- કર્પુરી ઠાકોરને મળશે ભારત રત્નનું સન્માન
- બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે કર્પુરી ઠાકુર
- મોદી સરકારે ભારત રત્ન આપવાનો કર્યો નિર્ણય
કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રીને મરણોત્તર આ સન્માન આપવાની જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. મહત્વનું છે કે, આવતીકાલે કર્પુરી ઠાકુરની જન્મજિયંતિ છે. ત્યારે જન્મજયંતી પહેલા જ ઠાકુરનું ભારત રત્નથી સન્માન કરવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રીની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા આ સન્માનની જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કર્પૂરી ઠાકુરની એક તસવીર શેર કરતાં લખ્યું, “મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક મહાન જનનાયક કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની જન્મશતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના એક ચેમ્પિયન તેમજ સમાનતા અને સશક્તિકરણના એક દિગ્ગજમાં આ આ પ્રતિષ્ઠિત સન્માન તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે.”
પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, ‘દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય પૃષ્ટ પર એક અમિટ છાપ છોડી છે. આ પુરસ્કાર ન માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરે છે પરંતુ વધુ ન્યાયપૂર્ણ અને ન્યાયસંગત સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે.”
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ક્યારેક પદ્મ પુરસ્કારો અને ક્યારેક ભારત રત્ન જાહેર કરે છે. આ વખતે સરકારે પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા ભારત રત્નની જાહેરાત કરી છે. 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે. તેની પૂર્વસંધ્યાએ, એવી જાહેરાત કરવામાં આવી છે કે તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે.


