ્વર શ્રીકૃષ્ણના તો અનેક ભક્તો હતા, જેમણે કૃષ્ણભક્તિની જ્યોત જલાવી હતી. જન્માષ્ટમીએ કરોડો ભક્તો શ્રીકૃષ્ણની ભક્તિ કરશે ત્યારે જાણીએ ઇતિહાસના કેટલાક મહાન કૃષ્ણભક્તો વિશે.

રાધાજી

રાધાજીને શ્રીકૃષ્ણની પરમ ભક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. રાધાકૃષ્ણનો પ્રેમ અલૌકિક અને આધ્યાત્મિક છે, જેમાં રાધા ભક્તિના સર્વોચ્ચ શિખરે બિરાજમાન છે. તેમની ભક્તિ એવી હતી કે કૃષ્ણનું નામ રાધાના નામ વગર અધૂરું ગણાય છે. રાધાની ભક્તિમાં કોઈ અપેક્ષા નહોતી, માત્ર શુદ્ધ પ્રેમ અને સમર્પણ હતું. રાધાનું નામ લેવાથી શ્રીકૃષ્ણ પોતે પ્રસન્ન થાય છે, એવું માનવામાં આવે છે. તેમનું જીવન ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે આજે પણ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે.

અર્જુન

અર્જુન શ્રીકૃષ્ણના પરમ મિત્ર, સખા અને શિષ્ય હતા. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ તેમના સારથિ બન્યા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનો સામે લડવાથી પીછેહઠ કરી રહ્યા હતા, ત્યારે શ્રીકૃષ્ણએ તેમને શ્રીમદ ભગવદ્ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતામાં કૃષ્ણએ અર્જુનને કર્તવ્ય, કર્મ અને ધર્મનું મહત્ત્વ સમજાવ્યું. અર્જુનનો કૃષ્ણ પ્રત્યેનો સંબંધ માત્ર મિત્રતા પૂરતો સીમિત નહોતો, પરંતુ તે એક શિષ્ય તરીકે કૃષ્ણના ઉપદેશોને આત્મસાત્ કરનાર એક શ્રેષ્ઠ ભક્ત પણ હતો.

મીરાંબાઈ

મીરાંબાઈ પણ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતાં. તેમણે પોતાનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણની ભક્તિમાં અનેક ભજનો અને પદોની રચના કરી, જે આજે પણ ભક્તિસંગીતમાં ખૂબ પ્રચલિત છે. તેમનો પ્રેમ કૃષ્ણ પ્રત્યે એટલો ઊંડો હતો કે તેમણે સમાજ અને રાજવી પરિવારનાં બંધનોનો ત્યાગ કરી દીધો હતો. મીરાંબાઈ કૃષ્ણને પોતાના પતિ માનતાં હતાં અને તેમની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયાં હતાં. તેમની ભક્તિમાં રહેલી તીવ્રતા અને સમર્પણે તેમને એક અવિસ્મરણીય ભક્ત બનાવ્યાં છે.

સુદામા

સુદામા શ્રીકૃષ્ણના બાળપણના મિત્ર અને પરમ ભક્ત હતા. સુદામા અત્યંત ગરીબ હોવા છતાં તેમની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અડગ હતી. જ્યારે તેઓ દ્વારકા ગયા ત્યારે કૃષ્ણએ તેમનું ખૂબ સન્માન કર્યું. કૃષ્ણએ તેમના ગરીબ મિત્રના ચરણ ધોઈને અને તેમને સત્કારીને સાબિત કર્યું કે મિત્રતામાં કોઈ ભેદભાવ હોતો નથી. સુદામાની ભક્તિ અને નિ:સ્વાર્થ પ્રેમે કૃષ્ણનું હૃદય જીતી લીધું હતું. સુદામાનું આતિથ્ય કરીને કૃષ્ણે તેમની ગરીબી દૂર કરી અને તેમને સમૃદ્ધિ આપી, જે દર્શાવે છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી.

 નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ અને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમના જીવનમાં અનેક ચમત્કારો બન્યા હતા, જેને ભગવાને પોતે ભક્તની લાજ રાખવા માટે કર્યા હતા. જેમ કે, શ્રાદ્ધ વખતે ભગવાન કૃષ્ણે પોતે પિતૃઓના રૂપમાં ભોજન ગ્રહણ કર્યું હતું અને એક વાર તેમની હૂંડી પણ સ્વીકારી હતી. તેમનું પ્રખ્યાત ભજન `વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીને ખૂબ પ્રિય હતું. નરસિંહ મહેતાએ કૃષ્ણની ભક્તિને જીવનનો મુખ્ય હેતુ બનાવ્યો હતો.

અક્રૂર

અક્રૂર શ્રીકૃષ્ણના કાકા અને કૃષ્ણભક્ત હતા. કંસના કહેવાથી તેઓ કૃષ્ણ અને બલરામને મથુરા લઈ જવા માટે ગોકુળ આવ્યા હતા. રસ્તામાં યમુના નદીમાં સ્નાન કરતી વખતે તેમને પાણીમાં કૃષ્ણ અને બલરામનાં દર્શન થયાં. આ દૃશ્ય જોઈને તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને કૃષ્ણના દિવ્ય સ્વરૂપને ઓળખી ગયા. અક્રૂરને ભક્તિ અને વિનયના પ્રતીક માનવામાં આવે છે. તેમણે મથુરામાં શ્રીકૃષ્ણનો અર્જુન અને ઉદ્ધવ સાથે પરિચય કરાવ્યો. તેમની ભક્તિ એવી હતી કે તેમને ભગવાનનાં દર્શન જળમાં થયાં, જે તેમની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે.

ઉદ્ધવ

ઉદ્ધવ શ્રીકૃષ્ણના પરમ મિત્ર અને સલાહકાર હતા. તેઓ કૃષ્ણ જેવા જ દેખાતા હતા. ઉદ્ધવ વિદ્વાન અને જ્ઞાની હતા, પણ તેમને ભક્તિની શક્તિનો સંપૂર્ણ અનુભવ નહોતો. જ્યારે કૃષ્ણ મથુરામાં હતા, ત્યારે તેમણે ઉદ્ધવને ગોકુળ મોકલ્યા, જેથી તેઓ ગોપીઓને આશ્વાસન આપી શકે. ઉદ્ધવે ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, પરંતુ ગોપીઓએ કૃષ્ણ પ્રત્યેના તેમના નિ:સ્વાર્થ પ્રેમ અને ભક્તિથી ઉદ્ધવને અહેસાસ કરાવ્યો કે જ્ઞાન કરતાં ભક્તિનું મહત્ત્વ વધુ છે. આ ઘટના પછી ઉદ્ધવ એક પરમ ભક્ત બની ગયા, જેમણે કૃષ્ણની ભક્તિના માર્ગને સ્વીકાર્યો.

કૃષ્ણ તૈયાર થાય છે

તમે રમઝટ બોલાવજો

સાકર-માખણ સાથે ઝભલાં ને ટોપી,

 શુકનમાં શ્રીફળ લઈને રે,

 હાલો હાલોને નંદ ઘેર જઈએ રે.

 નંદજીને ઘેર આજ આનંદ ભયો રે,

 વધામણાં લઇને જઈએ રે. હાલો હાલો…

 આસોપાલવનાં તોરણ બંધાવીએ,

 કુમકુમના સાથિયા પુરાવીએ રે. હાલો હાલો…

 લાલાના ભાલમાં તિલક સજાવીએ,

 ફૂલડાની માળા પહેરાવીએ રે. હાલો હાલો…

 માખણ ને મિસરીનો ભોગ ધરાવીએ,

 ઝભલાં ને ટોપી પહેરાવીએ રે. હાલો હાલો…

 સોનાનું પારણું ને રેશમની દોર છે,

 લાલાને પ્રેમથી ઝુલાવીએ રે. હાલો હાલો…

 અબીલ ગુલાલની છોળો ઉડાડીએ,

 હેતે હાલરડાં ગવડાવીએ રે. હાલો હાલો…

 કંચનની થાળીમાં કપૂર મુકાવીએ,

 લાલાની આરતી ઉતારીએ રે. હાલો હાલો…

 નાચી કૂદીને રૂડો ઉત્સવ મનાવીએ,

 વૈકુંઠનું સુખ ભૂલી જઈએ રે. હાલો હાલો…

મોરપીંછ

કૃષ્ણના મુગટ પર સજેલું મોરપીંછ ખૂબ જ સુંદર અને મોહક પ્રતીક છે. હિન્દુ ધર્મમાં ધનની દેવી કહેવાતાં માતા લક્ષ્મી અને દેવી સરસ્વતી પાસે પણ મોરપીંછ જોવા મળે છે. તે બ્રહ્માંડના રંગો, શાશ્વતતા અને સુંદરતાનું પ્રતીક છે. કેટલાક લોકો માને છે કે મોરપીંછ સમયના ચક્ર અને બ્રહ્માંડની રચનાનું પણ પ્રતીક છે. અલબત્ત, પીંછું જોતાં જ સૌથી પહેલાં ભગવાન કૃષ્ણ સૌનાં મનમાં રમતા થઇ જાય છે. ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે મોરપીંછમાં તમામ દેવી-દેવતાઓ અને નવ ગ્રહનો વાસ હોય છે.

You Might Also Like

ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલું ભારતનું અનોખું ફિલ્મી જગત

જન્માષ્ટમીએ આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સંતતિ મળશે

ભારતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં આપણાં પૌરાણિક શ્રીકૃષ્ણ મંદિરો

હરિ તારાં નામ છે હજાર અને તારી લીલા તો વળી અપરંપાર

દેશના દરેક ખૂણામાં ભવ્ય રીતે ઉજવાય છે કૃષ્ણપર્વ જન્માષ્ટમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Delhi Fire : રાજા ગાર્ડનમાં મહાજન ઈલેક્ટ્રોનિક્સમાં લાગી ભયંકર આગ, 4 લોકોના મોત
રાષ્ટ્રિય

Delhi Fire : રાજા ગાર્ડનમાં મહાજન ઈલેક્ટ્રોનિક્સમાં લાગી ભયંકર આગ, 4 લોકોના મોત

By 3 days ago
Eradication of Diseases: વૈજ્ઞાનિકોનો દાવો, વર્ષ 2030 સુધીમાં કેન્સર, અંધત્વ અને લકવાની બિમારીઓ કરી શકાશે નાબૂદ | Gujarat News
Online Gaming Bill : સટ્ટાબાજીવાળી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર
World Mosquito Day : મચ્છર કરડવાને ના કરો નજરઅંદાજ, આ દુર્લભ બીમારીથી કેટલાક કિસ્સામાં મોતનું જોખમ
Lifestyle : પાચનતંત્રથી લઇને વેટ લોસ સુધી આ પાન છે ફાયદેમંદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?