અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી લગભગ 10 લાખ પેલેસ્ટાઇનના લોકોને કાયમી ધોરણે લિબિયામાં સ્થળાંતર કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
માડિયા રીપોર્ટ મુજબ સીધી જાણકારી ધરાવતા બે લોકો અને એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, અને યુએસ અને લિબિયન નેતૃત્વ વચ્ચે વાટાઘાટો પહેલાથી જ ચાલી રહ્યો છે.
યુએસ સરકાર પેલેસ્ટાઇનના પુનર્વસનના બદલામાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં બ્લોક કરાયેલા લિબિયાને અબજો ડોલરના ભંડોળ મુક્ત કરશે. હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને ઇઝરાયલને વહીવટીતંત્રની ચર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી છે. યુએસ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અહેવાલો ખોટા છે. આવી કોઈ યોજના માટે કોઈ પાયાનો આધાર નથી અને આ બાબતે કોઈ ચર્ચા પણ થઈ નથી. આ સમાચારોનો કોઈ અર્થ નથી.
લિબિયા પર બે હરીફ વહીવટ શાસન કરે છે
2011 માં નાટો સમર્થિત બળવા દ્વારા લાંબા સમયથી શાસક સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીને હાંકી કાઢવામાં આવ્યા અને માર્યા ગયા પછી લિબિયામાં અરાજકતા ફેલાઈ ગઈ. દેશનું વિભાજન થયું હતું, તેના પૂર્વ અને પશ્ચિમ ભાગો બે હરીફ લશ્કરી જૂથો દ્વારા નિયંત્રિત હતા. લિબિયા હાલમાં બે સ્પર્ધાત્મક વહીવટ દ્વારા શાસન કરે છે: અબ્દુલ હમીદ દબીબેહના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય એકતાની સરકાર, અને ઓસામા હમ્માદના નેતૃત્વ હેઠળ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ-સમર્થિત રાષ્ટ્રીય સ્થિરતાની સરકાર, જે લિબિયન નેશનલ આર્મી અને તેના કમાન્ડર ખલીફા હફ્તારના વાસ્તવિક શાસન હેઠળ છે.
GNU ત્રિપોલીમાં સ્થિત છે અને દેશના પશ્ચિમ ભાગને નિયંત્રિત કરે છે, જ્યારે GNS પૂર્વીય અને મધ્ય પ્રદેશોમાં કાર્યરત છે. આ વિભાજનથી લિબિયામાં સત્તાના બે કેન્દ્રો બન્યા છે, જેમાં બે સરકારો દેશની કાયદેસરતા અને નિયંત્રણ માટે સ્પર્ધા કરી રહી છે.
ઇઝરાયલે ગાઝા અને યમનમાં હુમલાઓ વધાર્યા
ઇઝરાયલે શુક્રવારે ગાઝામાં ડઝનબંધ હવાઈ હુમલા કર્યા, જેમાં 108 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. ઇઝરાયલી અધિકારીઓએ તેને બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરવાના અભિયાનની શરૂઆત તરીકે વર્ણવ્યું. ઇઝરાયલે યમનના બે બંદરો પર પણ હુમલો કર્યો હતો, જેનો ઉપયોગ હુથી આતંકવાદી જૂથ દ્વારા શસ્ત્રોના પરિવહન માટે કરવામાં આવતો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 9 લોકો ઘાયલ થયા હતા. હમાસના ગાઝા વડાએ જણાવ્યું હતું કે આ જૂથ ઇઝરાયલ દ્વારા જેલમાં બંધ ચોક્કસ સંખ્યામાં પેલેસ્ટિનિયનો સાથે તમામ બંધકોને બદલવા માટે તાત્કાલિક વાટાઘાટો કરવા તૈયાર છે, જેનાથી આ ક્ષેત્રમાં યુદ્ધનો અંત આવશે. ઇઝરાયલ સાથે પરોક્ષ વાટાઘાટો માટે હમાસ વાટાઘાટ ટીમના વડા ખલીલ અલ-હય્યાએ એક ટેલિવિઝન ભાષણમાં કહ્યું કે જૂથ વચગાળાના યુદ્ધવિરામ કરારને નકારે છે.