મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે
મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.
-
મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.
-
જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.
-
કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .
-
અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએ
-
અન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
-
મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે
-
થોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ
-
આ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.
આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.
મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છેમકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએઅન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકેથોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓઆ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.