- પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
- રાજકોટમાં પદ્મિની વાળાની આગેવાની બેઠકનું આયોજન
- અમદાવાદના મેમનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ
પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં પરશોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. તેમાં રાજકોટમાં પદ્મિની વાળાની આગેવાની બેઠકનું આયોજન થયુ છે. તથા અમદાવાદના મેમનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે.
ભાવનગર ક્ષત્રિય સમાજ રેલી યોજી કલેક્ટરને આવેદન આપશે
અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે. ભાવનગરમાં ક્ષત્રિય સમાજ રેલી યોજી કલેક્ટરને આવેદન આપશે. પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં ભાવનગર ક્ષત્રિય સમાજ રેલી યોજી કલેક્ટરને આવેદન આપશે. દ્વારકામાં પણ ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ સમવાનું નામ જ નથી લેતો. કેન્દ્રીયમંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રદેશ જ નહીં, કેન્દ્રીય ભાજપના નેતાઓની ચિંતા વધવાની ચર્ચાઓ ચાલી રહી છે.
રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજાએ ચીમકી આપી
ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી આગળ વધીને દેશભરમાં ઠેર ઠેર થઇ રહ્યો છે. ત્યારે રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજાએ ચીમકી આપી છે કે, રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નહીં બદલાય તો અમે મહાઆંદોલન કરીશું. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, અમે પીએમ મોદીને પણ રજૂઆત કરી છે. બીજી બાજુ સાણંદમાં પણ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રેલી યોજી હતી.


