ચોકી ખાતે તાલીમ લેવા મોકલાયા હતા, પરંતુ ગેરહાજર રહેતા એસપી દ્વારા લેવાયેલું પગલું
ગિર સોમનાથ જિલ્લાના પાંચ પોલીસમેનોને એસપી મનોહરસિંહ જાડેજાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં સન્નાટો મચી ગયો છે. તાલીમ માટે મોકલાયેલા આ પાંચેય પોલીસમેનો ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેમને સસ્પેન્ડ કરાયા છે તેમાં સંદિપ ભીખુભાઈ પરમાર, વિજયસિંહ માનસિંહ ડોડિયા, પ્રકાશ રામભાઈ વાળા, લલિત દાનાભાઈ સોસા અને હર્ષદ રામભાઈ સેવરાનો સમાવેશ થાય છે. આ પાંચેય હથિયારી લોક રક્ષકો છે. આ પાંચેય પોલીસમેનોને એડીઆઈની ટ્રેનિંગ માટે જૂનાગઢના ચોકી (સોરઠ) તાલીમ કેન્દ્ર ખાતે મોકલાયા હતા. પરંતુ તેઓ ત્યાં જવાના બદલે રજા પર ઉતરી ગયા હતા. એટલું જ નહીં લાંબો સમય સુધી ગેરહાજર રહ્યા હતા.