By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પરમાત્માની પ્રત્યેક વસ્તુ ક્રિડામય છે, આખુ અસ્તિત્વ મહારાસ છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પરમાત્માની પ્રત્યેક વસ્તુ ક્રિડામય છે, આખુ અસ્તિત્વ મહારાસ છે : મોરારિબાપુ

Editor
Last updated: 2025/12/26 at 5:12 PM
3 months ago
Share
 પરમાત્માની પ્રત્યેક વસ્તુ ક્રિડામય છે, આખુ અસ્તિત્વ મહારાસ છે : મોરારિબાપુ
SHARE

 બોધ પ્રગટતો હોય છે, આપી શકતો નથી!

 આપણું ક્રિસમસ ટ્રી તુલસી છે

પાવન તીર્થધામ તિરૂપતિ બાલાજીના સાન્નિધ્યમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસત્રિપતિ’ ગઇકાલે-ગુરૂવારે છઠ્ઠા પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, મારા બાપ, સપ્ત શિખરી પાવન તીર્થ સ્થાનમાં આપણે ત્રિપતિ સંદર્ભે રામકથા ગાન કરી રહ્યા છીએ ત્યારે માનસની જે પંક્તિઓ નિશ્ચિત કરી છે તે ત્રણ પંક્તિઓમાં પ્રથમ પંક્તિમાં ‘શ્રીપતિ નિજ માયા તબ પ્રેરી’ પરમાત્મા પ્રેરીત કરે એટલે કે ફેંકે છે, બીજી પંક્તિમાં ‘ખૈંચેહૂ મિટે મોર સંદેહૂ’માં પરમાત્મા આપણને ખેંચે છે જ્યારે ત્રીજી પંક્તિ ‘ભૂમિ સપ્ત સાગર મેખલા’ એટલે ઇશ્વર આપણને ચારે તરફથી વીંટળાય છે. (એરાઉન્ડ) આપણી ફરતે તે આપણને સુ-રક્ષિત કવચ બને છે. નારદજીના સંદર્ભે પ્રભુએ આપણને આ ક્રિડા સમજાવી છે કે, ભક્તને ભગવાન ક્યારેક-ક્યારેક ફેંકે છે, માયામાં ફેકે છે અને પછી એ જ પરમાત્મા આપણને ખેંચે છે અને ભક્ત જાગૃત થાય કે તરત એને વીંટળાય છે, પરમાત્માની પ્રત્યેક વસ્તુ ક્રિડામય છે. આખું અસ્તિત્વ મહારસ છે. ઇશ્વર વિનોદી છે એ લીલા પણ કરે છે અને ક્રિડા પણ કરે છે.

લીલામાં મર્યાદા હોય છે જ્યારે ક્રિડામાં થોડુંક સ્વાતંત્ર્ય હોય છે, જેમ કે કૃષ્ણ લીલા, ભગવાન ગંભીર નથી એના ભક્તો જ ગંભીર હોય છે, હસતાં જ નથી! પરમાત્માની ક્રિડા-લીલા માણતા નથી ઘણા લોકો ખૂબ ગંભીર હોય છે, મેં કહેલું કે ગંભીરતા એ રોગ છે… પાંચ મહાલક્ષ્મી છે એ પરમ સૌભાગ્ય છે. (૧) ગુરૂ પાદુકા એ પરમ લક્ષ્મી છે, પરમ સૌભાગ્ય છે (૨) યજ્ઞએ આપણું સૌભાગ્ય છે (૩) તુલસીનો ક્રોડએ મહાલક્ષ્મી છે. આપણું-ભારતીયઓનું ક્રિસમસ ટ્રી તુલસી છે. એટલે ક્રિસમસ ટ્રીનો વિરોધ નથી કોઇ ખોટો અર્થ ન કરે પણ તુલસી આપણું ક્રિસમસ ટ્રી છે. 2014થી આપણે ‘તુલસી દિન’ નિશ્ચિત થયો છે. તો તુલસી આપણી મહાલક્ષ્મી છે. તુલસીના બાર પ્રકાર છે. (૧) રામતુલસી (૨) શ્યામ તુલસી-કૃષ્ણ તુલસી (૩) અમૃત તુલસી (૪) વન તુલસી (૫) કપુર (કર્પુર) તુલસી (૬) લક્ષ્મી તુલસી (૭) લીંબુ તુલસી (૮) વૈજયંતી તુલસી (૯) શ્વેત તુલસી (૧૦) મીન્ટ તુલસી (૧૧) આફ્રીકન બ્લુ તુલસી અને (૧૨) સિનેમન તુલસી.

ગુરૂપાદુકા આપણને સર્વ પ્રકારના સંકોટથી બચાવે છે. પાદુકા સ્નેહ સંપદા આપે છે. બે અક્ષર રામનામની જેમ પાદુકા આપણા બે રક્ષકો છે. અયોધ્યામાં રામ વનગમન પછી પાદુકા જ અવધનું કવચ બની હતી. 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઇનું મૃત્યુ નથી થયું અને કોઇ બાળકનો જન્મ પણ નથી થયો કેમ કે, રામ વિરહમાં લોકો સંયમ પાડતા હતાં એટલે રામ વનવાસના ચૌદ વર્ષ દરમ્યાન અયોધ્યામાં કોઇનું મૃત્યુ નથી થયું. પાદુકા કવચ બની હતી. પાદુકા આપણા કૂળની મર્યાદાની રક્ષા કરે છે. કુશળતાથી કર્મ કરવા માટે બે હાથ બની જાય છે, પાદુકા અને નિર્મળ બે આંખો સુધર્મનો નિર્વાહ કરવા માટેનો દ્રષ્ટિકોણ આપણને પાદુકા આપે છે.

આપણા પોતાના લોકો જ્યારે આપણને ગાળો દે, ફરિયાદ કરે તો ક્યારેય એનું ખોટું ન લગાડવું કારણ કે, ઇશ્વર-પ્રભુને પણ પોતાના જ લોકોએ ગાળો આપી છે! અને જ્યારે આપણા પોતાના જ લોકો ગાળો આપે તો હસતા-હસતા એ સહન કરજો, પરિણામ સારું આવશે! નારદ કહે છે, મારા શ્રાપ મિથ્યા હો, મિથ્યા હો ત્યારે પ્રભુ હસતા-હસતા બોલ્યાં-‘મમ ઇચ્છા’ નારદ, જે કંઇ થયું, એ મારી ઇચ્છાથી જ તું જે કંઇ બોલ્યો એ પણ મારી ઇચ્છાથી.. ‘મમ ઇચ્છા કહું દીન દયાલા’ નારદજી બહુ દુ:ખી થાય છે. મારા પાપ કેવી રીતે મટશે? ત્યારે ભગવાન કહે છે કે, નારદ તું એક કામ કરે.. શંકર ભગવાનના નામનો સો વખત જપ કર તું પાપ મુક્ત થઇ જઇશ. પ્રભુ સંબંધી કોઇ ભૂલ થઇ જાય તો પ્રાયશ્ચિતરૂપે શિવ સ્મરણ કરો. મહાદેવ-શિવ ૧૦૮ પણ નહીં સો વાર કેમ કે મહાદેવ એટલા દયાળું છે કે, તું ૧-૯ પર પહોંચે એ પહેલા જ એ કૃપા કરશે જા, બેટા મુક્ત થઇ ગયો!

એક સ્મરણ આપને કહું મારા ગુરૂ-ભગવાન-ત્રિભુવનદાદાએ મને માળાના પ્રકાર વર્ણવ્યા હતા એને હું ‘માળા સપ્તક કહું છું’ દાદાએ કહ્યું હતું કે, બેટા, સાત પ્રકારની માલા-માળા હોય છે (૧) કરમાલા (૨) જપમાલા (૩) કંઠમાલા (૪) મંત્રમાલા (૫) મન માલા (૬) શ્વાસ માલા અને (૭) ગુરૂમાલા.

કથામૃત

(૧) અર્થ (પૈસા) હસ્તાંતરીત કરો છો એમ ધર્મ પણ હસ્તાંતરીત કરો!

(૨) ગુરૂ પાદુકા મહા-પરમ લક્ષ્મી છે, આપણું પરમ સૌભાગ્ય છે

(૩) દુનિયાના કોઇપણ ધર્મગ્રંથ આપણું સૌભાગ્ય છે

(૪) ઇશ્વર લીલામય છે ક્રિડામય પણ છે!

(૫) બરફનો ટુકડો જામમાં પડી બદનામી થઇ ગયો, તે સફાઇ આપવા ગયો ત્યાં સુધીમાં તો શરાબ થઇ ગયો!

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
ગાંધીનગર

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

Editor By Editor 5 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?