- ચિરાગ પટેલે રાજીનામું આપતા કોંગ્રેસનાં ધારાસભ્યો 16 થયા
- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું
- ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ વિધાનસભામાં હાજર
ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે. જેમાં MLA ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ છે. તેમજ ચિરાગ પટેલે રાજીનામું આપતા કોંગ્રેસનાં ધારાસભ્યો 16 થયા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. ત્યારે ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ વિધાનસભામાં હાજર રહ્યાં છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્રણ રાજ્યોમાં જીત બાદ હવે ગુજરાત ભાજપ એક્ટિવ થયું
ત્રણ રાજ્યોમાં જીત બાદ હવે ગુજરાત ભાજપ એક્ટિવ થયું છે. ત્યારે ફરી એકવાર ભાજપને લોકસભામાં હેટ્રિક મારવી છે. 26 એ 26 બેઠકો અંકે કરવા માટે ભાજપ કામે લાગી ગયું છે. બે લોકસભા ચૂંટણી બાદ સતત ત્રીજી લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકો મેળવવી છે. ભાજપની આ મહત્વાકાંક્ષા અન્ય પક્ષો માટે હાનિકારક સાબિત થઈ રહી છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.
ચિરાગ પટેલ કોણ છે?
ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. હજુ તો ચૂંટણીને માંડ એક વર્ષ પૂર્ણ થયુ છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્યએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે.
2022માં જીત્યા હતા ખંભાતથી
2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


