By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રણ માફીયા બન્યા બેફામ: કચ્છના નાના રણમાં તદ્દન જંગલ રાજ જેવી સ્થિતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાતન્યૂઝ

રણ માફીયા બન્યા બેફામ: કચ્છના નાના રણમાં તદ્દન જંગલ રાજ જેવી સ્થિતિ

agragujaratnews
Last updated: 2024/05/17 at 5:43 PM
1 year ago
Share
રણ માફીયા બન્યા બેફામ: કચ્છના નાના રણમાં તદ્દન જંગલ રાજ જેવી સ્થિતિ
SHARE

ટૂંક સમયમાં બીજીવાર નમકના અગર મુદ્દે બંદુકના ભડાકા થયા,વનતંત્ર, પોલીસ અને જવાબદારોનું વર્તન જ બેજવાબદારી ભર્યું

સાંતલપુરના ખોટા અગરિયાઓ સામે કાર્યવાહી તો અહી કેમ નહી.!!!

ઘુડખર અભ્યારણ્યમાં જેટલા દબાણકારો જવાબદાર છે એટલું જ વન વિભાગ પણ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

કચ્છનું નાનું રણ એટલે રણમાફિયા માટે સફેદ સોના ની ખાણ આ વર્ષે શિકારપુરથી આડેસર સુધી કચ્છના નાના રણમાં અંદાજે એક લાખ એકર કરતા વધારે બિન અધિકૃત કબ્જો કરીને રણ માફિયા દ્વારા 1500થી 1800કરોડ રૂપિયાનું મીઠુ પકવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી હતી તેમાંના કોઈ રૂપિયો સરકારને આવક થઇ નથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરીને સરકારની તેજોરીને છેલ્લા 15 વર્ષેથી અરબો રૂપિયાનું નુકસાન થયેલ છે છતાંય તંત્રની આંખ ઉંઘડતી નથી. વનતંત્ર પણ ચૂપ છે તે ગંભીર બાબત છે.

Contents
ટૂંક સમયમાં બીજીવાર નમકના અગર મુદ્દે બંદુકના ભડાકા થયા,વનતંત્ર, પોલીસ અને જવાબદારોનું વર્તન જ બેજવાબદારી ભર્યુંસાંતલપુરના ખોટા અગરિયાઓ સામે કાર્યવાહી તો અહી કેમ નહી.!!!ઘુડખર અભ્યારણ્યમાં જેટલા દબાણકારો જવાબદાર છે એટલું જ વન વિભાગ પણ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

સાંતલપુરમાં આવા ખોટા અગરિયાઓ સામે પિટિશન થયા બાદ માંડ માંડ ઘુડખર વિભાગ જાગ્યું હતું બાદમાં કાર્યવાહી થઈ હતી. આમ ઘુડખર વિભાગ વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યું છે.અને ઢીલી નીતિ ના કારણે ખુંન ખરાબા વારંવાર થાય છે તેમ છતાં ઘુડખર વિભાગના કર્મચારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. 2 દિવસ અગાઉ જ કાનમેર પાસે રણમાં બિન અધિકૃત જમીન પર મીઠાંના અગરો બનાવવા માટે બે જૂથ સામે સામા આવી ગયા હતા તેમાં ફિલ્મી ઢબે ગેંગવોર થતા એક જૂથે ફાયરિંગ કરતા ચાર લોકોને ઇજા થઇ હોવાનું જાણવા સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. જે મળતી માહિતી મુજબ એક યુવાન દિનેશ કોલીને માથા ભાગે બંદૂકની ગોળી વાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં એક જૂથના 17 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી..

શિકારપુરથી આડેસર સુધીના રણમાં ગેંગવોરનું કારણ વન વિભાગની ઢીલી નીતિ શિકારપુર થી આડેસર સુધી અંદાજે એક લાખ એકર કરતા વધારે જમીન પર બિન અધિકૃત કબ્જા કરી ને તેમાં મીઠાંના અગરો બનાવી દેવામાં આવ્યા તોય વન વિભાગ ની આંખ ના ઊધડી અને કબ્જા માટે એક બીજા જૂથ ખૂન ખરાબા સુધી પહોંચી ગયા તેનું કારણ છે વન વિભાગની ઢીલી અને ભ્રષ્ટનિતી હોવાનુ લોક મુખે ચર્ચાય છે.

મળતી માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા અનુસાર બોગસ અગર માલિકો બનાવાયા રણમાં બિન અધિકૃત રીતે કબ્જો કરીને મીઠુ પકવતા કહેવાતા ઉદ્યોગપતિઓએ દાલતને પણ ગેરમાર્ગે દોરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.અમુક મહિના પૂરતું સ્ટે લેવાયું તેની કોપી મળતા જાણવા મળ્યું કે તેમાં અમુક એવા નામો છે કે મીઠાં અગરો સાથે કોઈ લેવાદેવા નથી અને અમુક પુરા પરિવારના નામો રાખીને સ્ટે લેવામાં આવ્યો છે. હાઇકોર્ટ તમામ સ્ટે માંગનારને કોર્ટ માં બોલાવી ને એફિડેવિટ કરાવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેવી વકી છે. અમુક લોકો દુનિયામાં નથી ને તેમના નામે સ્ટે માંગવામાં આવ્યો અને મળ્યો પણ છે.

સેટલમેન્ટના નામે ગુડખરના અભ્યારણ્યમાં ઢીલાશ કચ્છના નાના રણમાં કોઈ દબાણ બાબતે રજુઆત કરે તો વન વિભાગના અધિકારીઓ સેટલમેન્ટનું બહાનું ધરીને આગળની કોઈ કામગીરી કરતા નથી. ઘુડખર અભ્યારણ્યમાં જેટલા દબાણકારો જવાબદાર છે એટલું જ વન વિભાગ પણ જવાબદાર છે.

વીજ જોડાણ સુધ્ધા ગેરકાયદે ગુજરાતમાં સૌથી મોટુ લેન્ડ કૌભાંડ કહીએ તો કચ્છના નાના રણમાં થઇ ચૂક્યું છે. સાવ બોગસ નામે વીજલાઇનો ખેંચીને જોડાણ અપાયાનુ પકડાઇ ચૂક્યું છે છતાં આજે લાઇનો છે. દબાણો સામે વન વિભાગ મૌન સામાન્ય માણસ 100 ચોરસ વાર નો પ્લોટ દબાણ કરે તો તંત્ર દ્વારા લેન્ડગ્રેબીગનો કેસ કરી દેવામાં આવે છે ત્યારે રણમાં તો ઘુડખર અભ્યારણ્યમાં લાખો એકરમાં બિનઅધિકૃત કબ્જો કરી ને મીઠુ પકાવાય છે તોય વન વિભાગ તેમની સામે કોઈ કાર્યવાહી કરતુ નથી અને તેથી જ વખતોવખત શસ્ત્રોનો છૂટથી ઉપયગ થાય છે અને કાયદો-વ્યવસ્થાને જ પાડી દેવાય છે.

કચ્છના નાના રણમાં નેતાઓની બુરી નજર શિકારપુર થી આડેસર સુધી 1 હજાર થી દસ હજાર એકર પર કબ્જા કરવામાં આવ્યા છે તેમાં અનેક મોટા નેતાઓ ભાગીદાર હોવાનું ચર્સાચાય છે. આ રણમાં જે ગેંગવોર થઇ રહી છે તે તો ભાડુતી માણસો છે અસલી આકાઓ પરદા પાછળ રહીને પુરી રમત રમી રહ્યા છે.રણના રખોપા SRP કરશે તેવા દાવા પોકળ સાબિત થયા થોડા દિવસો પેહલા ઘુડખર અભ્યારણ્ય વિભાગના નાયબ વન સંરક ધવલ ગઢવીએ મિડીયાને કહ્યુ હતું કે રણના રખોપા એસઆરપી કરશે. આ દાવો પોંકળ સાબિત થયો છે. ફક્ત કાગળો પર એસઆરપી રેખદેખ કરતી હોય તેવું ચિત્ર છે. ફાયરિંગ બાબતે ડી.એફ.ઓ.ને પૂછતા તેમણે જણાવ્યૂ કે અમારી ટીમ તપાસ કરવા ગઇ છે ત્યાં રિપોર્ટ આવે પછી કહી શકીએ. આમ ઘુડખર પોતાના વિસ્તારમાં કેટલાય લુખ્ખા તત્વોએ જમીનો પચાવી છે છતાં કાર્યવાહી થતી નથી ત્યારે સાંતલપુર રણમાં જેમ પિટિશન થઈ તેમ કોઈ જાગૃત નાગરિક પિટિશન કરશે ત્યારે જ ઘુડખર કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
રાષ્ટ્રિય

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

By 2 days ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?