By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકોના મહેશ્વર ને સર્વ ભૂતોના પરમમિત્ર પણ ભગવાન છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

લોકોના મહેશ્વર ને સર્વ ભૂતોના પરમમિત્ર પણ ભગવાન છે

agragujaratnews
Last updated: 2023/11/09 at 12:20 PM
2 years ago
Share
લોકોના મહેશ્વર ને સર્વ ભૂતોના પરમમિત્ર પણ ભગવાન છે
SHARE

સ્પર્શાન્કૃત્વા બહીર્બાહ્યાંશ્વક્ષુશ્વૈવાન્તરે ભ્રુવો: II

પ્રાણપાનૌ સમૌ કૃત્વા નાસભ્યન્તરચારિણૌ II 5/27 II

યતેન્દ્રીય મનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણ : II

વિગતેચ્છાભયક્રોધો યાઆ; સદા મુક્ત એવ: સ: II 5/28 II

અર્થ : બહારના વિષયને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દૃષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાન વાયુને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યાં છે તથા જેનાં ઇચ્છા, ભય અને ક્રોધ દૂર થયાં છે એવા મુનિ મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.

ભૌતિક સુખ, કામના, વાસના, મોહ, લાલચ આ બધા વિષયો બહારના વિષયો કહી શકાય. આ બે શ્લોકમાં ભગવાને ધ્યાન કઈ રીતે કરવું અને યોગ કઈ રીતે કરવો તે બાબતે માર્ગદર્શન આપેલું છે. ધ્યાન કરતી વખતે મનુષ્યએ મનની આંખો બંધ કરવાની અને દૃષ્ટિને ભ્રમરની મધ્યમાં એટલે કે બે આંખોની વચ્ચે નાસિકાનો ઉપરનો ભાગ છે ત્યાં સ્થિર કરવી, સાથેસાથે નાકમાં આવતાં અને જતાં વાયુને પણ સ્થિર કરવો. તેની ગતિને નિયંત્રિત કરવી. આમ કરવાથી ઈશ્વરનું ધ્યાન થઇ શકે છે અને તે કરવાને કારણે વ્યક્તિ પોતાની ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કરી શકે છે. જે વ્યક્તિ જીવનમાં ધ્યાનના આવા તબક્કામાં પહોંચી જાય છે તે વ્યક્તિની તમામ ઇચ્છાઓ, તમામ પ્રકારના ભય અને ક્રોધ હંમેશ માટે સમાપ્ત થઇ જાય છે. આવા લોકો સમાજમાં યોગી, તપસ્વી કે મહાન સમર્થ મુનિ તરીકે સ્થાન પામે છે. ભગવાન કહે છે કે આવા મુનિઓ માટે મોક્ષ સહજ બની જાય છે અને તે સદાને માટે કર્મના બંધનમાંથી પણ મુક્ત થઇ જાય છે.

આમ, આ બંને શ્લોકમાં ભગવાન ધ્યાન અથવા તો યોગની પ્રક્રિયા કઈ રીતે કરવી અને તેના દ્વારા મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને કઈ રીતે અંકુશમાં લેવાં તે સમજાવ્યું છે.

ભોક્તારંયજ્ઞ તપસાંસર્વલોકમહેશ્વરં II

સુહ્રદં સર્વભૂતાનાંજ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ II 5/29 II

અર્થ : સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા, સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું. એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.

ભગવાન કહે છે કે તમે જે કોઈ યજ્ઞ કરો છો તેમાં જે આહુતિ આપો છો, અર્ધ્ય આપો છો તે બધા મને મળે છે, તમે જે તપ કરો છો તે તમારું તપ મને જ અર્પણ થાય છે. અન્યનું કલ્યાણ કરશો તો એ પણ તમારું એક પ્રકારનું તપ જ છે, આવાં તમામ તપનો ભોક્તા ભગવાન પોતે છે, અર્થાત્ ભક્તિભાવ અને શ્રદ્ધાથી જે યજ્ઞ-હોમ-હવન કરો છો તે અને તમારું શારીરિક, માનસિક કે અન્યને આર્થિક મદદ કરવા માટેનું તપ કરે છે તે ઈશ્વર પોતે જ સ્વીકારે છે. ભોક્તા એટલે ભોગવનાર, આપણા તપને ઈશ્વર ભોગવે એટલે કે ભગવાન આપણા તપને ભોગ તરીકે ધારણ કરી લે છે, તેનું ઉદર, તેમની ભૂખ આપણાં તપથી પુરાઇ જાય છે. લોકોના મહેશ્વર અને સર્વ ભૂતોના પરમ મિત્ર પણ ભગવાન છે, અહીં ભગવાન એવું કહે છે કે એ સૌના મિત્ર જ છે, કોઈની સાથે એમને દુશ્મનાવટ છે જ નહીં. અંતમાં, ભગવાન એવું જ સ્પષ્ટ કરે છે જે જ્ઞાની મનુષ્ય તપને ભોગ સ્વરૂપે સ્વીકારવાની અને સૌની સાથે મિત્રતાની વાત જાણતો થઈ જાય છે. તે તેના મનમાં કાયમીપણે શાંતિને અને તે રીતે મને પ્રાપ્ત કરી શકે છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
હેલ્થ

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

By 22 hours ago
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?