- 72 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ, BOIને 750 કરોડનું નુકસાન થયું
- ઈડીના અમદાવાદ, લખનઉ, ગોરખપુર, નોઇડા સહિત દસ સ્થળે દરોડા
- કંપનીના શેરહોલ્ડરોની પણ સંડોવણી બહાર આવી છે
સમાજવાદી પાર્ટીના ગોરખપુરના એમએલએ વિનય શંકર તિવારીની કંપની ગંગોત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 1,129 કરોડની લોન લઇને ચુકવણા નહી કરીને બેન્કને નુકસાન પહોચાડતા સીબીઆઇ ફરિયાદ થઇ હતી. ત્યાર બાદ ઇડીના અધિકારીઓએ મની લોન્ડરિંગનો ગૂનો દાખલ કરીને 72 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી. ઇડીના અધિકારીઓએ લખનૌ, ગોરખપુર, નોઇડા, અમદાવાદ, ગુડગાવ સહિત દસ સ્થળે દરોડા પાડી ડિજિટલ ડેટા અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
બીએસપી પાર્ટી બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા એમએલએ વિનય શંકર તિવારીની કંપની ગાયત્રી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયામાંથી 1,129 કરોડની લોન મેળવી હતી. 2012થી 2016 દરમિયાન ક્રેડીટ ફેસેલિટિના મેળવીને લોન લેવાનુ ચાલું રાખ્યું હતું. વચ્ચે બેન્કને હપ્તા આપ્યા હતા અને 750 કરોડના ચૂકવણા કરવાના હતા. આમ કંપનીના પ્રમોટરો, ડાયરેક્ટરો અને પરિવારના સભ્યોના નામે લોન લઇને બેન્કના રૂપિયા અન્યત્ર ડાઇવર્ટ કરીને રોકાણ કરીને બેન્કને નુકસાન કર્યું હતું. ઇડીએ રિટા તિવારી, અજીત પાંડે હરિશંકર તિવારી સહિત કંપનીના ડિરેક્ટરો સામે ગૂનો દાખલ કર્યો હતો. ઇડીએ નવેમ્બર 2023માં કુલ 72 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. કંપનીના ડિરેક્ટરો, પરિવારના સભ્યોના નામે બેનામી મિલકતો ખરીદવામા આવી હતી. હજુ દરોડાની કામગીરી ચાલુ રાખવામા આવી છે. એટલું જ નહીં બેનામી મિલકતો દેશભરમાં કેટલી છે તેની શોધખોળ ચાલુ છે. ડિજિટલ ડેટા, મિલકત ખરીદીના દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહી છે. બેન્કમાંથી સ્ટેટમેન્ટની ડિટેઇલ મેળવી લેવાઇ છે. બેન્ક લોનના કૌભાંડનો આંકડો ઉંચો જવાની શક્યતા છે.બેન્ક દ્વારા કંપનીનું એકાઉન્ટ એનપીએ કરાતા વિનય શંકર તિવારીએ બેનામી મિલકતો અન્ય કંપનીઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી જેથી કરીને મિલકતો જપ્ત થાય નહિ. કંપનીના શેરહોલ્ડરોની પણ સંડોવણી બહાર આવી છે.


