By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી

Last updated: 2025/02/27 at 8:09 AM
1 year ago
Share
શિવની સૃષ્ટિમાં સઘળું છે, એની બહાર કશું નથી
SHARE

શિવ તત્ત્વને અનેક પ્રકારે જોઈ શકાય છે. ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એના બે પ્રકારના પાઠ મળે છે. એક પાઠમાં `રુદ્ર’ શબ્દ આવે છે અને બીજા પાઠમાં `ઈન્દ્ર’ શબ્દ આવે છે. મોટા ભાગે `ઈન્દ્ર’ શબ્દ પ્રયોજાયો છે. મહામુનિ વિનોબાજીએ પણ `ઈન્દ્ર’વાળો પાઠ સ્વીકાર્યો છે. ગુરુકૃપાથી વેદનું મેં દર્શન કર્યું છે એમાં `ઈન્દ્ર’ શબ્દ બહુધા બ્રહ્મ, ઈશ્વર, શિવ તત્ત્વપરક જ આવ્યો છે.

ઈન્દ્ર એટલે કે ત્યાં સ્વાર્થી એવો દેવરાજ ઈન્દ્ર નથી. તુલસીદાસજીએ દેવરાજ ઈન્દ્રને કપટી અને સ્વાર્થી દર્શાવીને બહુ જ ફટકાર્યો છે! વેદના ઈન્દ્ર બ્રહ્મ પર્યાય છે, ઈશ્વર પર્યાય છે, પરમાત્મા પર્યાય છે, રુદ્ર પર્યાય છે, એટલે `રુદ્ર’ પાઠ મળે તો પણ ચિંતા નથી. રુદ્ર ઈન્દ્ર છે.

મારા મત મુજબ શિવની સૃષ્ટિમાં સઘળું છે. શિવથી બહાર કશું નથી. બ્રહ્મ હોવાના નાતે એમની સૃષ્ટિમાં બધું જ મળશે. `રુદ્ર શ્રેષ્ઠાનિ.’ `રુદ્ર’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું અને `ઈન્દ્ર’ શબ્દનો પણ પ્રયોગ કરું. હું એ `ઈન્દ્ર’નો પાઠ પણ સ્વીકારું છું, કેમ કે આપણા પૂર્વસૂરિઓએ એ જ પાઠ સ્વીકાર્યો છે, એટલે મારી દૃષ્ટિએ એ વધારે પ્રમાણિત માની શકાય. તો શિવ સમસ્ત છે. પછી `રુદ્ર’ પાઠ હોય કે `ઈન્દ્ર’ પાઠ હોય.

ઈન્દ્ર શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ

ધેહિ ચિત્તિં દક્ષસ્ય સુભગત્વમસ્મે.

પોષં રયીણામરિષ્ટિં તનૂનાં

સ્વાદ્મમાનં વાચ: સુદિનત્વમહ્મામ્.

શિવ સમસ્ત છે, શિવ જ ઈન્દ્ર છે, કારણ કે બ્રહ્મ છે. વેદસ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે. મનીષીઓએ એનું ભાષ્ય કર્યું છે. હે ભગવાન, હે પરમાત્મા, હે સદાશિવ, હે રુદ્ર, જે અમને દ્રવ્ય તો આપે છે, ધન તો આપે છે, પરંતુ શ્રેષ્ઠ દ્રવ્ય આપનારા અમને શ્રેષ્ઠ ધન આપો. વિપુલ માત્રામાં નિકૃષ્ટ ધન ન આપશો. તો શિવ દિગંબર હોવા છતાં એ દેનારા છે. શ્રેષ્ઠ દેનારા મહાદેવ છે.

ભગવાન શિવ પાસે બીજી માંગ કરવામાં આવી છે કે `ચિતિં દક્ષસ્ય’ એટલે કે સજ્જન લોકો જેવું ચિંતન અમને આપો, દુર્જનનું ચિંતન નહીં. સજ્જનો જેવું ચિંતન કરે છે, એવી વિચારધારા અમને પ્રાપ્ત થાય. વૈશ્વિક વિચારધારા પ્રાપ્ત થાય, એવી માંગ શિવ પાસે કરવામાં આવી છે. `સુભગત્વમસ્મે’, આચાર્યોએ એનો મતલબ એવો કર્યો છે કે અમારું સૌભાગ્ય વધારો. અમને ભાગ્યવાન બનાવો. અમે દુર્ભાગી ન રહીએ. અમને ભાગ્યવાન બનાવો એવી શિવ પાસે માંગ કરવામાં આવી. `પોષમ્.’ અમારું પોષણ કરો. દુનિયા અમારું શોષણ કરે છે, એટલે હે સદાશિવ, અમારું પોષણ કરો. અમારું આનંદવર્ધન કરો. અમારો આનંદ અખંડ રહે, ક્ષણિક ન હોય એવી કૃપા કરો. `તનુનામ્’, વેદના ઋષિ આગળ કહે છે કે, અમારા શરીરને સુદૃઢ બનાવો. અમારું શરીર નીરોગી રહે, સ્વસ્થ રહે, જેથી અમે સાધના કરી શકીએ, જપ કરી શકીએ. અમે બીજાના ઉપયોગમાં આવી શકીએ. અમને એવો દેહ મળે. `વાચ:.’ અમને મધુર વાણી આપો.

તો હે શિવ, ભોલેબાબા, અમે તારી સ્તુતિ કરીએ છીએ. `માનસ’ના શિવ કેવા છે?

અગુન અમાન માતુ પિતુ હીના,

ઉદાસીન સબ સંસય છીના.

હિમાલયને ઘેર પુત્રીનો જન્મ થયો. નારદજી આવે છે. પાર્વતીજીનો હાથ જોઈને પહેલાં એમણે પાર્વતીનાં બધાં શુભ લક્ષણો બતાવ્યાં, પછી કહે છે કે હવે બે-ચાર અવગુણ બતાવું. અવગુણ એટલે કે હસ્તરેખાના દોષ બતાવું. નારદ કહે છે કે અહીં જે જે દોષ બતાવવામાં આવ્યા છે એ શિવમાં છે અને અને શિવમાં હોવાને કારણે દૂષણ પણ ભૂષણ બની જાય છે. નારદ કહે છે કે તમારી પુત્રીને જે વર મળશે એ અગુણ હશે. અવગુણ દોષ છે, અગુણ દોષ નથી. અગુણનો અર્થ છે ગુણાતીત. સત્ત્વ, રજસ, તમસ્થી મુક્ત એવી વ્યક્તિ તમારી પુત્રીને મળશે. શંકર ત્રિગુણાતીત છે.

બીજું લક્ષણ શિવ અમાની છે. પરમાત્માનું એ લક્ષણ છે, શ્રેષ્ઠોનું એ લક્ષણ છે. એમને માન-અપમાન સ્પર્શતાં નથી. ત્રીજું, `માતુ પિતુ હીના.’ શિવને મા-બાપ નથી. એ અજન્મા છે. ત્રીજો ગુણ છે, અજન્મા. ચોથો ગુણ બતાવાયો ઉદાસીન, શંકર ઉદાસ નથી, ઉદાસીન છે. ઉદાસીનનો અર્થ થાય છે, એક જ લેવલ પર રહેવું. સૌથી પર રહેવું. જે માન-અપમાનથી પર થઈ જાય, સુખ-દુ:ખથી પર થઈ જાય, શીતોષ્ણથી પર થઈ જાય, તિરસ્કાર-પુરસ્કારથી પર થઈ જાય એ

ઉદાસીન છે.

પાંચમું લક્ષણ, `સબ સંસય છીના.’ સંશય છીનવવાનો એક અર્થ થાય છે કે કોઈ પણ વાત પર સંશય ન રહે. વિશ્વાસમાં ક્યારેય સંશય હોતો જ નથી. આપની પુત્રીને એવો પતિ મળશે જે જોગી હશે. જોગી તો અપભ્રંશ છે. મૂલત: યોગી છે. શંકર યોગેશ્વર છે. યોગ બે પ્રકારના છે. એક પતંજલિનો રાજયોગ અને બીજો `ભગવદ્ગીતા’નો ભક્તિયોગ. શંકરમાં પતંજલિનો રાજયોગ પણ છે અને શંકરમાં ભગવદ્ભક્તિ પણ છે. શંકર ભક્તિયોગી છે. આપની પુત્રી કૃતકૃત્ય થઈ જશે. આપની પુત્રીનો પતિ જટિલ હશે. જટા, જૂટ, ચંદ્ર, ભાલ. દુલ્હાની જે સ્વાભાવિક શોભા હોય છે એ શોભાનું વર્ણન છે. `જટા મુકુટ અહિ મોર સંવારા.’ ભગવાન શંકર જટામાં જ સુંદર લાગે છે. એ એમનો શણગાર છે.

સૌની પોતાની સહજ શોભા હોય છે. મહાદેવનો સહજ સ્વભાવ છે. આપની પુત્રીને જે પતિ મળશે એ અકામ હશે. એનો મતલબ કે ભગવાન શંકર નિષ્કામ છે. જેમના મનમાં કોઈ કામનાનો કીડો નથી ઘૂમતો એવો પતિ મળશે. જેમનો દેહ નગ્ન છે એવો વર તમારી પુત્રીને મળશે. શંકર બિલકુલ દિગંબર છે. તમારી પુત્રીને જે વર મળશે એ નિર્વસ્ત્ર હશે. વસ્ત્રનો એક અર્થ વસન થાય છે. નિર્વસનનો બે અર્થ થાય છે. એક તો વસ્ત્રમુક્ત છે અને બીજું નિર્વસન એટલે જેમનામાં કોઈ વાસના નથી અથવા તો દિગંબરનો અર્થ છે કે જે આવરણને ભેદી ચૂક્યો છે, કોઈ પડદામાં રહેનારો નથી. એમનું જીવન આરપારનું હશે. અહીં કેવળ વસ્ત્રથી શરીર ઢાંકવાની વાત નથી. દસમો ગુણ, અમંગલ વેશ. ઉપરથી જુઓ તો શંકર અમંગલ દેખાય છે. સાપ ધારણ કરે છે. અહીં સંકેત છે કે એને ગુણ સમજવો. નારદજી કહે છે, સમજી લેજે પુત્રી, જે સાપને ગળે લગાવી શકે છે, એ ક્યારેય તારો ત્યાગ નહીં કરે. જે વિષને કંઠમાં રાખે છે, એ તને ગળે લગાવી રાખશે.

You Might Also Like

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 3 days ago
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?