By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસ તૂ જલદી આ…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસ તૂ જલદી આ…

agragujaratnews
Last updated: 2023/10/03 at 2:33 PM
2 years ago
Share
ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસ તૂ જલદી આ…
SHARE

સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન, જે જન્મે છે એનો અંત પણ નિશ્ચિત છે. પરમાત્માએ જે કંઇ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદભુત સંકેત રહેલો છે. સર્જન બાદના વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે. આમ, ભક્તિભાવથી ભાદરવા સુદ ચોથના દિવસે થતી ગણેશ મૂર્તિની સ્થાપનાની સાથે જ વિઘ્નહર્તાને વિદાય આપવાનો દિવસ અનંત ચતુર્દશી નક્કી થઇ જાય છે. જીવનની આ વાસ્તવિકતા છે અને એટલે જ વિસર્જન વખતે સૌ કોઈ ભક્તોને મંગળમૂર્તિ ગણેશનું સાંનિધ્ય છોડવું ગમતું નથી. સાંસારિક દુઃખોના નાશ માટે જેમનું સ્થાપન કરી દસ દિવસ આપણે જેમની આરાધના કરી તેવા દુંદાળા દેવ શ્રીગણેશનું વિસર્જન કરી તેમને વિદાય આપવા આપણું મન રાજી થતું નથી. અને એટલે જ વિસર્જન વખતે સૌ ભાવિક ભક્તોની આંખો ભીંજાઇ જાય છે અને બે હાથ જોડી ગદગદ ભાવે શ્રીગણેશજીને વિનંતી કરવામાં આવે છે કે, `ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસ તૂ જલદી આ…

ગણેશ મૂર્તિનું જળમાં વિસર્જન કેમ કરાય છે?

આના ઉત્તરમાં કહી શકાય કે સર્જનની પ્રક્રિયામાં પાંચ તત્ત્વોમાં જળ મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે સમુદ્રના જળમાંથી કૂર્માવતારી ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઊંચકીને બહાર કાઢી છે અને એ જ પૃથ્વી પુનઃ પ્રલયકાળે જળમાં નિમગ્ન થઇ જાય છે, જેમાંથી સર્જન થયું હોય એમાં જ વિસર્જન થાય છે. શિવના પુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન-જળમાંથી થયો છે. તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું ગણાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે. ગણપતિ-વિસર્જન પાછળ અનેક તાત્ત્વિક રહસ્યો છુપાયેલાં છે. ઘરમાંથી કે શેરીના પંડાલમાંથી ગણપતિ- મૂર્તિનું ઉત્થાપન થાય છે અને વિસર્જન માટે ભાવપૂર્વક વિદાય અપાય છે. એવી માન્યતા છે કે વિદાય લેતી વખતે વિઘ્નહર્તા ભગવાન ગણપતિ ઘરની, પરિવારની કે શેરી- મહોલ્લાની તમામ મુસીબતો અને સમસ્યાઓ પોતાની સાથે લઇ વિદાય લે છે અને જળમાં વિસર્જિત કરી દે છે. પરિણામે ઘર વિઘ્નરહિત બને છે અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન થાય છે.

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર પૂણેમાં ગણેશોત્સવની જેમ જ વિસર્જનમાં પણ શિસ્ત જોવા મળે છે. સૌપ્રથમ પૂણેના `માના ચા ગણપતિ’નું વિસર્જન થયા બાદ અન્ય ગણેશ મૂર્તિઓનું વિસર્જન થાય છે. આવા કુલ પાંચ માનવંતા ગણેશજી છે. તેમાં સૌપ્રથમ છે કસબા ગણપતિ, 1893માં લોકમાન્ય બાળગંગાધર ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું ત્યારથી જ અહીં ગણેશજીની સ્થાપના થાય છે. શહેરના હાર્દસમા બુધવાર પેઠ વિસ્તારમાં સ્થાપિત કરાતા તાંબડી જોગેશ્વરી ગણપતિ માના ચા બીજા ગણપતિ છે. ચાંદીની પાલખીમાં આ એકદંત સવારી વિસર્જન માટે નીકળે છે. લોકમાન્ય ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું એ પૂર્વ એટલે કે 1883માં ગુરુજી તાલીમ મંડળે ગણેશોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરેલી, માનવંતી વસ્તુની યાદીમાં ત્રીજા સ્થાને આવતા આ ગૌરીપુત્રની ઉંદર પર બેઠેલી મૂર્તિ ભારે સાજસજ્જા સાથે અનંત ચૌદશે પૂણેના રસ્તા પર નીકળે છે, ચોથા ક્રમે છે તુલસી બાગની ગણેશ મૂર્તિ, આ યાદીમાં છેલ્લું નામ છે, કેસરીવાડાનું. લોકમાન્ય ટિળકે જાતે આ ગણેશ મંડળની સ્થાપના કરેલી. અહીં વર્ષોથી વિઘ્નહર્તાની પદ્માસનમાં બેઠેલી સાદગીપૂર્ણ મૂર્તિની સ્થાપના થાય છે.

મૂળા અને મૂથા નદીના કાંઠે વસેલા પૂણેમાં અનંત ચૌદશની સવારથી વિસર્જનની શોભાયાત્રા શરૂ થાય છે. તે પૂનમની બપોરે દોઢ વાગ્યા સુધી ચાલે છે. માનવંતાં પાંચ ગણેશ મંડળો સિવાય દગડુશેઠ હલવાઇ અને ફૂલેમંડઇના ગણપતિનું પણ પૂણેમાં આગવું અને અનેરું મહત્ત્વ છે. પૂણેમાં પ્રથમ વિસર્જનનો મહિમા છે તો મુંબઇમાં છેલ્લા વિસર્જનનો. મુંબઇમાં સૌથી છેલ્લું વિસર્જન લાલબાગ ચા રાજાનું થાય છે. પચીસ કિલોમીટર લાંબી શોભાયાત્રા જ્યાં થોભે છે, ત્યાં ભક્તો આરતી કરીને બાપ્પાને વધાવે છે. અમુક વિસ્તારમાં તો ગોવિંદાની મટકીની જેમ ફૂલોના વિશાળકાય હાર બાંધેલા હોય છે. ક્યાંક ચલણી નોટોના હાર લટકાવેલા હોય છે. રાજાની ઝાકઝમાળ સવારી જ્યારે આવી પહોંચે છે ત્યારે તેમને આ હાર પહેરાવી દેવાય છે. દાદર, સાયન અને ગિરગાંવ જેવા વિસ્તારોમાંથી આ વિશાળકાય દુંદાળા દેવની મૂર્તિ ઉપર પુષ્પવૃષ્ટિ અને અબીલ, ગુલાલ, કંકુનો વરસાદ વરસાવાય છે. હૈયેહૈયું દળાતું હોય, અમીર-ગરીબ સૌ કોઇ ખભેખભા મિલાવીને દાદાની એક આછેરી ઝલક નિહાળવા માટે, લાડકા દેવને વિદાય આપવા સૌ કોઇ રસ્તા પર ઊતરી આવે છે. ગણેશ વિસર્જનનો આવો માહોલ ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હશે. ગુજરાતમાં પણ વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ અને અમદાવાદ જેવાં શહેરોમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. અમદાવાદમાં અનંત ચતુર્દશીના દિવસે લોકો પોતાના લાડકા દેવ ગણપતિને સાબરમતી નદીએ ખૂબ જ હર્ષોલ્લાસ અને નાચગાન સાથે લઇ જતાં હોય છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
અમદાવાદ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

Editor By Editor 2 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?