By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન વિષ્ણુના સંદેશવાહક દેવર્ષિ નારદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન વિષ્ણુના સંદેશવાહક દેવર્ષિ નારદ

Last updated: 2025/05/08 at 12:08 PM
3 months ago
Share
ભગવાન વિષ્ણુના સંદેશવાહક દેવર્ષિ નારદ
SHARE

દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા. નારદજી પૂર્વજન્મમાં એક ગંધર્વ હતા અને પછી તેઓ બ્રહ્માજીના સાત માનસપુત્રોમાંથી એક પુત્ર તરીકે વૈશાખ વદ એકમના દિવસે અવતર્યા. નારદજી અહીંની વાત ત્યાં કરતા અને ત્યાંની વાત અહીં. તેઓ બે લોકો વચ્ચે આગ લગાવવાનું કામ કરવા માટે ઘણા પ્રસિદ્ધ હતા, પરંતુ તેમના આમ કરવા પાછળ કોઈ ચોક્કસ હેતુ હતો. તેમને મનુષ્ય, દેવ, દાનવ એમ સૌ કોઈ માનતા હતા. તેઓ જ્યાં પણ જાય ત્યાં માન-સન્માન મળતું. તેમને સંપૂર્ણ બ્રહ્માંડની ખબર રહેતી કે ક્યાં શું થઈ રહ્યું છે, તેથી કહી શકાય કે તેઓ દુનિયાના પહેલા પત્રકાર હતા. તેમના હાથમાં વીણા રહેતી અને મુખ પર નારાયણ-નારાયણનો જાપ. સતત ભ્રમણ કરતા રહેતા અને સંદેશાઓ આપતા-પહોંચાડતા રહેતા.

ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંથી દેવર્ષિ નારદને ત્રીજો અવતાર માનવામાં આવે છે. નારદજીને સંગીતના આદ્ય આચાર્ય માનવામાં આવે છે.

કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધા જ જીવોનું કલ્યાણ કરવું એ જ તેમનો સંકલ્પ હતો, તેથી તેઓ દરેકને તેમની સમસ્યાનું સમાધાન જણાવે છે. ભગવાનના ભક્તોને ભક્તિનો માર્ગ બતાવે છે. તેમને ભક્તિસૂત્રના નિર્માતા પણ માનવામાં આવે છે. તેઓ નારદસંહિતાના રચનાકાર હતા. તેમણે જ્યોતિષ વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગ પર પણ ઘણો પ્રકાશ પાડ્યો છે. નારદ ભક્તિસૂત્રમાં ભક્તિને સૂક્ષ્મ રૂપે વર્ણિત કરવામાં આવી છે. નારદ અવતાર દરેક માટે પ્રેરણાસ્રોત છે.

નારદમુનિને સમજવા સહેલા નથી. આમ તો તેઓ હંમેશાં ખુશ અને આનંદિત દેખાય છે, પરંતુ તેટલા જ ગંભીર અને વિદ્વાન પણ છે. પૌરાણિક કથાઓ અનુસાર તેમણે ભગવાન વિષ્ણુનાં ઘણાં કામ કર્યાં છે. નારદજીને ભગવાન વિષ્ણુના સંદેશાવાહક પણ માનવામાં આવે છે. તેઓ હંમેશાં ત્રણેય લોકોમાં ફરતા રહેતા અને દેવ, દાનવ અને માનવને જાણકારીઓ આપતા રહેતા. શબ્દકલ્પદ્રુમામાં તેમને ભક્તિની વાતો કરનારા માનવામાં આવ્યા છે. તેમની સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ જોડાયેલી છે.

એકવાર નારદજી ફરતાં ફરતાં ડાકુ રત્નાકારના ક્ષેત્રમાં પહોંચ્યા. રત્નાકરે નારદજીને લૂંટવા માટે રોક્યા. ત્યારે નારદજીએ કહ્યું, `ભાઈ, મારી પાસે તો માત્ર આ વીણા છે. તું તેને રાખી લે, પરંતુ એક વાત મને જણાવ કે તું આ પાપ શા માટે કરી રહ્યો છે?’

ત્યારે લૂંટારા રત્નાકરે કહ્યું, `પોતાના પરિવાર માટે.’ આ સાંભળી નારદજીએ કહ્યું, `સારું, પરંતુ તું અત્યારે તારા પરિવારને એક સવાલ પૂછી આવ કે શું તેઓ તારા પાપમાં ભાગીદાર છે?’

રત્નાકર દોડીને ઘરે પહોંચ્યો અને સવાલ કરતાં જવાબ મળ્યો, `અમારી સારસંભાળ રાખવી એ તો તમારું કર્તવ્ય છે, પરંતુ અમે તમારા પાપમાં ભાગીદાર નથી.’

આ સાંભળી દુ:ખી હૃદયે રત્નાકર નારદજી પાસે પાછા આવ્યા અને સમયાંતરે નારદજીની મદદથી તેઓ રત્નાકરમાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા. તેમને રામાયણ લખવાની પ્રેરણા પણ નારદજી પાસેથી જ મળી હતી.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુ:ખ સાથે રહો
ધર્મ

દુ:ખ સાથે રહો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?