- મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ
- પરિવારમાં જોવા મળ્યો ઉજવણીનો માહોલ
- પત્નીએ કહ્યું, આ તેમના સંઘર્ષનું પરિણામ છે
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામ પર ધારાસભ્ય દળની લાંબી બેઠક બાદ ધારાસભ્ય મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે. મોહન યાદવ સીએમ જાહેર થતા જ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. ઉજ્જૈનમાં ભાજપ કાર્યાલય ખાતે તો ખરા જ પરંતુ તેમના પરિવારમાં પણ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના દરેક સભ્ય, માતા, પત્ની, પિતા અને દિકરા પર ખુશીની લાગણીઓ સ્પષ્ટ જોવા મળી હતી.
શું કહ્યું પત્નીએ ?
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન-નિયુક્ત મોહન યાદવની પત્ની સીમા યાદવે કહ્યું કે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે, આ ચોક્કસપણે તેનું પરિણામ છે. તેમણે વધુમાં કહ્યું કે અમારી ખુશીની કોઈ સીમા નથી. હા, તેનું નામ ફરતું હતું પણ અમને પાકી ખબર ન હતી, પણ ભગવાને તેમની મહેનતનું ફળ આપ્યું છે. સાથે જ તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ મહાકાલના ભક્ત છે. ઉજ્જૈન આવે એટલે મહાકાલના દર્શન કર્યા વગર જાય જ નહી.
મહાકાલના આશીર્વાદ
મોહન યાદવની મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા બાદ તેમની બહેને કહ્યું કે, આ ભગવાન મહાકાલના આશીર્વાદ છે, પાર્ટીના આશીર્વાદ છે. આ બહુ જ ખુશીની વાત છે.. તેઓ 1984 થી ભાજપ સાથે કામ કરી રહ્યા છે. સંઘર્ષનું પરિણામ આવ્યું છે.

બહુ સારુ લાગે છે- મોહનયાદવના પિતા
મધ્યપ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રીના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. . મોહન યાદવના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પર મોહન યાદવના પિતા પૂનમ ચંદ યાદવે કહ્યું, “ખૂબ સારું લાગે છે, આ ભગવાન મહાકાલના આશીર્વાદ છે.


