- કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની દિલ્હીમાં પુછપરછ
- હરિયાણા પોલીસની FIRના આધારે સપ્ટેમ્બર 2016માં પીએમએલએ કેસ નોંધવામાં આવ્યો હતો
- CBI ખેડૂતોની જમીન ગેરકાયદેસર રીતે વેચવાના આરોપમાં FIRનોંધી ચૂકી છે
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જમીન સોદા કેસમાં તપાસ એજન્સીની ટીમ હુડાની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈ ખેડૂતોની જમીન ગેરકાયદેસર રીતે વેચવાના આરોપમાં એફઆઈઆર નોંધી ચૂકી છે. તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તેની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં સીબીઆઈએ 2004-07 દરમિયાન જમીન સંપાદનમાં કથિત અનિયમિતતા અંગે કેસ નોંધ્યો હતો. જ્યારે હરિયાણા પોલીસની એફઆઈઆરના આધારે સપ્ટેમ્બર 2016માં પીએમએલએ કેસ નોંધવામાં આવ્યો હતો.
1500 કરોડની છેતરપિંડીનો મામલો
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઘણા ખેડૂતો અને જમીન માલિકોએ આરોપ લગાવ્યો હતો કે આ જમીન સંપાદન કેસમાં તેમની સાથે 1,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
હુડ્ડા વિશેષ અદાલતમાં હાજર થયા છે
વર્ષ 2019માં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પંચકુલામાં સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિશેષ અદાલતમાં પણ હાજર થયા છે. હુડ્ડા એજેએલ પ્લોટ ફાળવણી અને માનેસર જમીન કૌભાંડ કેસમાં વિશેષ અદાલતમાં હાજર થયા હતા. આ મામલામાં હુડ્ડા પર AJLને જમીન વેચી દેવાનો આરોપ છે. ત્યારબાદ હુડ્ડા પંચકુલાના સેક્ટર-6 સ્થિત પ્લોટ C-17ની ફાળવણી સંબંધિત કેસમાં છેતરપિંડીના આરોપમાં હાજર થયા હતા.
ટેકઓવરનો ડર બતાવવાનો આરોપ
હુડ્ડા પર જમીન કૌભાંડના અન્ય એક આરોપનો પણ સામનો કરવો પડ્યો છે. આરોપ મુજબ, ઓગસ્ટ 2014માં ખાનગી બિલ્ડરોએ હરિયાણા સરકારના અજાણ્યા સરકારી કર્મચારીઓ સાથે મળીને ગુડગાંવ જિલ્લાના માનસેર, નૌરંગપુર અને લખનૌલા ગામોના ખેડૂતો અને જમીનમાલિકો પાસેથી લગભગ 400 એકર જમીન તેમને ધાકધમકી આપીને તગડી કિંમતે ખરીદી હતી. સંપાદન કોંગ્રેસની તત્કાલીન હુડ્ડા સરકારના કાર્યકાળ દરમિયાન લગભગ 900 એકર જમીન સંપાદન કરીને તેને બિલ્ડરોને તગડી કિંમતે વેચવાનો આરોપ હતો.


