- ન્યૂયોર્કમાં 1976માં પહેલીવાર જગન્નાથ રથયાત્રા કાઢવા ટ્રમ્પે મદદ કરી હતી
- જગન્નાથજીની રથયાત્રા માટે ટ્રમ્પ આશાનું કિરણ બનીને આવ્યા હતા
- ઈસ્કોનના અધ્યક્ષે સોશિયલ મીડિયામાં વિગતો લખીને જગન્નાથે ટ્રમ્પને જીવ બચાવ્યાનું જણાવ્યું
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાને લઈ ઈસ્કોને મોટું નિવેદન આપ્યું છે. ઈસ્કોન તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ જીવલેણ હુમલામાં ટ્રમ્પનો જીવ ભગવાન જગન્નાથની કૃપાથી બચ્યો છે. ઈસ્કોનના જણાવ્યા પ્રમાણે આજથી ઠીક 48 વર્ષ પહેલા ટ્રમ્પે જગન્નાથજીની રથયાત્રા માટે આશાનું કિરણ બનીને આવ્યા હતા.
આજે વિશ્વ ફરી એકવાર જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી કરી રહી છે, ત્યારે ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈ કહેવાય છે કે ભગવાન જગન્નાથે તેઓનો જીવ બચાવ્યો છે.
ઈસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ-1976માં રથોના નિર્માણ માટે મફતમાં પોતાની ટ્રેન યાર્ડ પૂરું પાડીને ઈસ્કોન ભક્તોની રથયાત્રા આયોજિત કરવામાં મદદ કરી હતી. આજે વિશ્વમાં નવ દિવસની જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ મનાવી રહી છે આવામાં તેઓ પર જીવલેણ હુમલો થયો છે. અને તેઓ આબાદ રીતે બચી ગયા એ જગન્નાથની કૃપા દર્શાવે છે. તેમને જણાવ્યું કે ન્યૂયોર્ક સિટીમાં પ્રથમ જગન્નાથ રથયાત્રા વર્ષ-1976માં 30 વર્ષીય નવા સવા રિયલ એસ્ટેટ મુગલ ટ્રમ્પે મદદથી શરૂ થઈ હતી. આજથી આશરે 48 વર્ષો પહેલા જ્યારે ઈસ્કોને ન્યૂયોર્કમાં પોતાની પ્રથમ રથયાત્રાનું આયોજન કર્યું હતું. તો સામે ઘણાબધા પડકારો હતા. આવામાં ફિફ્થ એવન્યૂ રોડ પર રથયાત્રાને મંજૂરી આપવી ચમત્કારથી ઓછી નથી. એવી ખાલી જગ્યા શોધી જ્યાં રથોને તૈયાર કરી શકાય એ પણ સરળ નહોતું. આવામાં તમામ મદદ માટે બધા પાસે જવામાં આવ્યું પરંતુ તેનાથી કોઈ ફાયદો ન થયો. આવી સ્થિતિમાં ટ્રમ્પ કૃષ્ણ ભક્તોની આશાનું કિરણ બનીને આવ્યા હતા.
ભક્તોની નિરાશા વધી ગઈ હતી અને આશા તૂટી ગઈ હતી જે પેઢી માલિકોનો સંપર્ક કરાઈ રહ્યો હતો તેમાં બધાએ કહ્યું કે પેન્સિલવેનિયા રેલયાર્ડમાં જમીન વેચવા જઈ રહ્યા છે. જગન્નાથ યાત્રા માટે રથોના નિર્માણ માટે આ જગ્યા સૌથી સારી હતી. થોડા દિવસ પછી તેમને કહ્યું કે ટ્રમ્પે જૂના રેલવે યાર્ડની જમીન ખરીદી લીધી છે. ભક્તો પ્રસાદની સાથે ટ્રમ્પની ઓફિસે પહોંચ્યા હતા. ટ્રમ્પના સેક્રેટરીએ તે પ્રસાદ લીધો પરંચુ સાથે એવું કહ્યું કે જે કામ માટે અહીં આવ્યા છો ટ્રમ્પ એમાં સહમત નથી થાય. પરંતુ અહીં ચમત્કાર થવાનો હતો.
તેમને પોસ્ટમાં કહ્યું તે ત્રણ દિવસ પછી ટ્રમ્પના સેક્રેટરીએ ભક્તોને બોલાવીને કહ્યું કે મને ખબર નથી કે શું થયું પરંતુ ટ્રમ્પે તમારો પત્ર વાંચ્યો અને તરત હા પાડી દીધી છે. ટ્રમ્પે રથોના નિર્માણ માટે ઓપન રેલયાર્ડના વપરાશની મંજૂરી આપી દીધી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર કઈ રીતે હુમલો થયો?
અમેરિકાના પેન્સિલવેનિયામાં શનિવારે સાંજે એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યા હતા આ દરમ્યાન ફાયરિંગ થયું અને એક ગોળી જમણા કાનની ઉપરના ભાગને ચીરતી નીકળી ગઈ જેથી કાનથી લોહી દડદડ વહેવા લાગ્યું હતું. ત્યારે સિક્રેટ સર્વિસ એજન્સીના કર્મીઓ દોડી આવીને ટ્રમ્પને એકબાજું ખસેડીને સીધા હોસ્પિટલ ખસેડી દીધા હતા. સભા સ્થળે હાજર બીજા સ્નાઈપરોએ તરત હુમલાખોરને ત્યાં જ ઠાર મારી દીધો હતો. ટ્રમ્પના આબાદ બચાવ પછી કહેવામાં આવી રહ્યું છે કે ટેલિપ્રોમ્પટરના ઉપયોગ ન કરવાનો તેમનો નિર્ણય ફાયદામાં રહ્યો હતો. ટ્રમ્પે પોતાના ટેકેદારોને જણાવ્યું કે આજે ટેલિપ્રોમ્પટર વગર સીધો સંવાદ કરીશ. બસ આ સમયે ફાયરિંગ થયું અને ગોળી તેઓના કાનને વીંધતી નીકળી ગઈ અને તેઓ બચી ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની પાદરીએ ભવિષ્યવાણી કરી હતી
અમેરિકાના પેન્સિલવેનિયામાં ટ્રમ્પ પર જીવલેણ હુમલાના ઘણા મહિના અગાઉ પાદરીએ આ હુમલાની ભવિષ્યવાણી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનું ભવિષ્ય ભાખનાર પાદરીનું નામ બ્રેંડન બિગ્સ છે. આ વીડિયોમાં બિગ્, કહે છે કે ભગવાને તેમને આવી ઘણીબધી ઘટનાઓ વિશે જણાવ્યું હતું. જે અમેરિકામાં જલ્દી થવા જઈ રહ્યું છે. ભગવાને કહ્યું કે હજી અમેરિકામાં ઘણું થવાનું છે.
આ વાયરલ વીડિયોમાં બિગ્સ કહે છે કે મેં ટ્રમ્પ પર જીવલેણ હુમલો થતો જોયો છે. મેં જોયું કે બુલેટ તેમના કાનને વીંધતી ચાલી ગઈ. આ ગોળી તેઓના માથાની એટલી નજીકથી પસાર થઈ કે આનાથી કાનનો પડદો ફાટી ગયો હતો. મેં એવું પણ જોયું કે તેઓ વચ્ચે જમીન પર પડયા અને ભગવાનને યાદ કરવા લાગ્યા હતા.


