રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું છે. તેના થોડા દિવસો પછી જ RCB ટીમ મુશ્કેલીમાં ફસાતી હોય તેવું લાગે છે. 3 જૂને બેંગ્લુરુએ ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે બીજા દિવસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી.
આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, ત્યારબાદ આરસીબી ફ્રેન્ચાઈઝી સહિત 4 સંસ્થાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગ્લુરુ ટીમ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ કેસમાં કાર્યવાહી કેટલી આગળ વધી છે. RCB સહિત 4 પાર્ટીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટીમે તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટમાં તેની સામેની FIR રદ્દ કરવા માટે અરજી દાખલ કરી છે. આ કેસમાં બેંગ્લોર ફ્રેન્ચાઈઝના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના 2 વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારતા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
RCB પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો RCB ટીમ કોઈપણ રીતે દોષિત સાબિત થશે, તો તેને IPLમાંથી એક વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડશે. એવું કહેવામાં આવ્યું હતું કે તપાસકર્તાઓ આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. જ્યારે બીજો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્સ્ટાગ્રામ પર IPLના ઓફિશિયલ એકાઉન્ટે RCBને અનફોલો કરી દીધું છે. RCBને અનફોલો કરવાનો દાવો ખોટો છે કારણ કે RCB ટીમ હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગના ફોલો લિસ્ટમાં હજુ પણ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પર એક વર્ષના પ્રતિબંધની લગાવવાનો સવાલ છે તો, આ વિષય પર BCCI એ હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું નથી. બેંગ્લુરુ ભાગદોડ કેસની તપાસ હજુ પણ ચાલુ છે, પરંતુ અત્યાર સુધી BCCI એ પ્રતિબંધ લગાવવાની કોઈ એક્શન લીધી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને આધારે લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની કોઈ પુષ્ટિ કરતું નથી.