- દિલ્હીની વિવિધ સરહદો પર ખેડુતોના વિરોધને કારણે મુસાફરોને તકલીફ પડશે
- પ્રવાસીઓને અનૂકુળ પરિવહન વિકલ્પો માટે ટર્મિનલ T1નો ઉપયોગ કરવા સલાહ
- તેમજ ટર્મિનલ T3 માટે એરપોર્ટ મેટ્રોનો ઉપયોગ કરવા ભારપૂર્વક સલાહ આપી છે
દિલ્હી એરપોર્ટે સોમવારે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મંગળવારથી શરૂ થતી વિવિધ દિલ્હી સરહદો પર ખેડૂતોના વિરોધને કારણે મુસાફરોને પડનારી તકલીફ અંગે સૂચન કર્યું હતું. કૃપા કરીને જણાવવામાં આવે છે કે, 13 ફેબ્રુઆરીથી દિલ્હીની વિવિધ સરહદો પર અપેક્ષિત ખેડૂતોના વિરોધને કારણે, ટ્રાફિક ડાયવર્ઝનમાં રહેશે. કોમર્શિયલ વાહનો માટે, ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન 12 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.
પ્રવાસીઓને અનુકૂળ પરિવહન વિકલ્પો જણાવાયું
એડવાઝરીમાં જણાવાયું છે કે, અમે તે મુજબ તમારી સફરનું આયોજન કરવાની અને સંભવિત વિલંબ અને વૈકલ્પિક માર્ગો વિશે માહિતગાર રહેવાની ભલામણ કરીએ છીએ. સમયસર આગમનની ખાતરી કરવા માટે, અમે પ્રવાસીઓને અનુકૂળ પરિવહન વિકલ્પો માટે ટર્મિનલ 1 (T1) માટે મેજેન્ટા લાઇન અથવા ટર્મિનલ 3 (T3) માટે એરપોર્ટ મેટ્રોનો ઉપયોગ કરવા ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ.
ખેડૂતોના ‘દિલ્હી ચલો’ વિરોધને કારણે ટ્રાફિક એડવાઈઝરી જારી
વધુમાં, પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે અને તેમની મુસાફરી યોજનાઓ પર કોઈપણ ફેરફારો અથવા અસરો માટે પરિસ્થિતિ વિશે અપડેટ રહે. આ દરમિયાન કલમ 144 લાગુ કરવામાં આવી છે, બેરિકેડ અને કાંટાળા વાયરો લગાવવામાં આવ્યા છે અને દિલ્હી અને હરિયાણા સત્તાવાળાઓ દ્વારા 13 ફેબ્રુઆરી મંગળવારના રોજ યોજાનાર ખેડૂતોના ‘દિલ્હી ચલો’ વિરોધની કારણે ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
200થી વધુ ખેડૂત યુનિયનોની માંગણી
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાએ જાહેરાત કરી છે કે, 200થી વધુ ખેડૂત યુનિયનો તેમની માંગણીઓ પર ધ્યાન આપવા માટે કેન્દ્રને વિનંતી કરવા દિલ્હી જશે. આ માંગણીઓમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ(MSP) સુનિશ્ચિત કરવા માટે કાયદો ઘડવાનો સમાવેશ થાય છે.


