By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    7 days ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 week ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Editor
Last updated: 2025/06/20 at 5:28 PM
7 days ago
Share
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં
SHARE

બાયોસાયન્સ, મનોવિજ્ઞાન સહિતનાં ભવનોમાં છાત્રો-અધ્યાપકો માથે જીવનું જોખમ

અગ્ર ગુજરાત, રાજકોટ

[ પ્રતીપાલસિંહ  ઝાલા ]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જર્જરીત 29 ભવનોએ ચોમાસાના પ્રારંભે જ આફત સર્જી છે. સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી પડવાની સાથે જર્જરીત બાંધકામની પોલ પણ ખુલી ગઈ છે. 56 વર્ષ જૂના બાયોસાયન્સ ભવનમાં છતમાંથી લોખંડના સળિયા દેખાવાની સાથે ભારે ભેજ તેમજ જીવતા વીજ વાયરે જોખમ સર્જાતા 2 માળના બિલ્ડીંગના ઉપરના માળે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્ય સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે. જ્યારે મનોવિજ્ઞાન ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને 2 વર્ગખંડમા વરસાદી પાણી ટપકતા મુશ્કેલી સર્જાઈ છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક્સ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, કાયદા, હોમ સાયન્સ, લાઇબ્રેરી સાયન્સ અને હિન્દી ભવનમાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. જેનું મૂળ કારણ એ છે કે યુનિવર્સિટીના તમામ ભવનોની અગાસી ઉપર ડામર પાથરવામાં આવ્યો છે અને તે પણ ખૂબ જ હલકી કક્ષાનો છે. આ તમામ અગાસીઓ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે તમામ ભવનોમાં પાણી નીચે ઉતરે છે અને તેથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે.જોકે આ મામલે બાંધકામ વિભાગ કાર્યવાહી કરી રહ્યુ હોવાનું કુલપતિએ કહ્યુ છે અને અન્ય કંઈપણ બોલવાનું ટાળ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ કે જે યુજીસી માન્ય સેન્ટર ઑફ એડવાન્સ સ્ટડી પણ છે. વર્ષ 1969 માં સ્થપાયેલા આ ભવનનું 2 માળનું બિલ્ડિંગ 56 વર્ષ જૂનું છે. આ એ ભવન છે કે જેના ભૂતપૂર્વ પ્રોફેસર સુમિત્રા વી. ચંદાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના ટોપ 2 % સાયન્ટિસ્ટમાં ગણના કરવામાં આવી છે. અહીં મૃત પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

કમનસીબની વાત એ છે કે વર્ષો જૂના આ ભવનમાં વરસાદને કારણે બિલ્ડીંગનો ઉપરનો માળ કે જ્યાં બાયો સાયન્સ મ્યુઝિયમ આવેલું છે અને વર્ગખંડો તેમજ અધ્યાપકોની ઓફિસો પણ આવેલી છે તે ખાલી કરી નાખવો પડ્યો છે. કારણ કે અહીં વરસાદને કારણે છતમાંથી ગંભીર રીતે પોપડા તો ખરી જ ગયા છે પરંતુ બાંધકામ પણ નબળું પડી ગયું છે. લાઇટિંગ સહિતના જીવતા વાયરો પણ બહાર દેખાઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના જીવ પર ગંભીર જોખમ સર્જી શકે તેમ છે જેના લીધે આ ભવનના ઉપરના માળમાં વર્ગખંડોમાં બેસી ભણતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને APJ અબ્દુલ કલામ સેન્ટરમાં શિફ્ટ કરવા પડ્યા છે.


આ ભવનના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાયોસાયન્સ ભવનમાં એમ. એસસી. માં 200 અને પીએચ.ડી. માં 25 કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં અગાઉ છ ક્લાસરૂમ હતા, પરંતુ ઉપરનો માળ બંધ કરી દેવામાં આવતા તેમાંના ત્રણ ક્લાસરૂમ એપીજે અબ્દુલ કલામ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેથી પ્રથમ અને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અહીં આ ભવનમાં અભ્યાસ કરાવવામાં આવે છે અને ત્રીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અબ્દુલ કલામ સેન્ટરમાં અભ્યાસ માટે જવાનું થાય છે. અહીં 5 ટીચિંગ લેબોરેટરી અને 10 રિસર્ચ લેબોરેટરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા 46 વર્ષ જૂના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પણ વરસાદને કારણે છતમાંથી ભેજ પડવા સહિતની સમસ્યા સામે આવી છે. વર્ષ 1979 માં નિર્માણ પામેલી બિલ્ડીંગના બહારના ભાગે પણ દિવાલમાં અનેક જગ્યાએ તડ પડેલી જોવા મળી છે. અહીંના વર્ગખંડ અને સેમીનાર હોલમાં પણ છતમાંથી પાણી પડતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ સમયે અહીં અધ્યક્ષ યુ.સી. ભોયા સહિતના એક પણ અધ્યાપક હાજર ન હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 1969 માં નિર્મિત ઇતિહાસ ભવન, 1976 માં લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, 1979 માં મેથેમેટિક્સ ભવન, 1987 માં સ્થપાયેલું ઇલેક્ટ્રોનિક ભવન, હોમ સાયન્સ ભવન, 1995 માં સ્થપાયેલું હિન્દી ભવન, વર્ષ 1979 માં કાયદા ભવન સહિતના ભવનો કે જે 30 થી 40 વર્ષ જેટલા જૂના છે ત્યાં વરસાદી પાણીથી મુશ્કેલી સામે આવી છે.આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમુક ભવનોમાં ચોમાસામાં વરસાદને કારણે છતમાંથી પાણી ટપકવા ઉપરાંત ભેજની સમસ્યા ધ્યાને આવી છે. જેથી બાંધકામ વિભાગ આ બાબતે કાર્યવાહી કરી રહ્યું છે.

લાઇબ્રેરીમાં વરસાદી પાણીને કારણે પુસ્તકોને ભેજથી નુકસાનની પહોંચવાની ભીતિ:ડૉ. યોગેશ જોગસણ

મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસનના જણાવ્યા અનુસાર અહીં એમ.એ. માં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન કે જેની સ્થાપના 20-11-1989 ના થઈ છે. 35 વર્ષ જૂના આ ભવનમાં લેબોરેટરી, લાઇબ્રેરી અને બે વર્ગખંડમાં છતમાંથી વરસાદી પાણી ટપકે છે. લેબોરેટરીમાં તો છતમાંથી પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળીયા દેખાઈ રહ્યા છે. ચાલુ વરસાદે તો અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. જેને કારણે લેબોરેટરીના સાધનો અને બેન્ચ સાચવીને રાખવા પડે છે. આ ઉપરાંત લાઇબ્રેરીમાં વરસાદી પાણીને કારણે પુસ્તકોને ભેજ લાગતા નુકસાન પહોંચવાની ભીતિ છે.
આ વર્ષે 40ની સીટ સામે 191 વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે.

You Might Also Like

PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ

Congressની ખુરશી ખતરામાં હતી એટલે ઈમરજન્સી લાગુ કરી હતી: અમિત શાહ

અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ

India: 108 દિવસમાં 30 પત્નીઓની પતિઓએ હત્યા કરી, પતિ-પત્ની બંધનની ક્રૂરતાથી હત્યા

Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો

TAGGED: agra gujarat, monsoon, rajkot news, saurastr univarsity
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry1
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran Israel War: નિશાન તાક્યું, ફાયર કર્યું અને સેકેન્ડોમાં ઈરાન તબાહ!
આંતરરાષ્ટ્રીય

Iran Israel War: નિશાન તાક્યું, ફાયર કર્યું અને સેકેન્ડોમાં ઈરાન તબાહ!

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ
Knowledge: ફાઈટર જેટ પર કેમ લગાવવામાં આવે છે લાલ રંગનો ટેગ?
Knowledge: ઈરાન હજુ સુધી કેમ ના બનાવી શક્યો પરમાણુ હથિયાર?
Knowledge: હિટલરે કેમ આપ્યો હતો આખો દેશ ગિફ્ટમાં, કારણ જાણી ચોંકી જશો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?