ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને દક્ષિણાંચલ વીજળી વિતરણ નિગમના ખાનગીકરણ સામે વીજળી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. પરિણામે 29 મેથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કર્યું છે. જો આ એલાન મુજબ ઇજનેરો હડતાળ ઉપર જતાં રહ્યા તો આખા ઉત્તરપ્રદેશમાં વીજળી ડૂલ થવાની ભીતિ છે.
વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ ઉત્તરપ્રદેશના પાવર કોર્પોરેશને રાજ્યના 5000થી વધુ ઇજનેરોને નોટિસ મોકલી છે. તેમને તેમાં ભાગ ન લેવા ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને દક્ષિણાંચલ વીજળી વિતરણ નિગમોનું ખાનગીકરણ થવાનું છે. જેનો વિરોધ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વીજ કર્મચારીઓએ 29 મેથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કર્યું છે.
તાજેતરના વિરોધમાં સંખ્યાબંધ ઈજનેરો જોડાયા
કોર્પોરેશન કડક કાર્યવાહી કરે તેમ મનાઈ રહ્યું છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે તાજેતરમાં 21 મેના શક્તિ ભવનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ઘણા એન્જિનિયરોએ ભાગ લીધો હતો. જેની વીડિયોગ્રાફી દ્વારા આ વાતની પુષ્ટિ થઈ રહી છે.
હડતલમાં ભાગ લેનારાઓ સામે કાર્યવાહી
ખાનગીકરણ વિરુદ્ધ આપવામાં આવી રહેલા નિવેદનોને પાયાવિહોણા ગણાવ્યા છે. તે વીજ નિગમ અને સરકારનો વિરોધ ગણી રહ્યું છે. ઈજનેરોને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે 29 મેના અનિશ્ચિત હડતાળમાં ભાગ લેવા અને વીજ પુરવઠામાં વિક્ષેપ કરવામાં આવશે તો અને જો કોઈ સરકારી કચેરીની બહાર પ્રદર્શન કરશે તો ઈજનેરો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.