- અયોધ્યા રામમંદિરને લઇને તૈયારીઓ તેજ
- કર્ણાટકના પૂર્વ સીએમને મળ્યુ આમંત્રણ
- 22 જાન્યુઆરીએ થશે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
22 જાન્યુઆરી 2024ની તારીખ અયોધ્યામાં ઈતિહાસના પાનામાં નોંધાઈ જવાની છે. આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આવી સ્થિતિમાં તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન, કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને ભવ્ય અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.
22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ
રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 22 જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો દિવસ દરમિયાન મંદિરોમાં એકસાથે બેસીને રામજન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે. આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
શું કહે છે ચંપત રાય ?
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ યોજાનાર અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. 15 જાન્યુઆરી સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે.


