By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભગવાન ક્યાં વસે છે?
    ભગવાન ક્યાં વસે છે?
    4 days ago
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ
    5 days ago
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું
    5 days ago
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર
    5 days ago
    દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
    દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    4 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    4 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    4 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોબતની અસર તો થાય જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સોબતની અસર તો થાય જ

AgraGujarat Rajkot
Last updated: 2025/09/25 at 11:22 AM
5 days ago
Share
સોબતની અસર તો થાય જ
SHARE

પેઢાલપુર નામનું એક નગર હતું. ત્યાંના રાજા શ્રીમૂલ હતા. એમને પુષ્પમૂલ નામનો એક દીકરો હતો. નાનપણથી ખોટા મિત્રોની સોબત રહી. જુગાર રમતા હાર્યો. પોતાની પાસે હતું એટલું તો દાવમાં લગાવી દીધું, હવે શું કરવું? એના સાગરીતોએ એને સલાહ આપી. તું તો રાજાનો દીકરો છે. આખું ગામ તારું છે. તારો અધિકાર છે. ગમે એને ત્યાં જઈને પૈસા લઈ આવવાના, તને રોકનાર કોણ છે? મિત્રોની સોબતના કારણે એ કેટલાક લોકોની પાસેથી પૈસા લૂંટીને લાવ્યો.

રાજકુમારના કારણે ત્રાસ પામેલા નગરજનો સાથે મળીને રાજાની પાસે ફરિયાદ કરવા ગયા. રાજાએ તપાસ કરી એમાં એમને જાણવા મળ્યું કે આ બધાના મૂળમાં એમનો જ સુપુત્ર છે. બાપે એને સારો એવો ઠપકાર્યો. પુષ્પમૂલના બદલે એને વંકમૂલ પણ કહ્યું. આ બધું સાંભળીને એને ઉદ્વેગ જાગ્યો. મારા પિતા જ મને આટલું બધું સંભળાવે? હવે મારે આ નગરમાં રહેવું જ નથી. એ ત્યાંથી રવાના થઈ ગયો.

ચાલતાં ચાલતાં તે એક લૂંટારુઓની પલ્લીમાં પહોંચ્યો. વંકમૂલને એ લોકો ગમી ગયા અને એ લોકોને વંકમૂલ ગમી ગયો. એ લોકોને લાગ્યું આપણા માટે આ માણસ કામનો છે. કોઈ એકલદોકલ મુસાફર આ તરફથી પસાર થાય તો એને લૂંટી લેવાનો. આનાથી જ એ પોતાનું ગુજરાન ચલાવતા. આવા કામમાં તો વંકમૂલની માસ્ટરી હતી. આમ ને આમ સમય જતાં પલ્લીપતિના મરણ બાદ વંકમૂલને જ પલ્લીપતિ બનાવ્યો છે.

એક સમયે ચોમાસાના દિવસો હતા. અષાઢ મહિનાના એ દિવસોમાં વરસાદની હેલી વરસી રહી હતી. એવા સમયે આઠ-દસ સાધુ મહાત્માનું વૃંદ આવી રહ્યું હતું. પલ્લીના માણસોએ દૂરથી જોયું, બધા સાબદા થયા. નજીક ગયા ત્યારે ખબર પડી કે આ તો સાધુ મહાત્મા છે. આમની પાસેથી આપણે શું લેવાનું? સાધુ મહાત્માની પાસે પહોંચ્યા.

સાધુ મહાત્માઓના એક મહાત્માએ કહ્યું, ભાગ્યશાળીઓ અમે જૈન શ્રામણો છીએ. ચાતુર્માસ કાળ નજીક આવી રહ્યો છે. ચોમાસામાં અમારાથી વિહાર કરી શકાય નહીં અને હવે અમારે અહીં ચાર માસ રહેવાની જગ્યાની જરૂર છે. જો તમને તકલીફ ન હોય તો અમે અહીં રહીએ. એ લોકોએ અંદર અંદર મસલત કરી. આમને તો જગ્યા જ જોઈએ છે. કદાચ ખવડાવવાનું હોય તો આપણે ખાઈએ એમાંથી જ આપવાનું છે તો રાખવામાં શું વાંધો છે? વાત તો સાચી છે, પણ આ લોકો તો ઉપદેશ આપે એમની વાત સાંભળીને આપણા સાગરીતો ધંધો છોડી દેશે તો પછી આપણે શું કરીશું? એનો વિચાર કરો.

વાત તો જાણે કે ખરી છે, પણ આ મહાત્માની સેવા તો આપણે કરવી જ પડે. આપણે એમને વિનંતી કરીએ કે તમે અહીં રહો, પણ કોઈને ઉપદેશ આપવો નહીં. આટલી અમારી વાતનો સ્વીકાર કરો.

મહાત્માઓનું વૃંદ પલ્લીમાં રહ્યું. ઉપદેશ આપવાની મનાઈ છે, પણ ઉપદેશ માત્ર શબ્દોથી જ અપાય એવું તો નથી. એમનું વર્તન, એમનો વ્યવહાર જોઈને બધા ખૂબ પ્રભાવિત બન્યા. રોજ એમનાં દર્શન કરીને જ બધા કામે લાગતા. આ એમનો રોજિંદો ક્રમ બની ગયેલો હતો. એમ કરતાં ચાર માસ વ્યતીત થઈ ગયા. મહાત્માએ કહ્યું આવતી કાલે અમારો વિહાર છે. અમારા રહેવાના કારણે તમને કોઈ તકલીફ પડી હોય તો એની ક્ષમાયાચના કરીએ. વિહારના સમયે પલ્લીપતિ વંકમૂલ સહિત પલ્લીના બધા સદસ્યો મહાત્માને મૂકવા માટે આવ્યા છે. એમની સરહદ જ્યાં પૂરી થઈ ત્યાં મહાત્મા ઊભા રહ્યા અને કહ્યું ભાગ્યશાળીઓ તમારી હદ પૂરી થાય છે અને એની સાથે જ તમારી શરત પણ અહીં જ પૂરી થાય છે. એટલે હવે અમારી વાત તમારે સાંભળવી જોઈએ.

તમે અમારી સેવા શુશ્રૂષા સરસ કરી, હવે અમારે પણ તમને કંઈક આપવું છે. અમારી પાસે તમને આપવા માટે કોઈ દ્રવ્ય તો છે નહીં, પણ તમારા જીવનમાં ઉપયોગી થઈ શકે એવી વાતો કરવી છે. વંકમૂલ સહિત દરેક જણ શાંતિથી મહાત્માને સાંભળી રહેલા હતા. મહાત્માના વક્તવ્યનો સૂર એ હતો કે તમારું જીવન સજ્જનને શોભે એવું હોવું જોઈએ.

વંકમૂલ કહે છે આપ કહો છો એવું જીવન જીવવાનું હોય તો અમારે ભૂખ્યા રહેવું પડે. આપ એવું કંઈક કહો કે અમારો આ ધંધો પણ ચાલુ રહે અને આપની વાતનો સ્વીકાર કરી શકીએ.

જોકે, આ ધંધો તમારે કરવા જેવો તો નથી જ, છતાં તમે એને અનિવાર્ય અનિષ્ઠ તરીકે એને સ્વીકારી માનતા હોય તો મારે તમને ચાર નિયમો આપવા છે, જે તમારા આ વ્યવસાયમાં પણ અવરોધ કરશે નહીં અને છતાં તમને કોઈ સાચી દિશામાં લઈ જશે.

(1) ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ અજાણ્યાં ફળ ક્યારે પણ ખાવાં નહીં. (2) કાગડાનું માંસ ખાવું નહીં. (3) રાજરાણીની સાથે પ્રેમ કરવો નહીં. (4) ગમે ત્યારે તલવારનો ઉપયોગ કરવો પડે તો સાત-આઠ ડગલાં પાછળ હટીને પછી મારવાનો પ્રયત્ન કરવો. આ ચાર નિયમોમાં તમને એવી કોઈ મોટી તકલીફ થવાની સંભાવના નથી. જ્યારે આ નિયમ તમારા જીવનમાં ઘણા ઉપયોગી થશે.

વંકમૂલે ભાવથી નિયમોનો સ્વીકાર કર્યો. દૃઢતાપૂર્વક નિયમોનું પાલન કરે છે.

વંકમૂલ અને એના સાગરીતો એકવાર ચોરી કરીને આવતા હતા. રસ્તામાં ભૂખ લાગી. પાસે ખાવાનું તો કશું હતું નહીં. આસપાસનાં ઝાડ ઉપર તપાસ કરતાં સરસ દેખાતાં ફળો એમના જોવામાં આવ્યાં. તરત તોડીને વંકમૂલ પાસે લાવ્યાં.

વંકમૂલ કહે છે, આ કયાં ફળો છે? એનું નામ શું? પેલા લોકો કહે છે, નામનું શું કામ છે? તમે તમારે ખાવને, નામની ચિંતા શું કરો છો?

પણ એને અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ હતો. એણે ન ખાધાં. જેમણે ખાધાં એ બધાં સૂઈ ગયાં તે ક્યારેય ઊભા થયા નહીં. વંકમૂલને પોતાના નિયમનો પ્રભાવ જોવા મળ્યો. જો મેં આ ફળો ખાધાં હોત તો હું પણ આજે પરલોક પહોંચી ગયો હોત. પોતાના નિયમની મનોમન પ્રશંસા કરે છે. એ ફળ ઝેરી હતાં. ન ખાવાથી બચી ગયો.

એક દિવસ એ કોઈ જગ્યાએ ધાડ પાડવા ગયો હતો. પાછા આવતાં રાતે ઘણું મોડું થઈ ગયેલું. ઘેર આવ્યો અને જોયું તો ઘરમાં પોતાની પત્ની કોઈ પુરુષની સાથે સૂતેલી જોઈ. વંકમૂલને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એણે નક્કી કર્યું આ બેયને યમસદન પહોંચાડવાં પડશે. મારવા માટે તલવાર કાઢી. એને પેલો નિયમ યાદ આવ્યો. તલવાર ચલાવતા પહેલાં પાંચ-સાત ડગલાં પાછળ ચાલવું પછી જ તલવારનો ઉપયોગ કરવો. એ પાછળ ડગલાં ભરે છે. પાછળ દીવાલ હતી એની સાથે તલવાર ટકરાઈ. અવાજ થયો. અવાજથી એની પત્ની જાગી. એણે પોતાના પતિના ગુસ્સાનો ખ્યાલ આવ્યો. તરત જ એણે પતિને કહ્યું શું કરો છો? શું કરો છો એટલે? તું કોની સાથે સૂતી છે? પેલી એકદમ હસવા લાગી. એણે કહ્યું, આ કોણ સૂતું છે એ તો જુઓ. હકીકતમાં વંકમૂલની બહેન જ પુરુષના વેશમાં સૂતેલી હતી. મહાત્માના બીજા નિયમનો પણ એને આજે અનુભવ થઈ ગયો. આજે જો નિયમ ન હોત તો પત્ની અને બહેનની હત્યાનું પાપ લાગવાનું હતું. વંકમૂલે એ દિવસે રાજમહેલમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. રાતનો સમય. રાજા સૂઈ ગયેલો છે. એની રાણી જાગી ગયેલી. ચોરી કરીને જઈ રહ્યો હતો ત્યારે રાણીએ કહ્યું, મને સંતોષ કરાવીને જા તો હજુ વધારે ધન મળે એવું કરી આપું. વંકમૂલ કહે છે મારે વધારે ધનની જરૂર નથી, આટલું ઘણું છે. એને નિયમ છે રાજરાણી સાથે પ્રીત કરવાની નથી.

રાજરાણી કહે છે, મારી વાત નહીં માને તો હમણાં જ પકડાવી દઈશ. વંકમૂલ કહે છે ચિંતા નહીં, પણ મારો નિયમ તો બરાબર પાળીશ. રાણીએ રાજાને જગાડ્યો અને કહ્યું, આ ચોર ચોરી કરવા આવ્યો છે. રક્ષકોને બોલાવીને કહ્યું આને લઈ જાવ, સવારે સભામાં લાવજો. સવારે સભામાં લઈ ગયા. રાજાએ કહ્યું બધી વાતની મને ખબર છે. હું જાગતો જ હતો. રાજ્યમાં સારી પોસ્ટ એમને આપવામાં આવી.

એકવાર કોઈ રાજાની સામે યુદ્ધ માટે જવાનું થયું. દરમિયાન એમના શરીર ઉપર ઘણા ઘા થયેલા. શરીરમાંથી લોહી પણ સારું એવું વહી ગયેલું. નગરમાં આવીને ઉપચાર કરવાની વાત આવી. રાજવૈદ્યને બોલાવ્યા. નાડી તપાસીને કહ્યું, ઉપચાર કરવાથી સારું થશે, પણ એમને કાગડાના માંસ સાથે દવાનું સેવન કરવું પડશે. વંકમૂલે સ્પષ્ટ કહ્યું, ઉપચાર થાય એમ હોય તો ઠીક છે, ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ મારાથી કાગડાના માંસનો ઉપયોગ થઈ શકશે નહીં, કારણ કે મારે બાધા છે. નિયમ લીધેલો છે. મારા નિયમનો ભંગ મારાથી થઈ શકશે નહીં. પોતાના નિયમને દૃઢપણે વળગી રહ્યો. શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયો.

આપણે પણ આપણા જીવનમાં આગળ વધવું હોય તો સારા નિયમો લેવા જોઈએ અને પ્રાણાંતે પણ નિયમનો ભંગ ન થાય એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

You Might Also Like

ભગવાન ક્યાં વસે છે?

રામાયણના રચયિતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિ

હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું

મધ્ય પ્રદેશમાં ઈન્દ્રકિલાદ્રી પર્વત પરનું માતા દુર્ગાનું પ્રાચીન મંદિર

દેવી ભાગવતમાં વર્ણિત નવ દેવીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Liver Cancer : શરીરમાં આ સામાન્ય લક્ષણોને અવગણવાથી લીવર કેન્સરનું જોખમ,  પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ લખી ભાવુક પોસ્ટ
હેલ્થ

Liver Cancer : શરીરમાં આ સામાન્ય લક્ષણોને અવગણવાથી લીવર કેન્સરનું જોખમ, પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ લખી ભાવુક પોસ્ટ

By 6 days ago
PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દાઓ પર કરી ચર્ચા
Health Tips : તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હળદરવાળું પાણી કે હળદરવાળું દૂધ કયું શ્રેષ્ઠ, જાણો શું કહે છે એક્સપર્ટ
નવરાત્રિ : આદ્યશક્તિની આરાધના કરવાનો સમય
Sonam Wangchuk ને કડક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે જોધપુર સેન્ટ્રલ જેલમાં લવાયા, લેહમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?