ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના સમાચાર સતત બહાર આવી રહ્યા છે. આ અંગે સતત અટકળો ચાલી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ પાસેથી ભરણપોષણ તરીકે 60 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
પરંતુ અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને પૈસા આપ્યા નથી. તેથી, આ કારણે બંને વચ્ચે છૂટાછેડાનો મુદ્દો ઉકેલાયો નથી. પરંતુ આ દાવાઓમાં કેટલી સત્યતા છે? શું ધનશ્રીએ ખરેખર યુઝવેન્દ્ર ચહલ પાસેથી ભરણપોષણ તરીકે 60 કરોડ રૂપિયા માંગ્યા છે?
ધનશ્રીના દાવામાં કેટલી સત્યતા છે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દાવાઓમાં કોઈ સત્ય નથી. અત્યાર સુધી ધનશ્રીએ આવી કોઈ માંગણી કરી નથી. તેણે હજુ સુધી કોઈ સમાચાર કે સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ આવું કંઈ કહ્યું નથી. આ પહેલા યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેને તેના પરિવાર, મૂલ્યો અને ફેન્સના સમર્થન વિશે વાત કરી હતી અને કોઈ નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ નથી. આ રીતે, એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પાયાવિહોણી છે અને ધનશ્રીએ કોઈ માંગણી કરી નથી.
યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રીની કુલ સંપત્તિ કેટલી છે?
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની કુલ સંપત્તિમાં સતત ઝડપથી વધારો થયો છે. હાલમાં, યુઝવેન્દ્ર ચહલની કુલ સંપત્તિ આશરે 45 કરોડ રૂપિયા છે. જ્યારે, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી 23 કરોડ રૂપિયાથી વધુની માલિક છે. બંને વચ્ચે કયા કારણોસર અણબનાવ થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલી પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


