તાજેતરમાં અનેક પ્લેન ક્રેશ થયા બાદ મુસાફરો ગભરાટમાં છે. લોકોના મનમાં ડર વસી ગયો છે. દરમિયાન હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું, તેની પાછળનું કારણ આશ્ચર્યજનક છે. કહેવામાં આવી રહ્યું છે કે એક છોકરીની ઉધરસને કારણે ફ્લાઈટમાં હંગામો થયો અને પછી પ્લેનને લેન્ડ કરવું પડ્યું.
ફ્લાઈટ દરમિયાન બે મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફ્લાઈટ દરમિયાન બે મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે એક છોકરીને સતત ઉધરસ આવતા તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે હંગામો મચાવ્યો. જ્યારે ક્રૂ મેમ્બર્સ બાળકી પાસે પહોંચ્યા અને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તે વધુ ઉશ્કેરાઈ ગઈ. બાળકીએ ક્રૂ મેમ્બર્સને છરી બતાવીને ધમકી આપી હતી.
બાળકીની માતા વચ્ચે પડી અને ક્રુ મેમ્બર સાથે માથાકુટ કરવા લાગી
ઉધરસ પછી બાળકી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ઉડતી ફ્લાઈટમાં જ હંગામો મચાવ્યો. જ્યારે ક્રૂ મેમ્બરે બાળકીને રોકવા માટે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો તો તેણે તેને છરી મારી દેવાની ધમકી આપી. બાળકીની આ વર્તણુકથી ક્રુ મેમ્બર ડઘાઇ ગયા ગમે તેમ કરીને બાળકીને આગળ લઇ જવા લાગ્યા તો બાળકીની માતા વચ્ચે પડી અને ક્રુ મેમ્બર સાથે માથાકુટ કરવા લાગી. તકરાર ખુબ જ વધી જતા અંતે ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી.
આ ઘટનાએ ઘણા મુસાફરોને પરેશાન કર્યા
પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે બાળકીએ પ્લેનના દરવાજાનું હેન્ડલ તોડી નાખ્યું અને યાત્રીઓ પર પગરખાં ફેંકી દીધા. આ ઘટનાએ ઘણા મુસાફરોને પરેશાન કર્યા, જેમાંથી કેટલાક તણાવને કારણે બીમાર પડ્યા. પાયલોટે વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષા માટે બારી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્લેન આવે તે પહેલા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેન્ટેનન્સના લોકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. આ પછી બાળકીની ધરપકડ કરવામાં આવી હતી અને મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. દરમિયાન, એરલાઇન ઇઝીજેટે તેના મુસાફરોની માફી માંગી અને કહ્યું કે આવી ઘટનાઓ અને મુસાફરોની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે.