- ભારત-માલદીવ વિવાદ વચ્ચે પહેલીવાર આવ્યું નિવેદન સામે
- પીએમ મોદી પર કરેલા નિવેદન બદલ માલદીવે ત્રણ મંત્રીઓને હટાવ્યા હતા
- માલદીવે ભારતીય સૈન્યને હટાવવા કર્યો આદેશ
ભારત અને માલદીવની સાથે સંબંધો આમ તો ઘણા સારા રહ્યા છે. પરંતુ નવા નવર્ષના પ્રારંભે બંને દેશો વચ્ચે ખટરાગ વધી ગયો. સ્થિતિ એટેલે હદ સુધી વણસી ગઈ હતી કે માલદીવે પોતાને ત્યાં રહેલા ભારતીય સૈનિકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. હવે માલદીવ વિવાદ પર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરનું પોતાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, ”એની કોઈ ગેરંટી ન અપાઈ શકે કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરે અથવા એનાથી સહમત થાય.”
મળતી માહિતી પ્રમાણે નાગપુરમાં એક બેઠક દરમ્યાન વિદેશ મંત્રી સાથે માલદીવની સાથે ચાલતા વિવાદને લઈ સવાલ કરાયો હતો આની પર જયશંકરે કહ્યું કે, ”રાજકારણ તો રાજકારણ છે જ.” ”હું એની કોઈ ગેરંટી ન આપી શકું કે બધા અમારું સમર્થ કરે અથવા સહમત થાય.” તેમને વધુમાં કહ્યું કે, ”અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એક મજબૂત સંબંધ બનાવવાનો. ગત 10 વર્ષમાં આમાં ઘણી સફળતા પણ મળી છે.”
લોકોની વચ્ચે ભારતને લઈ પોઝિટિવ ભાવના હોવી જરૂરી- વિદેશ મંત્રી
વિદેશ મંત્રીએ ગત 10 વર્ષમાં દુનિયામાં ઉત્તમ સંબંધ સ્થાપિત કરવા માટે ઉઠાવેલા પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમને રાજનીતિક સંબંધોમાં ઉતાર-ચઢાવ છતા લોકોની વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા પર ધ્યાન આપ્યું. જયશંકરે કહ્યું કે રાજનીતિ ઉપર-નીચે હોઈ શકે છે પરંતુ એ દેશના લોકો સામાન્ય રીતે ભારત પ્રત્યે સારી ભાવના રાખે છે અને સારા સંબંધોને મહત્ત્વને સમજે છે.
બીજા દેશમાં કરેલા કરેલા કામોનો ઉલ્લેખ
વિદેશ મંત્રી એસ.જયશંકરે અન્ય દેશોમાં પાયાની સવલતમાં વિકાસમાં ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું કે, ”આજે અમે બીજા દેશોમાં માર્ગ, વીજળી. ટ્રાંસમિશન, ઈંધણ પુરવઠો. વેપાર પહોંચાડવા, રોકાણ કરવાના કામ કરી રહ્યા છીએ. આ બધી એવી ચીજોનો હિસ્સો છે જેનાથી સંબંધ બનેલા રહે.” અને છેલ્લે તેમને કહ્યું કે, ”ક્યારેક ચીજો સારી રીતે નથી ચાલતી અને ત્યારે તમે ચીજોને પરત એવી સ્થિતિમાં લાવવા એવા લોકોને સમજાવવા પડે છે જ્યાં તેમને હોવું જોઈએ.”
આખરે વિવાદ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષ નિમિત્તે લક્ષદ્વીપ પ્રવાસે ગયા હતા. તેમને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં પસાર કરેલા સમયના ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા હતા. લક્ષદ્વીપની સુંદરતા જોઈ આના વખાણ કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તો એટલા સુધી કહીં દીધું કે ભારતીયો માલદીવના બદલે લક્ષદ્વીપ ફરવા જવા પર ધ્યાન આપવું જોઈએ. જો કે આ વાત માલદીવના કેટલાક મંત્રીઓને ખૂબ ખરાબ લાગી હતી અને તેઓએ પીએમ મોદીને લઈ સોશિયલ મીડિયા પર ખરાબ ટિપ્પણી કરી હતી.
દેશમાં જ્યારે લોકો આની પર વિરોધ દર્શાવે કે માલદીવ સરકારે વિવાદિત નિવેદન દેનાર ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારે એક નિવેદન પ્રસિદ્ધ કરી ખુદ મંત્રીઓને આપત્તિજનક ટિપ્પણી કરવાથી દૂર કર્યા અને ભારતને પોતાના પ્રમુખ સહયોગી બતાવ્યા હતા. માલદીવ દેશ તરફથી તાજેતરમાં ત્યાં રહેલા ભારતીય સૈનિકોને દેશ છોડવાનું પણ કહેવામાં આવ્યું છે.


