બે યુવાનો ગોંડલના વતની અન્ય બે મૃતકો ધોરાજીના રહેવાસી હોવાનું ખુલ્યું
ગોંડલ ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર વહેલી સવારે સ્વિફટ કાર અને બલેરો જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બે ગોંડલ નાં અને બે ધોરાજી નાં યુવાનો નાં કરુણ મોત નિપજ્યા હતા.અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બન્ને વાહનો નો બુકડો બોલી ગયો હતો.બનાવ નાં પગલે ઇમરજન્સી ૧૦૮, શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહો ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બી’ ડીવીઝન ઉપરાંત તાલુકા પોલીસ અને રૂરલ ક્રાઈમ બ્રાંચ ની ટીમ ઘટના સ્થળે પંહોચી રોડ પર ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યે નૅશનલ હાઇવે ટીવીએસ શો રુમ ની સામે ધોરાજી તરફ જઈ રહેલી જીજેઓ3 એલજી ૫૧૧૯ નંબર ની બેકાબુ બનેલી સ્વિફટ કાર ડિવાઇડર તોડી જામવાડી ચોકડી તરફ થી આવી રહેલી જીજેઓ 3 એમએલ ૨૪૪૪નંબર ની બલેરો જીપ સાથે ધડાકાભેર અથડાતા બન્ને ગાડીઓ નો બુકડો બોલી ગયો હતો.અને મરણચીસો થી હાઇવે ગાજી ઉઠ્યો હતો.અકસ્માત માં બલેરો જીપ માં રહેલા ગોંડલ નાં મારુતી નગર માં રહેતા સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.૩૫ તથા મહાકાળીનગર માં રહેતા ક્રીપાલસિંહ હરભમસિહ જાડેજા ઉ.૩૯ ઉપરાંત સ્વિફટ કાર માં રહેલા ધોરાજી નાં વિરમભાઇ દેસુરભાઇ કરમટા તથા સિધ્ધાર્થભાઇ કાચા નાં ગંભીર ઇજાનાં કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.બનાવ ને પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ બી’ડીવીઝન નાં પીએસઆઇ સુરાણી ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ મૃતદેહો ને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માત માં મોત ને ભેંટનાર સિધ્ધરાજસિંહ ઝાલા પરણીત હતા.સંતાન માં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું અને માઉન્ટ આબુ માં હોટેલ ચલાવતા હોવાનુ જાણવા મળેલ હતુ.જ્યારે ક્રીપાલસિંહ જાડેજા મહાકાળીનગર માં રહેતા હતા.અને અપરણીત હતા.ત્રણ ભાઇઓ નાં પરીવાર માં નાના હતા.એક વર્ષ પહેલા તેમના ભાઈ નુ મૃત્યુ થયુ હતુ.જ્યારે તેમના માતાનું હજુ ત્રણ મહીના પહેલા મૃત્યુ થયુ હતુ.ક્રીપાલસિંહ મુળ માણેકવાડા નાં વતની હતા.ધોરાજી નાં યુવાનો ની મોડે થી ઓળખ થતા તેના પરિવાર ને જાણ કરાઇ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.