By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    2 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    1 hour ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    3 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી

Last updated: 2025/06/05 at 4:57 AM
4 days ago
Share
નીડર, સ્પષ્ટવક્તા અને મહાન સંત : કબીરદાસજી
SHARE

વિશ્વમાં ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં અગણિત સંતો, ભક્તો, અવતારી મહાપુરુષોએ જન્મ લીધો છે. જેમાં એક સંત કબીર પણ થઈ ગયા. ગુરુ રવિદાસ, ગરીબદાસ, તુકારામ, મીરાં, રજજબ વગેરેએ પોતાની વાણીમાં કબીરનો ઉલેલખ કર્યો છે. કબીર સ્પષ્ટ વક્તા, સરળ હૃદયવાળા, નીડર હતા. તેમના જન્મ વિશે વિવિધ દંતકથાઓ છે. કેટલાકના મંતવ્ય અનુસાર રામાનંદના આશીર્વાદથી એક વિધવા બ્રાહ્મણીના ત્યાં જન્મ લીધેલો. આ વિધવા બ્રાહ્મણીએ પ્રસવ થતાં બાળકને બનારસ પાસે લહરતલા તળાવને કિનારે મૂકી દીધેલ. જ્યારે ઘણાંનું માનવું છે કે કબીજ જ્યોતિ સ્વરૂપે આકાશમાંથી ઊતરીને બાળકનુંરૂપ ધારણ કરેલ. `હિન્દુ કહો તો મેં નહીં, મુસલમાન ભી નહીં, પાંચ તત્વ કા પૂતલા, ગેબી ખેલત માંહી.’

કબીરનો જન્મ ઈ.સ. 1398માં થયેલ. તેમના પિતા નીરુ અને માતા નીમા બંને વણકર હતાં. નાનપણથી જ કબીરનું મન પરમાર્થ તરફ હતું. ગૂઢ તત્વોને સમજવાની, તેની ગહનતા માપવાની અને વિવેચન કરવાની અસાધારણ શક્તિ કબીર ધરાવતા હતા કબીરે આજીવન કાપડ વણીને પોતાનો તથા પોતાના કુટુંબનો નિર્વાહ કર્યો. પરમાત્મા પાસે તેઓ પોતાના પરિવારના ગુજરાન પૂરતું જ માંગે છે, જેથી ભક્તિમાં વિઘ્ન ન આવે. તેમના શિષ્યોમાં રાજા, નવાબ, શેઠ, ધર્મદાસ, શાહુકારો હોવા છતાં પણ કબીરે કોઈની પાસે ભેટ સ્વીકારી નથી.

સાચા સાધુના ગુણો વિશે કબીર કહે છેકે, `સાધુ ભૂખ્યા ભાવ કા, ધન કા ભૂખા નહીં! ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નહીં!’ કોઈવાર તો તેમને તથા તેમના પરિવારને શેકેલા ચણા ખાઈને ગુજરાન કરવું પડેલ. તેમનું સૌથી મોટું ધન સંતોષ ધન હતું. કબીરના પરિવારમાં તેમની પત્ની લોઈ, પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતાં. લોઈએ કબીર પાસેથી નામદાન લીધેલ.

સંતકબીર એકસો વીસ વર્ષ ઉપર ઉંમર વટાવી ચૂક્યા હતા. તેમનો અંત સમય નજીક હતો. તેમણે મગહર શહેરમાં પોતાના અંતિમ દિવસો પસાર કરવા નિર્ણય કર્યો. તે વખતે એવી માન્યતા હતી કે કાશીમાં દેહ પડે તો વૈકુંઠ મળે અને મગહરમાં મૃત્યુ થાય તો જીવની અધોગતિ થાય. ઘણાએ કબીરને સમજાવ્યા પણ કબીરે સમજણ આપી કે, સંતોએ તો નરક અને સ્વર્ગ બંનેને ઠોકર મારી છે. ગુરુની કૃપાથી હું તો સિંહાસને ચડીને પરમાત્માને મળી ચૂક્યો છું. મગહર પાસે વહેતી અમી નદી વરસાદના બે મહિના સિવાય આખું વર્ષ સૂકી રહેતી, પણ કબીરના રહેવાથી આ નદીમાં આખું વર્ષ પાણી વહેતું થયું. કબીરે મગહરમાં દેહ છોડી પુરવાર કર્યું કે, સંસારમાં બધાં સ્થાન સમાન છે, ન બનારસ સ્વર્ગનું દાતા છે કે ન તો મગહર નરકનું કારણ. ઈ.સ.1518માં કબીર નાશંવત જગત છોડી પરમાત્મા લીન થઈ ગયા.

કર્મના બંધન અંગે કબીરે શિષ્યોને સમજ આપતાં કહ્યું છે કે, `કરમ કા બાંધ્યા જીયરા, અહનિસિ આવે જોઈ. સંતોએ તો કર્મોમાં બંધનને ત્રણ તારવાળું દોરડું ગણાવ્યું છે. પ્રારબ્ધ, ક્રિયામણ અને સંતિત. આ સંસારમાં જીવ પોતાના ભાગ્ય અથવા પ્રારબ્ધ અનુસાર યોનિ, કુળ, ગોત્ર, વાતાવરણ, સુખ-દુ:ખ મેળવે છે અને એના જીવનની ધારા એક પૂર્વનિશ્ચિત રાહ પ્રમાણે ચાલે છે, જેથી સંતો-મહાત્માઓએ આ સંસારને કર્મભૂમિ પણ ગણી છે. ટૂંકમાં આપણું જીવન આપણા કર્મો જ નક્કી કરે છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Mexico Plane Crash: મેકિસકોમાં સ્ક્રુવોર્મ માખીઓ છોડતા ક્રેશ થયું વિમાન, 3ના મોત
આંતરરાષ્ટ્રીય

Mexico Plane Crash: મેકિસકોમાં સ્ક્રુવોર્મ માખીઓ છોડતા ક્રેશ થયું વિમાન, 3ના મોત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
IPL 2025: 'બસ જીતવાનું છે…',પ્રીતિ ઝિન્ટાએ પંજાબ કિંગ્સ માટે કરી આ પોસ્ટ
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
RCBએ બેંગ્લુરુમાં થયેલી ભાગદોડ પર વ્યક્ત કર્યું દુ:ખ, શેડ્યુલમાં કર્યો ફેરફાર
Krunal Pandyaએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?