- ઈન્દ્રલોક સ્ટેશન પર એક 35 વર્ષીય મહિલા મેટ્રો ટ્રેન નીચે ફેંકાઈ ગઈ
- મહિલાની સાડી મેટ્રોના દરવાજામાં ફસાઈ ગઈ હતી
- ઇજાગ્રસ્ત હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી
દિલ્હી મેટ્રોના ઈન્દ્રલોક સ્ટેશન પર અકસ્માતનો ભોગ બનેલી મહિલાનું શનિવારે મૃત્યુ થયું હતું. ગુરુવારે ઈન્દ્રલોક સ્ટેશન પર એક 35 વર્ષીય મહિલા મેટ્રો ટ્રેન નીચે ફેંકાઈ ગઈ હતી. અકસ્માતનું કારણ એ હતું કે મહિલાની સાડી મેટ્રોના દરવાજામાં ફસાઈ ગઈ હતી. આ પછી મહિલા પડી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે મેટ્રોના દરવાજા બંધ થઈ રહ્યા હતા.અકસ્માત બાદ તરત જ મેટ્રો અધિકારીઓએ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં શનિવારે તેનું મોત નીપજ્યું હતું. રીના નામની મહિલા ગુરુવારે મેટ્રો ટ્રેન નીચે આવી ગઈ હતી.
આ ઘટના ગુરુવારે ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર બની હતી
વાસ્તવમાં તેની સાડીનો એક ભાગ મેટ્રોના દરવાજામાં ફસાઈ ગયો હતો. જો કે મહિલા ટ્રેનમાંથી ઉતરી રહી હતી કે ટ્રેનમાં ચઢી રહી હતી તે જાણી શકાયું નથી.આ ઘટના ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર બની હતી.
મહિલા મુસાફરના કપડા ટ્રેનમાં ફસાઈ ગયા
દિલ્હી મેટ્રોના મુખ્ય જનસંપર્ક અધિકારી અનુજ દયાલે જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર બની હતી. એક મહિલા મુસાફરના કપડા ટ્રેનમાં ફસાઈ ગયા, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ અને બાદમાં શનિવારે હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું. મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર આ ઘટનાની તપાસ કરશે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં આ મામલે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે અને જરૂર પડશે તો કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવશે.
મહિલાના પતિનું 7 વર્ષ પહેલા અવસાન થયું હતું
મહિલાના સંબંધી વિકીએ જણાવ્યું કે તે પશ્ચિમ દિલ્હીના નાંગલોઈથી મોહન નગર જઈ રહી હતી. તેણે કહ્યું, “જ્યારે તે ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર પહોંચી અને ટ્રેન બદલી રહી હતી, ત્યારે તેની સાડી ફસાઈ ગઈ. તે પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. શનિવારે સાંજે તેનું મૃત્યુ થયું.” રીનાના પતિનું લગભગ સાત વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.


