દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ પહેલા સાંજે 6:15 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પરની એક જૂતાની દુકાનમાં લાગી હતી, પછી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી અને ઝડપથી આખા ઘરને લપેટમાં લઈ ગઈ હતી. દિલ્હી ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી
આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફૂટવેરની દુકાનમાં લાગી હોવાનું કહેવાય છે. તે ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ. માહિતી મળતાં જ, ફાયર અને પોલીસની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. બચાવકર્તાઓને બિલ્ડિંગની અંદર ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા. આ ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.
” style=”text-align: justify; position: static; visibility: visible; width: 550px; height: 576px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1994814355310072159″>
ઘણી મહેનત બાદ આગ કાબુ મેળવ્યો
ફાયર બ્રિગેડની કુલ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને લગભગ દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ ફેલાતી અટકાવવા માટે સાવચેતી રૂપે નજીકના ઘરો ખાલી કરાવવામાં આવ્યા. પોલીસ હાલમાં આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે, પરંતુ અધિકારીઓ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ગભરાઈ ગયા છે. ઘણા લોકો કહે છે કે આ વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં ઇલેક્ટ્રિક વાયરિંગની નબળી સ્થિતિ અકસ્માતોનું જોખમ બનાવે છે. પોલીસે જણાવ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે, અને ઇમારતની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો -India : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તામાં ખૌફ, આતંકવાદીઓએ લીધો મોટો નિર્ણય


