ગુરુવારે થનારી સુનાવણીમાં મુદત પડ્યા બાદ આજે પણ લાંબો સમય ચાલેલુ હીયરીંગ, બપોર બાદ જાહેર થશે ચુકાદો
રાજકોટના લોકમેળાના ઉદઘાટન આડે ૨૪ કલાક રહ્યા છે ત્યારે સરકારની નવા એસ.ઓ.પી.(નિયમ)ની વિરુધ્ધ ખડકાઇ ગયેલી તોતીંગ રાઇડસ મામલે કલેકટર તંત્રના ગળામાં બરોબરનું હાડકુ ફસાયુ છે. આખો મામલો કોર્ટમાં ગયો છે. રાઇડસનો કોન્ટ્રાક્ટ લેનારે એવો દાવો કર્યો છે કે, સોઇલ રિપોર્ટ પોઝીટીવ આવે ત્યા રાઇડસ માટે ફાઉન્ડેશન કરવાની જરૂર તથી તો બીજીબાજુ પીડબલ્યુડી કહે છે કે, સરકારના નવા ધારાધોરણો મુજબ રાઇડસ માટે ફાઉન્ડેશન જરૂરી છે. હાઇકોર્ટમાં કોન્ટ્રાક્ટરે કરેલી અરજન્ટ રીટ પીટીશનની સુનાવણી ગઇકાલે ગુરુવારે થવાની હતી પરંતુ તેમા મુદત પડતા આજે શુક્રવારે બપોરે રાખવામા આવી હતી. રાઇડસ મામલે કાનુની કોકડુ બરોબરનું ગુંચવાયેલુ છે. આજે હાઇકોર્ટમાં લાંબો સમય સુધી હીયરીંગ ચાલ્યુ હતુ. આ લખાય છે ત્યારે પણ હજુ દલિલો ચાલી રહી છે. બપોર બાદ ચુકાદો જાહેર થશે. જો કે એવા સ્પષ્ટ સંકેત જરૂર મળ્યા છે કે વારંવાર થતી માનવસર્જિત દૂઘર્ટનામાં હાઇકોર્ટે લોકમેળાના રાઇડસ મુદ્દે ગંભીરતા લીધી છે.
ના સ્પષ્ટ નિર્દેશનની રાહમાં રાઇડસનો વિવાદ બરોબરનો ચકડોળે ચડ્યો છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઓપી અમલી બનાવવામાં આવી છે. જેમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન ઉપરાંત સોઇલ રીપોર્ટ-એનડીટી રીપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવેલ છે. જેની સામે વર્ષોથી રાઇડસ માટે આવતા ધંધાર્થીઓએ આ વખતે લોકમેળાનો બહિષ્કાર કરતા ખાનગી લોકમેળાના કોન્ટ્રાક્ટર દશરથસિંહ વાળાને ૧ કરોડ ૨૭ લાખમા રાઇડસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દશરથસિંહ વાળાએ એવો દાવો કર્યો છે કે, રાઇડ્સ માટે જમીનનો સોઇલ રીપોર્ટ જો પોઝીટીવ તો ફાઉન્ડેશનની આવશ્યકતા રહેતી નથી. આ અંગેનો સરકારની એસઓપી (ગાઇડ લાઇન)માં પણ ઉલ્લેખ કરાયો છે.
તો બીજીબાજુ સરકારનો જ વિભાગ પીડબલ્યુડી સરકારના એસ.ઓ.પી. મુજબ ફાઉન્ડેશન કરીને જ રાઇડસ ઉભી થાય તેવો આગ્રહ રાખતા મેળાના ઉદઘાટનના ચોવીસ કલાક પછી પણ હજુ રાઇડસનું કોકળું ગુંચવાયેલુ જ રહ્યુ છે.
ટીઆરપી-કાંકરિયાની ઘટના બાદ હાઇકોર્ટ પણ અતિ ગંભીર
રાઇડસ દૂઘર્ટનામાં કાંકરિયાનો બનાવ આજે પણ વિસરાયો નથી. એ પછી રાજકોટના ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ. આ બન્ને ઘટના એવી છે કે, જેમા માનવસર્જિત ભુલ જ જવાબદાર હતી. કાંકરિયા ઘટના બાદ પણ સરકારે રાઇડસ માટે ચોક્કસ કડક નિયમો બનાવ્યા હતા. અને એ પછી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સરકારે ફરી વધુ કડક નિયમો સાથે નવો એસ.ઓ.પી.(નિયમો) બનાવ્યા. જે લોકમેળાને પણ લાગુ પડે જ. રાજકોટના લોકમેળામાં રાઇડસ બાબતે થયેલી રીટ પીટીશનમાં સિક્કાની બીજીબાજુ જોઇએ તો રાજકોટનું પ્રશાસન નવા એસ.ઓ.પી. બાબતે ગંભીર ન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ સાબીત થઇ ગયુ છે.