દિવાળીના તહેવારોમાં બિલ વિના માલનું વેંચાણ કરી જંગી કરચોરી જડપાવાની સકયતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં ખાસ કરીને દિવાળીનાં તહેવારો દરમ્યાન સુકોમેવો (ડ્રાય ફુટર્સ)નું બિલવિના મોટાપાયે વેંચાણ કરી અને વ્યાપક કરચોરી કરાઈ હોવાની ફરીયાદોનાં પગલે આજે સતત બીજા દિવસે પણ વ્હેલી સવારથી સ્ટેટજી એસ.ટી.ની એન્ફોર્સ મેન્ટ વિંગનાં અધિકારીઓ વિવિધ સ્થળોએ ડ્રાયફૂટનાં વેપારીઓ ઉપર દરોડા પાડયા છે જેમાં રાજકોટ ના પરા બજારમાં ડાયફુટના વેપારીઓ પર દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જીએસ.ટી.વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેટ જી.એસ.ટી એન્ફોર્સ મેન્ટ વિંગનાં ઓફીસરોની ટીમોએ આજે બીજા દિવસે પણ સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ સહિતનાં સ્થળોએ ડ્રાયફુટની અનેક વેપારી પેઢીઓ ઉપર દરોડા પાડી કરચોરી અંગે તપાસણી હાથ ધરી છે. સ્થાનિક સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરનાં પરાબજાર, દાણાપીઠ, અને ધર્મેન્દ્રરોડ વિસ્તારમાં આવેલા ડ્રાયફૂટનાં વેપારીઓને ત્યાં જી.એસ.ટીનાં અધિકારીઓએ તપાસનો ધમધમાટ હાથધર્યો છે.
જી.એસ.ટી.સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાજકોટ, અમદાવાદ, સુરત, ઉપરાંત આ દરોડા અન્ય શહેરોમાં પણ પડાયા છે.
સ્ટેટ જી.એસ.ટી.નાં ઉચ્ચઅધિકારીઓ અત્યંત ગુપ્તરીતે તપાસો કરી રહ્યા છે. અને વધુ કોઈ વિગતો જાહેર કરતા નથી. જી.એસ.ટી.વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કેટલો માલ બીલ વગરનો આપવામાં આવ્યો છે તેનો સાચો આંકડો બે દિવસ બાદ બહાર આવશે.