- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખેડૂત આંદોલનને પગલે એડવાઈઝરી જાહેર કરી
- લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને નકારી
- પંજાબ-હરિયાણા સરહદે 1200 ટ્રેક્ટર,ટ્રોલી તેમજ 14000થી વધુ લોકો
ગૃહ મંત્રાલય (MHA)એ ખેડૂતોના આંદોલનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારને સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી કારણ કે, વિરોધ કરી રહેલા ખેડૂતોએ તેમની દિલ્હી કૂચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી, કારણ કે તેઓએ કઠોળ, મકાઈ અને કપાસના પાકને સરકારી એજન્સીઓ દ્વારા પાંચ વર્ષ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદવાની કેન્દ્રની દરખાસ્તને નકારી કાઢી હતી.
પંજાબ-હરિયાણા સરહદે 1200 ટ્રેક્ટર,ટ્રોલી તેમજ 14000થી વધુ લોકો એકઠા થયાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલય(MHA) દ્વારા આ એડવાઈઝરી બહાર પાડવાનું કારણ એ પણ જણાય છે કે, એક અંદાજ મુજબ પંજાબ-હરિયાણા સરહદે 1,200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કાર, 10 મિની-બસ તેમજ નાના વાહનો સાથે 14,000 થી વધુ લોકો એકઠા થયા છે. મંત્રાલયે તેના માટે પંજાબ સરકારને તેનો સખત વાંધો વ્યક્ત કર્યો છે અને રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ખેડૂતોએ ચલો દિલ્હી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, એમએચએએ પંજાબ સરકારને ડબાણ વધારનારા બદમાશો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે કે, આવા લોકો ખેડૂતોની આડમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. આ દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચલો દિલ્હી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કર્યા બાદ દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે અને તેના કર્મચારીઓને ટીકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદો પર કડક તકેદારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
ખેડૂત MSP અંગે સરકારની દરખાસ્તને નકારી કાઢી હતી
ખેડૂત નેતાઓ સાથેની વાતચીતના ચોથા રાઉન્ડમાં, ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પેનલે દરખાસ્ત કરી હતી કે સરકારી એજન્સીઓ ખેડૂતો સાથે કરાર કર્યા પછી પાંચ વર્ષ માટે MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી કરશે. ખેડૂત સરકારની દરખાસ્તને નકારી કાઢી હતી, કારણ કે તે ખેડૂતોની તરફેણમાં નથી. દરમિયાન, હરિયાણા પોલીસે ઉત્ખનકોના માલિકોને વિરોધ સ્થળ પરથી તેમના મશીનો પાછી ખેંચી લેવા કહ્યું, જ્યાં ખેડૂતો તેમની કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે, અન્યથા તેઓ કાર્યવાહી માટે જવાબદાર રહેશે.


