- નેપાળમાં મંગળવારે કુલ ચાર આંચકા આવ્યા
- ચોથો આંચકો છેક દિલ્હી-જયપુર સુધી અનુભવાયો
- કોઈ જાનહાનિ નહીં પણ મકાનોમાં મોટું નુકસાન
નેપાળમાં આવેલા ભૂકંપને કારણે અનેક મકાનોમાં મોટું નુકસાન થયું છે. ભૂકંપનું એપી સેન્ટર નેપાળના બઝાંગ વિસ્તારમાં આવેલા ચૈનપુરા ગામ હતું. જ્યાં મોટું નુકસાન થયું હોવાની વાત મળી રહી છે. હાલમાં અનેક મકાન એવા છે જે ધરાશાયી થયા છે. રાહતકાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. સાંજના 5.15 વાગ્યા સુધી અપડેટ અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી. પણ લોકોના મકાનને મોટું નુકસાન થયું છે.
નેપાળમાં મંગળવાર અમંગળ
નેપાળ માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. જ્યાં બઝાંગ અને ચૈનપુર વિસ્તારમાં ભૂંકપને કારણે ધરા ધ્રુજી ગઈ હતી. આ સિવાય બઝાંગ વિસ્તારમાં અને આસપાસના કેટલાક પહાડી વિસ્તારમાં ભૂસ્ખનને કારણે જમી ઢળી પડી હતી. કેટલાક સ્થાનો પર ઘેટા-બકરા મૃત્યું પામ્યા હોવાના પણ વાવડ મળ્યા છે. દિલ્હી સહિત છેક જયપુર સુધી ભૂંકપની તીવ્રતા ખૂબ જ વધારે હોવાનો અહેસાસ થયો છે. જેના કારણે લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા હતા. નેપાળ સિસ્મોગ્રાફી વિભાગના રીપોર્ટ અનુસાર 6.3ની તીવ્રતા હોવાનું જાણવા મળ્યું છે. નેપાળમાં સવારના સમયે પણ એક નાનકડો આંચકો આવ્યો હતો.
ચાર આંચકા અનુભવાયા હતા.
બપોરે 3 વાગ્યા આસપાસ કંપન્ન અનુભવાતા એ ચોથો મોટો આંચકો હતો, એ પહેલા ત્રણ આંચકા નેપાળમાં અનુભવાયા હતા. મકાનમાં તીરાડ પડી ગઈ હતી. ચોથા આંચકાએ લોકોને ઘરની બહાર દોડવા માટે મજબુર કરી દીધા હતા. પહાડી વિસ્તારમાં વસતા બે સ્થાનિક વ્યક્તિઓને ભૂસ્ખલનને કારણે ગંભીર ઈજા પહોંચી છે. જેને સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયા છે. નેપાળના તંત્રની જાણકારી અનુસાર સમગ્ર વિસ્તારમાં સવારથી કુલ ચાર આંચકા આવ્યા હતા. જેમાંથી સૌથી શક્તિશાળી આંચકો ચોથો હતો. જે બપોરના સમયે આવ્યો હતો.
જયપુર સુધી અસર અનુભવાઈ
જે છેક જયપુર સુધી અનુભવાયો હતો. એ પહેલા આવેલા આંચકા 4 અને 2ની તીવ્રતાના હતા. ભૂંકપને કારણે ભૂસ્ખલન થયું છે. જેના કારણે બઝાંગ અને કૈલાની વિસ્તારને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો. ખોરપેથી ચૈનપુર જતો રસ્તો ભૂકંપને કારણે અસરગ્રસ્ત થયો હતો. આ રસ્તા પરથી કાટમાળ દૂર કરવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે.