- વર્લ્ડકપ 2023ની લીગ મેચ પૂર્ણ થઈ
- 15 અને 16 નવેમ્બરે રમાશે સેમીફાઈનલ મેચ
- સેમીફાઈનલ મેચ માટે ICCએ અંપાયરના નામ જાહેર કર્યા
વનડે વર્લ્ડકપ 2023ની લીગ મેચ પૂર્ણ થઈ છે. હવે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે રમવામાં આવશે. આ મેચ માટે ICCએ અંપાયરના નામની જાહેરાત કરી છે. મેચ માટે રિચર્ડ ઈલિંગવર્થ અને રોડ ટકર ફીલ્ડ અંપાયર હશે. સાથે થર્ડ અંપાયરિંગની જવાબદારી જોએલ વિલ્સનને સોંપવામાં આવી છે.
પ્રથમ સેમીફાઈનલ મેચ 15 નવેમ્બરે રમવામાં આવશે
ભારતીય ટીમે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ન્યૂઝીલેન્ડ 5 જીત સાથે ચોથા સ્થાને રહ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલ પ્રથમ અને ચોથા ક્રમની ટીમો વચ્ચે રમાશે. જે બાદ બીજી સેમીફાઇનલ માટે નંબર બે અને ત્રણ ટીમો વચ્ચે ટક્કર થશે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 7-7 જીત સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ટૂર્નામેન્ટની બીજી સેમીફાઇનલ મેચ 16 ઓક્ટોબર એટલે કે ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે, જ્યારે વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ભારતીય ટીમ એક પણ મેચ નથી હારી
મેજબાન ભારત ટૂર્નામેન્ટના લીગ સ્ટેજમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમે 9માંથી 9 મેચમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના વર્લ્ડકપ અભિયનની શરૂઆત કરી હતી. ભારતે આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. જે બાદ રોહિત બ્રિગેડે બીજી મેચમાં અફઘાનિસ્તાનને દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં 8 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને 7 વિકેટે, ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે, 5મી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે, છઠ્ઠી મેચમાં ઈંગ્લેન્ડને 100 રને, 7મી મેચમાં શ્રીલંકાને 302 રને, 8મી મેચમાં સાઉથ આફ્રિકાને 243 રને અને 9મી મેચમાં નેધરલેન્ડને 160 રને હરાવ્યું હતું.


