- ૭ થી ૧૪ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા
- ૨૬ મે થી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે
- રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી થઈ શકે છે,તોઆંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે,૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે,૨૬ મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે,ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા છે,૭ થી ૧૪ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વરસાદની શકયતા છે.આજથી આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થશે.
બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે
દક્ષિણ પૂર્વિય તટો પર ભારે પવન ફૂંકાશે સાથે સાથે ૨૮ મે થી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે.હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે,હિંદ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થશે,મે ના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે,અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે.
રાજયમાં થશે સારો વરસાદ
૮ જૂનથી દરિયામાં પવન બદલાતાની સાથે ૧૪ જૂન સુધી રાજ્યમાં વરસાદ આવશે,૧૭ થી ૨૪ જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે,આ વર્ષે રાજ્યમાં ૧૦૬ ટકા વરસાદ થવાની શકયતા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન
ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 44.2 ડિગ્રી,ડીસા 44.4 ડિગ્રી,ગાંધીનગર 44.0 ડિગ્રી,સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 43.1 ડિગ્રી,વડોદરા 42.2 ડિગ્રી,સુરત 35.8 ડિગ્રી,વલસાડ 37.2 ડિગ્રી,ભુજ 43.8 ડિગ્રી,નલિયા 38.5 ડિગ્રી,કંડલા 41.6 ડિગ્રી,અમરેલી 43.2 ડિગ્રી,ભાવનગર 39.7 ડિગ્રી,દ્વારકા 33.6 ડિગ્રી,પોરબંદર 36.7 ડિગ્રી,રાજકોટ 43.7 ડિગ્રી,મહુવા 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્ય બનમાં કરવામાં આવી હતી. તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. અમુક વિસ્તારોમાં ભારી પવન અને વરસાદના લીધે નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ ભારી નુકસાન થયું હતું. જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાય છે.


