- શહેરના વિકાસ માટે દબાણો દૂર કરવા આર એન્ડ બી અને નગરપાલિકાના અધિકારીઓની એકબીજા પર ખો
- પાલનપુરમાં આર એન્ડ બી અને પાલિકાના અધિકારીઓ શરમ કરો.. શરમ…હવે તો હદ થઈ ગઈ…
- બીના અધિકારીઓ એકબીજાને દોષિત ઠેરવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ટ્રાફીક અને દબાણની સમસ્યા એટલી હદે વકરી છે. કે આજે જિલ્લા પોલીસવડાએ જાતે જ ડીવાયએસપી અને પી.આઈ.તથા પી.એસ.આઈ. સહીતની ટીમ સાથે રસ્તાઓ પરના દબાણ હટાવવા માટે ચાલતા ફરવુ પડયુ.અને આમ છતાંય જેમની દબાણો દુર કરવાની જવાબદારી છે. આર એન્ડ બી અને પાલિકાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે.ત્યારે લોકોમાં સવાલ ઉઠયા છે કે શરમ કરો.. શરમ.. હવે તો હદ થઈ ગઈ…એસ.પી કક્ષાના અધિકારીએ રોડ પર ટ્રાફીક અને દબાણો માટે નીકળવુ પડે એ જિલ્લાતંત્ર માટે શરમજનક છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં નગરપાલિકા વિસ્તાર અને આર એન્ડ બી ની હદમાં આવેલા રસ્તાઓ પર દબાણો અને આડેધડ વાહન પાર્કીંગ કરવાના કારણે શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યા અંગે વારંવાર રજુઆતો અને સંકલનની બેઠકમાં પણ ચર્ચા છતાં આ અંગે અમલવારી કરવામાં પાલનપુર આર એન્ડ બી.ના અધિકારીઓ અને પાલીકાના સત્તાધીશોની બેદરકારીને કારણે શહેરમાં નિયમો નેવે મુકી બની રહેલા બિલ્ડીંગમાં નામ માત્રના પાર્કીંગ બતાવી અને વેપલો કરનારા બિલ્ડરોને કારણે શહેરમાં રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરે છે.તેથી ટ્રાફીક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે.તો બીજી તરફ હદ અને જગ્યાની માલિકી બાબતે પાલિકા અને આર એન્ડ બીના અધિકારીઓ એકબીજાને દોષિત ઠેરવી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ બે ડીવાયએસપી સહીતની ટીમ સાથે પાલનપુર શહેરના રાજમાર્ગો પર થયેલા દબાણો દુરકરાવવા અને રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારા લોકોને યોગ્ય રીતે પાર્કીંગમાં વાહન મુકવા અને બિનઅધિકૃત રીતે દબાણ કરી મુકેલા કેબીનો દુર કરવા શહેરના પુર્વ અને પશ્વિમ વિસ્તારમાં ચાલતા ફરીને કાર્વાહી કરી હતી.આમ શહેરમાં ફુટપાથ પણ સલામત રહ્યા નથી.તેમ છતાં જિલ્લા સમાહર્તાનુ મૌન પણ લોકોને અકળાવે છે.સાથેસાથે પાલિકા અને આર એન્ડ બીના ધઅકિારીઓની બેદરકારીથી કરાતાં દબાણો અંગે પણ કોઈ જાતની કાર્યવાહી ન થતાં તંત્ર સામે લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. શહેરના ગુરુનાનક ચોકથી હાઈવે સુધીના રસ્તામાં દબાણો કોને આભારી ? શહેરમાં ગુરૂનાનક ચોકથી હાઈવે અને તે ઉપરાંતના રાજમાર્ગો પર કરવામાં આવેલા દબાણો કોની રહેમનજર તળે કરવામાં આવ્યા છે.તેના કારણે ટ્રાફીક સમસ્યા વકરી છતાં સૌ સરકારી બાબુઓ મૌન ધારણ કેમ કરી રહ્યા છે.કોને છાવરવામાં આવી રહ્યા છે..શહેરના દબાણો દુર કરવાની જવાબદારી ડીએસપીએ લેવી પડે અને શહેરમાં ચાલતા નીકળવુ પડે તે જવાબદાર અધિકારીઓએ શરમાવાને બદલે નફફટાઈ પૂર્વક જવાબદારીથી છટકી જવાના જવાબ આપી રહ્યા છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહે છે ?
આ અંગે નગરપાલીકાના ચીફઓફીસર નવનીત પટેલે જણાવ્યુ હતુ કે આર એન્ડ બીની જગ્યા હોવાથી અમે ત્યાં કામગીરી કરતાં નથી.અને આર એન્ડ બી માત્ર પત્રવ્યવહાર કરી અને જવાબદારીમાંથી છટકી રહ્યા છે.અને અમને સહકાર આપતા નથી.
પોલીસવડા શું કહે છે ? પાલનપુર શહેરના પુર્વ અને પશ્વિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઈવ કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને રોડ પર જ વ્હી્કલ પાર્ક કરીને દબાણ કરવામાં આવે છે.તે ઉપરાંત કેટલાક દુકાનદારો રોડ પરર સામાન મુકીને દબાણ કરે છે.જેના કારણે વાહનચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડે છે.અને રોંગ વે માં વાહનો ચલાવવામાં આવે છે.તના માટે પણ ડ્રાઈવ કરી છે.અને ખાસ કરીને બસપોર્ટ આગળ ફુટપાથ છે.તેની ઉપર લોકોએ રેનબસેરા કરી દેવામાં આવ્યા છે.આથી એ દુર કરી અને વાહનચાલકોને અને ચાલતા લોકોને નડે નહી તે માટે ડ્રાઈવ કરાઈ હતી.
આર એન્ડ બીના અધિકારી શું કહે છે?
આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર એલ.ડી.ચૌધરીએ આ અંગે જણાવ્યુ હતુ કે નગરપાલીકાની સાથે મળીને કામગીરી કરવાની છે.હમણાં અમારો સ્ટાફ ડીસા ખાતેના કાર્યક્રમના કામમાં વ્યસ્ત છે.અને એસ.પી નુ રીકમ્ડેશન આવશે તો અમે કરી દઈશું
દબાણદારો પાસેથી હપ્તા વસૂલનાર કોણ ?
રૂત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં જાહેર રસ્તા અને ફુટપાથ પરર દબાણ કરાવી અને તમની પાસેથી કોઈને કોઈ રીતે હપ્તા ઉઘરાવવા અને પાવતીના બહાને ઉઘરાણુ કરવામાં આવી રહ્યાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.તો હપ્તા કોણ ઉઘરાવે છે.કોની કોની મિલિભગત છે.તે અંગે તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય તેમ છે.


