મતદારોને રીઝવવા છેલ્લી ઘડીનો ખેલાતો દાવ પેંચ : ઉમેદવારોના ભવિષ્ય મતદાતાઓના હાથમાં
સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભા ચૂંટણીની ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ગઇકાલે રવિવાર સાંજથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવ્યો છે અને ડોર-ટુ-ડોર મીટીંગોનો દૌર શરૂ થયો છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદાતાઓને રીઝવવા માટે છેલ્લી ઘડીના દાવ પેંચ રમાઇ રહ્યા છે. આ દાવ પેંચ મતદાતાઓને રીઝવી શકશે નહી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજકોટ સહિત દેશની ૯3 બેઠકો પર લડી રહેલા ઉમેદવારોના ભવિષ્ય હવે મતદાતાઓના હાથમાં છે. આગામી તા.૪ જૂને તેનો ફેંસલો જનતાના વોટીંગથી દેશ સામે આવશે.
ચૂંટણીપંચના મૂળ કાર્યક્રમ પ્રમાણે દેશમાં ત્રીજા તબક્કામાં ૭મેના રોજ ૧૨ રાજયોમાં કુલ ૯પ બેઠકો પર મતદાન થવાનું હતું. જો કે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિનહરીફ વિજય થયો છે તેમજ લોજિસ્ટિક કારણોસર જમ્મુ-કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠકની ચૂંટણી છઠ્ઠા તબક્કામાં ખસેડવામાં આવી છે.
હવે દેશમાં ૭મેના રોજ ૧૧ રાજયોની ૯3 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની ૨૫, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦, મધ્યપ્રદેશની ૯, છત્તીસગઢની ૭, બિહારની પ, આસામ અને પશ્ચિમ બંગાળની ૪-૪ તથા ગોવાની બે બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં પણ ૭મેના રોજ મતદાન થશે. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે કુલ ૨૮૫ બેઠકો પર મતદાન થઈ જશે. આ સાથે લોકસભાની લગભગ અડધી બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
આ સાથે ત્રીજા તબક્કામાં ૧૨૦ મહિલાઓ સહિત ૧૩૦૦થી વધુ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે, જેમાં ગુજરાતમાંથી અમિત શાહ (ગાંધીનગર), મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), શિવરાજસિંહ ચૌહાણ (વિદિશા), (રાજગઢ), પ્રહ્લાદ જોશી દિગ્વિજય સિંહ ૨ 3 (ધારવાડ), એસપી સિંહ બધેલ (આગરા) તેમજ મુલાયમ સિંહ યાદવ પરિવારના કેટલાક સભ્યો જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૮ લોકસભા બેઠકોમાંથી ૧૧માં મતદાન થશે, જેમાં બારામતીમાંથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે પિતરાઈ ભાઈ અજિત પવારનાં પત્ની અને ભાઈ સુનેત્રા પવાર સામે મેદાનમાં
છે.
લોકસભાની ચૂંટણી શરૂ થતા પહેલા વડાપ્રધાન મોદીએ ભાજપે નેતૃત્વમાં એનડીએ માટે ૪૦૦થી વધુ બેઠકોનું લક્ષ્ય આપ્યું હતું. આ લક્ષ્ય હાંસલ કરવા માટે એનડીએએ ૧૦૦થી વધુ બેઠકો જીતવી પડે. બીજીબાજુ વિપક્ષ માટે આ રાજ્યોમાં ગુમાવવા માટે કશું જ નથી. દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થતા સુધીમાં વિપક્ષને અનેક મુદ્દાઓ મળી ગયા છે. ગુજરાતમાં ક્ષત્રિયોની નારાજગી અને કર્ણાટકમાં લગભગ અડધા રાજ્યમાં ૧૪ બેઠકો પર મતદાન બાકી છે ત્યારે પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર તથા હાસન બેઠક પરથી ભાજપના સહયોગી પક્ષ જેડીએસના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના સેક્સ કૌભાંડે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે અને વિપક્ષને નવા હથિયાર આપી દીધા છે.
ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસસી, એસટી, ઓબીસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપી નહીં દેવા અંગે કોંગ્રેસ પાસેથી લેખિત ખાતરી માગી છે. વધુમાં સંપત્તિ વિતરણ અને વારસાગત કર મુદ્દે પણ ભાજપે કોંગ્રેસને ઘેરી છે. આ સાથે ભાજપે કોંગ્રેસ પર તુષ્ટીકરણના રાજકારણના આક્ષેપો કર્યા છે.
બીજીબાજુ કોંગ્રેસે ભાજપ પર બંધારણ બદલવાનો અને અનામત રદ કરવાના આક્ષેપો કર્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસ સત્તા પર આવશે તો જાતિ આધારિત વસતી ગણતરી અને આર્થિક સરવે માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. વધુમાં મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર સામાજિક અન્યાય, બેરોજગારી, ખેડૂતોને અન્યાય, મોંઘવારી તેમજ પસંદગીના ઉદ્યોગપતિઓને લાભ કરાવવાના આક્ષેપો પણ કર્યા છે.
કાલે આ દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે
અમિત શાહ ગાંધીનગર (ગુજરાત)
પરશોત્તમ રૂપાલા રાજકોટ (ગુજરાત)
મનસુખ માંડવીયા પોરબંદર (ગુજરાત)
જયોતિરાદિત્ય સિંધિયા ગુના (મ.પ્રદેશ)
શિવરાજસિંહ ચૌહાણ વિદિશા (મ.પ્રદેશ)
દિગ્વિજયસિંહ રાજગઢ (મ.પ્રદેશ)
ડિમ્પલ યાદવ મૈનપુરી (ઉત્તરપ્રદેશ)
અક્ષય યાદવ ફિરોઝાબાદ (ઉત્તરપ્રદેશ)
આદિત્ય યાદવ બુદૌન (ઉત્તરપ્રદેશ)
અધિરરંજન ચૌધરી બહરામપુર (પ.બંગાળ)
બદરૂદ્દીન અજમલ ધ્રુબી (આસામ)


