શાસ્ત્રી મેદાન ખાતે ગણપતિદાદાની સંધ્યા આરતીનો અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશીએ લ્હાવો લઈ દાદાના આશીર્વાદ લીધા
શનિવારથી શહેરમાં ગણપતિ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂકયો છે. વાજતે ગાજતે વિવિધ પંડાલોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ભકતોના ઘરે તેમજ રાજકોટ શહેરમાં અનેક નાના મોટા પંડાલોમાં 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણપતિની આરાધના કરવામાં આવશે અને 11 માં દિવસે ભગવાન ગણેશનું વિસર્જન થશે. રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે બાલાજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એજ્યુકેશન કા રાજા’ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં બાલાજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઑ અને ધાર્મિક કર્યો કરવામાં આવી છે, ત્યારે ગણેશ મહોત્સવને લઈને શહેરના શાસ્ત્રી મેદાન ખાતે બાલાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે ગઇકાલે એટલે કે ગણેશમહોત્સવના બીજા દિવસે રવિવારના રોજ વિઘ્નહર્તાની સંધ્યા આરતીમાં અગ્ર ગુજરાતના તંત્રી સુનિલ જોશી તથા સિનિયર પત્રકાર રાજેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસમાં ગણપતિના દર્શન અને આરતીનો લ્હાવો લેવા ભક્તોનું ઉમટી પડ્યા છે.
આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે બાલાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ ગોંડલીયા, રમેશ સરપડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશ ગોંડલીયા, ઓમ ગોંડલીયા, ઉપેન્દ્ર સરપડીયા, કેશુભાઈ રાઠોડ, જીત સરપડીયા, તેમજ તેમની ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી છે