By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    22 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગજરાજ : રથયાત્રાનું અભિન્ન અંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગજરાજ : રથયાત્રાનું અભિન્ન અંગ

Last updated: 2025/06/19 at 4:30 AM
9 months ago
Share
ગજરાજ : રથયાત્રાનું અભિન્ન અંગ
SHARE

અમદાવાદમાં વર્ષો પહેલાં જ્યારે રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી જ હાથીઓ રથયાત્રામાં જોડાય છે. જગન્નાથપુરીની જેમ આ વર્ષે શહેરના જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન મોસાળ ગયા ત્યારે ગજવેશ પહેરાવવામાં આવ્યા હતા.

એટલું જ નહીં `સરજુપ્રસાદ’ નામના એક હાથીની સમાધિ પાસે અત્યારે ગણપતિ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં નિત્ય પૂજાપાઠ પણ થાય છે. રથયાત્રાનું નિમંત્રણ આ `સરજુપ્રસાદ’ નામના ગજરાજની સમાધિ અને જગન્નાથજી મંદિરની સામે આવેલા હનુમાનજી મંદિરમાં પણ આપવામાં આવે છે.

 આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રથમ ગણપતિ પૂજનનું મહત્ત્વ છે. એ દૃષ્ટિએ પણ રથયાત્રામાં પ્રથમ હાથીઓ જ જોડાય છે. આ વર્ષે જગન્નાથપુરીની જેમ ભગવાન મોસાળ ગયા ત્યારે અહીં ગજવેશ પહેરાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દોરના મહારાજાએ જગન્નાથજી મંદિરને `સરજુપ્રસાદ’ નામનો હાથી ભેટ આપ્યો હતો અને તે રથયાત્રામાં પણ જોડાતો હતો. તેના મૃત્યુ પછી તેની સમાધિ અહીં બનાવવામાં આવી હતી. સાથોસાથ રથયાત્રાના દિવસે પણ ગજરાજ જ સૌપ્રથમ ભગવાનના રથનાં દર્શન કરે છે. વર્ષ 1985માં હાથીઓએ જ રથને દાંતથી ખેંચીને મંદિરના દરવાજાની બહાર કાઢી રથયાત્રાની પરંપરા અખંડિત રાખી હતી તે ઘટના તો સર્વવિદિત છે. સામાન્ય રીતે દર વર્ષે લગભગ 16 ગજરાજ રથયાત્રામાં જોડાય છે. જોકે, અત્યારે જગન્નાથજી મંદિરમાં બધી જ હાથણીઓ છે.

 આ દિવસે તેમને વિશિષ્ટ રીતે શણગારાય છે. મહાવતો એક દિવસ પહેલાંથી જ તેના માટેની તૈયારીઓ આરંભી દેતા હોય છે. આ દિવસ તેમના માટે વિશિષ્ટ હોય છે. જોકે, અત્યાર સુધી રથયાત્રાના ઇતિહાસમાં કોઈ જાનહાનિ ગજરાજ દ્વારા થઈ હોય તેવું નોંધાયું નથી, તેમ છતાં હાથીઓ માટે વિશેષ પશુ ચિકિત્સકની ટીમ પણ રથયાત્રામાં સાથે રહે છે.

ભગવાન જગન્નાથજીનું લાખેણું મોસાળું

રથયાત્રા જ્યારે સરસપુર (ભગવાનના મોસાળે) આવી પહોંચે છે ત્યારે ત્યાંના અતિ પ્રાચીન રણછોડરાયજીના મહંતશ્રી વાજતે ગાજતે ત્રણેય રથોમાં બિરાજમાન પોતાના ભાણેજો તથા રથયાત્રીઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરે છે. ત્રણેય રથોનું વિધિવત્ પૂજન થાય છે. ત્યારબાદ યજમાન દ્વારા ભગવાનનું લાખેણું મોસાળું પૂરવામાં આવે છે. આ સમયે યજમાન અને સરસપુરના રહેવાસીઓના મનમાં આનંદ સમાતો નથી. બહેન સુભદ્રાજી માટે સોનાના ઢોળવાળા ચાંદીના હાર, પાઘ (પાઘડી), હાથના પાટલા, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, નથણી, ચાંદીની ઘૂઘરી વડે અલંકારિક સાડી, કપડાં તથા પાર્વતી શણગાર, ચૂડી-ચાંદલો તથા ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામ માટે પાઘ (પાઘડી), ધોતી-ઝભ્ભો, કાંડા ઘડિયાળ, પગરખાં, અલંકાર, પીવાના પાણી માટે માટીના કુંભ, વિવિધ ફળ અને શુદ્ધ દેશી ઘીની મીઠાઇઓ તથા કીમતી ચીજવસ્તુઓની પહેરામણી કરવામાં આવે છે.

કોઠારમાં દરોડો પાડનાર કલેક્ટર છોભીલા પડ્યા

મહંત નરસિંહદાસજીના સમયની આ ઘટના એવી છે કે વર્ષ 1940માં બધે જ અનાજનું રેશનિંગ હતું. તે ગાળામાં મંદિરમાં પણ સાધુ-સંતો અને દરિદ્રનારાયણો માટે મંદિરનો ભંડારો સવાર-સાંજ ચાલુ હતો. તે દરમિયાન કોઈની કાન ભંભેરણીથી તત્કાલીન અંગ્રેજ કલેક્ટર પિમ્પુટકરેને કોઈએ કહ્યું કે મહંત નરસિંહદાસજી અન્નક્ષેત્ર-ભંડારો ચલાવે છે ત્યારે આટલું બધું અનાજ લાવે છે ક્યાંથી? તેમની પાસે અનાજ, ખાંડ, ઘી, તેલ, ગોળનો જથ્થો કેટલો છે તેની તપાસ થવી જોઈએ. એટલે આ કલેક્ટરે પોતાના માણસો સાથે મંદિરમાં રેડ પાડી.

પ્રથમ તેઓ તત્કાલીન મહંતને મળ્યા. મહંતે પ્રેમપૂર્વક આવકાર આપી કહ્યું જુઓ, હું અહીંનો સેવક છું, માલિક તો સ્વયં જગન્નાથજી છે. તમે અહીં જે જુઓ છો તે બધું ધર્માદાનું છે. લોકો દાન આપે છે તેના વળતરરૂપે ભંડારારૂપે સાધુ-સંતો અને દરિદ્રનારાયણને જમાડીએ છીએ. તમે મંદિરના કોઠારની ચાવી જાતે લઈ તાળું ખોલી જુઓ. પછી કલેક્ટર અને તેમની સાથેના અધિકારીઓ મંદિરના સેવકો સાથે કોઠાર જોવા ગયા. બધાએ જોયું કે બધા કોથળા ખાલી હતા. ક્યાંય ગોળના રવા, ઘી-તેલના ડબા પણ ન દેખાયા. એટલે બધા ભોંઠા પડી ગયા. ત્યારબાદ મહંતે તેઓને પૂછ્યું કે તમે બરાબર કોઠાર જોઈ આવ્યા કંઈ સંતાડીને કે છુપાવીને રાખ્યું છે? હવે તમે અમારા અતિથિ છો એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને આગળની કાર્યવાહી કરજો. પછી તેમણે માલપૂઆનો પ્રસાદ આરોગ્યા પછી મહંતે કહ્યું તમે જીવદયાનો મનમાં ભાવ રાખી ફરીથી કોઠાર ખોલીને જુઓ. કલેક્ટર અને તે અધિકારીઓએ તે મુજબ કર્યું, પરંતુ આશ્ચર્ય થયું કે અત્યારે બધા જ કોથળા અનાજ-ખાંડથી ભરપૂર હતા અને તેલ-ઘીના ડબા અને ગોળના 2વા દેખાયા. એટલે કલેક્ટરે પોતાના માણસને ખાંડનો એક કોથળો ઊંચકી તોલવા કહ્યું. કોથળો ઊંચકવા ઘણું બળ કર્યું, પરંતુ તે ઊંચકાયો જ નહીં. પછી કલેક્ટર ને અધિકારીઓ સંતના ચરણમાં ઝૂકી ગયા અને જગન્નાથજીનાં દર્શન કરીને નીકળી ગયા. જોકે, આ ચમત્કાર કહો કે કંઈ પણ આજે પણ ગમે તેવી કુદરતી આપત્તિ હોય ત્યારે જગન્નાથજી મંદિરના કોઠાર હંમેશાં દુ:ખીજનોની સહાય માટે ખુલ્લા હોય છે અને આજે પણ રોજ સાધુ-સંતો અને દરિદ્રનારાયણ મંદિરના ભંડારામાં ભોજનપ્રસાદ મેળવે છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 6 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?