ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજકોટ કલેકટરને આવેદન પાઠવી ફોરેન્સીક તપાસ સહિતના મુદ્દે આવેદન : ન્યાયીક પ્રક્રિયા નહી થાય તો આંદોલનની ચીમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર સમિતિ દ્વારા રાજકોટ શહેરની તમામ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) 2025–26 પ્રક્રિયા દરમિયાન થયેલી ગંભીર, શંકાસ્પદ અને લોકશાહી વિરોધી અનિયમિતતાઓ સામે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન Form No.7 (Deletion/Objection) હજારોની સંખ્યામાં બલ્કમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પ્રથમ દૃષ્ટિએ જ ખોટા, બનાવટી અને પૂર્વનિયોજિત જણાઈ આવે છે. આ સમગ્ર ઘટના માત્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો કરતી નથી, પરંતુ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત મતાધિકાર પર સીધો હુમલો છે.
ડૉ. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં Form-7માં એકસરખી અથવા અલગ-અલગ ખોટી સહી, EPIC નંબર તથા વ્યક્તિગત વિગતોમાં ચેડા, સોફ્ટવેર/ઓટોમેટેડ રીતે જનરેટ થયેલા ફોર્મ, એક જ વ્યક્તિ દ્વારા અનેક ફોર્મ ભરવાના પુરાવા, બોગસ મોબાઇલ નંબરનો ઉપયોગ જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. ખાસ કરીને SC, OBC, અલ્પસંખ્યક તથા આર્થિક રીતે નબળા વર્ગના મતદારો વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના હોવું અત્યંત ચિંતાજનક છે. તેમણે વધુમાં કહ્યું કે, Election Commission of India ની માર્ગદર્શિકા મુજબ Bulk Form-7 સ્વીકાર્ય નથી, તેમ છતાં ERO દ્વારા યોગ્ય ચકાસણી વિના આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાની આશંકા છે. ગ્રામ્ય અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કાઢવાની કોશિશ સામાજિક ન્યાય અને બંધારણીય સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ શંકાસ્પદ અને બલ્ક Form-7 પર તાત્કાલિક સ્ટે મુકવામાં આવે. ખોટા Form-7 રદ કરવામાં આવે. સમગ્ર મામલાની ટેક્નિકલ તથા ફોરેન્સિક તપાસ કરાવવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે Bharatiya Nyaya Sanhita, 2023 તથા Representation of the People Act, 1950 હેઠળ FIR નોંધવામાં આવે. ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે. સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ Election Commission of India ને મોકલવામાં આવે. તેમ અંતમાં ડૉ. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો સમયસર અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકશાહીમાં જનવિશ્વાસ ને ગંભીર નુકસાન થશે અને કોંગ્રેસ ગાંધી ચિંધેલા માર્ગે મતદારોના અધિકારની રક્ષા માટે સત્ય અને સંઘર્ષની લડત લડવા મજબૂર બનશે.
કલેકટર કચેરીમાં રજૂઆત સમયે વશરામભાઈ સાગઠીયા, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા , જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા , નરેન્દ્ર ભાઈ સોલંકી , ડી પી મકવાણા, નીતિનભાઈ ભંડેરા , કોમલબેન ભરાઈ , મુકેશભાઈ ચાવડા, મુકુંદભાઈ ટાંક, ગોવિંદભાઈ સભાયા, ભાવેશભાઈ વાઘેલા, જગુભા જાડેજા, શૈલેષભાઈ સાકરીયા, કેતનભાઇ તાળા, હાર્દિકભાઈ પટેલ, આરીફભાઈ ઘોણીયા, સુરેશભાઈ ગેરૈયા, રાજુભાઈ ચાવડા, નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઉંડા, હાજીભાઇ ઓડિયા, દીપભાઈ ભંડેરી, વિજયભાઈ પીઠડીયા, ડીપીનભાઈ ભગદેવ, સિકંદરભાઈ ડાકોરા, ઉમરભાઈ સોરા, ઈરફાનભાઈ સુમરા, હસુભાઈ ગોસ્વામી, વિક્રમભાઈ સોલંકી, રાજુભાઈ ચાવડા, હાર્દિકભાઈ પરમાર, રમેશભાઈ પ્રજાપતિ, જયંતીભાઈ હિરપરા, અલ્તાફભાઈ રાવમા, મહેશભાઈ પરમાર, અકબરભાઈ પતાણી, જાવેદભાઈ નાગાણી, રામદેવસિંહ વાઘેલા, ગોપાલભાઈ મારવી, ગોલુભા સરવૈયા, મનોજભાઈ ગઢવી, શૈલેષભાઈ જાદવ, મનોજભાઈ માદરીયા, ઠાકરશીભાઈ ગજેરા, શૈલેષભાઈ મહેતા, ગોરુભાઈ પુજારા, દિલીપભાઈ આસવાણી, વૈશાલીબેન શિંદે, હિરેનભાઈ ચાવડીયા, સલીમભાઈ કારીયાણીયા, જેન્તીભાઈ ડોબરીયા, હરદીપભાઈ રાઠોડ, રહીમભાઈ સોરા, કુણાલભાઈ ચૌહાણ, રવજીભાઈ ખીમસુરીયા, માવજીભાઈ રાખસીયા, નરેશભાઈ ગઢવી, આનંદભાઈ વાગડિયા, યુનુસભાઈ જુણેજા, કલ્પેશભાઈ વાઘેલા, બિંદીયાબેન તન્ના, યજ્ઞેશભાઈ દવે, શાંતાબેન મકવાણા, વિજયાબા જાડેજા, હિરલબા રાઠોડ, હિતેશભાઈ વાઘેલા, ગૌરવ ખીમસુરીયા, પ્રફુલા બા રાઠોડ, રવિભાઈ જીતીયા, જયાબેન ચૌહાણ, જીગ્નેશભાઈ વિરોજા, પ્રીતિબેન રાઠોડ, ધર્મિષ્ઠાબા જાડેજા, મેરુમબેન કુરેશી, દીપુબેન રવૈયા, જશુબેન વાળા, ભાવનાબેન વાઘેલા સહિતના હાજર રહ્યા હતાં.


