- પૂર્વ IAS રાજીવ ગુપ્તાને 2 વર્ષનું એક્સટેન્શન અપાયું
- રાજીવ ગુપ્તાનો કાર્યકાળ 2026 સુધી લંબાવાયો
- ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના DG તરીકે રહેશે કાર્યરત
ગુજરાત સરકારમાં ઘણા વર્ષોથી મહત્વની ભૂમિકા પર રહેલા પૂર્વ IAS રાજીવ ગુપ્તાને 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. IAS રાજીવ ગુપ્તાનો કાર્યકાળ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તા ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યકત રહેશે.
પૂર્વ IAS રાજીવ ગુપ્તા સરદાર સરોવર પ્રોજેક્ટના MD પણ રહી ચૂક્યા હતા
રાજીવ ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ 1986 બેચના છે અને તેઓ ઈન્ડસ્ટ્રીઝ & માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ હતો.
એકસાથે 30 મામલતદારની બદલીના આદેશ
રાજ્યમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. મહેસુલ વિભાગે 30 જેટલા મામલતદારને બદલીના આદેશ આપ્યા છે. ડિઝાસ્ટરની ખાલી જગ્યાઓ બદલીથી ભરાવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે રાજીવ ગુપ્તાને એક્સટેન્શન અપાયું છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં ધમધોકાર ચોમાસું શરૂ થઈ ગયો છે ત્યારે ડિઝાસ્ટરમાં ખાલી પડેલી જગ્યા સરકારે બદલીથી ભરાવાનો દોર શરૂ કર્યો છે. જેના પગલે 30 જેટલા મામલતદારને બદલીના આદેશ આપ્યા છે.


